શોધખોળ કરો

તહેવાર પહેલા રાજ્યમાં દિવાળીની ધૂમ ખરીદી,  માસ્ક વગર જ ફરતા દેખાયા લોકો

રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને લોકો બજારમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. તહેવારના છેલ્લા રવિવારે રાજ્યના તમામ શહેરોની બજારોમાં ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે.

અમદાવાદ: રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને લોકો બજારમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. તહેવારના છેલ્લા રવિવારે રાજ્યના તમામ શહેરોની બજારોમાં ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષે કોરોનાને કારણે લોકો ગભરાતા હતા પરંતુ આ વર્ષે કેસ ખુબ ઓછા હોવાથી લોકો નિશ્ચિત થઈને બજારમાં ખરીદી કરવા પહોંચી રહ્યા છે. દિવાળીને પણ હવે 4 દિવસ બાકી છે અને આજે છેલ્લો રવિવાર હોવાથી ખરીદી કરવા બજારમાં લોકોની ભીડ ઉમટી હતી.

અમદાવાદના લાલદરવાજામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. આ બજારમાં  તમામ વસ્તુઓ સરળતાથી અને સસ્તી મળે છે.  લાલ દરવાજા વીજળી ઘરથી લઈને માણેક ચોક સુધી દુકાનો અને પાથરણા વાળા જોવા મળ્યા હતા.

આજે બજારમાં પગ મૂકવાની પણ જગ્યા ના મળે તેવી ભીડ જોવા મળી હતી. બજારમાં વાહન ચલાવવા તો સાવ મુશ્કેલ હતા, જેથી વાહન સાથે કોઈને પ્રવેશ પણ આપવામાં આવતો નહોતો. દિવાળી પૂર્વેનો અંતિમ રવિવાર હોવાથી રજાનો લાભ લઈને અનેક લોકોએ ખરીદી કરી હતી. અમદાવાદની મોટા ભાગની બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા છે. 

કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીના બંન્ને ડૉઝ લેનાર નાગરિકોની સંખ્યા 100 ટકાએ પહોંચશે ત્યારે જ ગુજરાત કોરોના મુક્ત થવાની નજીક પહોંચશે. આ વાત કરી છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે. આ સાથે તેમણે રાજ્યમાં વેક્સિનેશનના કામગીરીની ટકાવારીથી અસંતોષ પણ વ્યક્ત કર્યો. દિવાળીના તહેવારની ઉજવણી સમયે નાગરિકોને કોવિડની ગાઈડલાઈનનું કડકાઈથી અમલ કરવાની પણ આરોગ્યમંત્રીએ અપીલ કરી હતી. એટલુ જ નહીં સામાજિત અંતર જાળવીને અને માસ્ક પહેરીને તહેવારોની ઉજવણી કરાય તેવી પણ તેમણે ટકોર કરી છે.  તહેવારોની સિઝનમાં રાજ્યભરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કોરોના સંક્રમણ વધે નહીં અને ત્રીજી લહેર ન આવે તેની તકેદારી રાખવાની જવાબદારી સરકારની સાથે નાગરિકોની પણ છે તેવી વાત પણ ઋષિકેશ પટેલે કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget