શોધખોળ કરો

અમદાવાદઃ પીરાણા રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં લાગી આગ, 4નાં મોત, હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા

ફેક્ટરી ખાતે બોઇલર મળી આવ્યું નથી, જેથી બોઇલર ફાટ્યું હોવાની વાત સાચી લાગતી નથી. અહીં બેરલ પડ્યા છે, જેને કારણે આગ લાગી હોઇ શકે છે.

અમદાવાદઃ શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. આગની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ હજુ કેટલાક લોકોની હાલત ગંભીર છે, ત્યારે મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાને પગલે ગોડાઉનમાં કામ કરતા લોકોના પરિવારે આંક્રદ કરી મૂક્યો હતો. મળતી વિગતો પ્રમાણે, પીરાણા રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટ સ્થિત કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. ઇજાગ્રસ્ત લોકોને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસનના મતે આગના કારણે નહીં પણ દીવાલ પડતા ઇજાગ્રસ્ત લોકોના મોત થયા છે. ચાર લોકો હોસ્પિટલ પહોંચતા અગાઉ જ મોતને ભેટ્યા હતા. આજે સવારે નાનુકાકા એસ્ટેટ ખાતે આવેલા કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. આ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. શરૂઆતમાં બોઇલરમાં ધડાકા પછી આગ લાગી હતી. જેમાં દિવાલ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે. જોકે, ફાયરબ્રિગેડે બોઇલર ફાટવાની  વાતની પુષ્ટી કરી નથી. હાલ, ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ ઘટનિાસ્થળે છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. કારણે કે, હોસ્પિટલ ખસેડાયેલા લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાસ્થળે 35થી 40 ફાયરબ્રિગેડના જવાનો બચાવકામગીરીમાં જોડાયેલા છે. હજુ લોકો ફસાયેલા છે કે નહીં, તે તપાસ ચાલું છે. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, ફેક્ટરી ખાતે બોઇલર મળી આવ્યું નથી, જેથી બોઇલર ફાટ્યું હોવાની વાત સાચી લાગતી નથી. અહીં બેરલ પડ્યા છે, જેને કારણે આગ લાગી હોઇ શકે છે. બ્લાસ્ટ અંગે સચોટ કોઈ માહિતી ન હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. અહીં ફાયરસેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનું પણ જણાવાયું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget