![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી, જાણો ક્યા નવા વિસ્તાર ઉમેરાયા
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે.
![અમદાવાદમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી, જાણો ક્યા નવા વિસ્તાર ઉમેરાયા Corona cases increase in Ahmedabad the number of micro containment zones has increased, find out which new areas have been added અમદાવાદમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી, જાણો ક્યા નવા વિસ્તાર ઉમેરાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/22/d1c0c80679be35f4f82a28e766c3ec13_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ (Ahmedabad)માં કોરોનાના કેસ વધવાની સાથે માઈક્રો કન્ટેઈન્મેટ ઝોન (micro containment zones)માં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઘોડાસર, ચાંદલોડિયા, બોડકદેવ સહિત વધુ 13 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. જ્યારે ચાંદખેડાના 2 અને મણિનગર તથા ગોતાના 1-1 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે. આમ હાલ 262 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી છે.
નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મનપા (AMC)ની આરોગ્ય વિભાગની ટીમ આજથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે. રવિવારે ઉત્તર-પશ્ચિમના ચાર સંક્રમિત સ્થળ,દક્ષિણ-પશ્ચિમના બે સંક્રમિત સ્થળ,પશ્ચિમ ઝોનના બે સંક્રમિત સ્થળ સાથે દક્ષિણ ઝોનના ચાર અને પૂર્વના એક સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2270 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1605 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,84,846 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 11 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 11528 પર પહોંચ્યા છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 11376 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.68 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 2, સુરત કોર્પોરેશન(SMC)માં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4492 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1605 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,84,846 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 611, અમદાવાદ કોર્પોરેશનમાં 607, વડોદરા કોર્પોરેશનમાં 202 , સુરત 164, રાજકોટ કોર્પોરેશનમાં 159, રાજકોટ 38, વડોદરા 30, ભાવનગર કોર્પોરેશન-28, મહેસાણા 26, અમરેલી 24, જામનગર કોર્પોરેશન 24, કચ્છ 23, પાટણ 23, દાહોદ 22, ગાંધીનગર કોર્પોરેશન 22, ખેડા 22, ગાંધીનગર 19, પંચમહાલ 19, આણંદ 17, નર્મદા 17, ભરૂચ 16, જામનગર 15, વલસાડ 13, મોરબી 12, નવસારી 12, મહીસાગર 11, સાબરકાંઠા 11, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 10-10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 45,66,141 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,222 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 1,36,737 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26,396 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)