શોધખોળ કરો

અમદાવાદઃ પીરાણા રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં લાગી આગ, 4નાં મોત, હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા

ફેક્ટરી ખાતે બોઇલર મળી આવ્યું નથી, જેથી બોઇલર ફાટ્યું હોવાની વાત સાચી લાગતી નથી. અહીં બેરલ પડ્યા છે, જેને કારણે આગ લાગી હોઇ શકે છે.

અમદાવાદઃ શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. આગની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ હજુ કેટલાક લોકોની હાલત ગંભીર છે, ત્યારે મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાને પગલે ગોડાઉનમાં કામ કરતા લોકોના પરિવારે આંક્રદ કરી મૂક્યો હતો. મળતી વિગતો પ્રમાણે, પીરાણા રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટ સ્થિત કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. ઇજાગ્રસ્ત લોકોને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસનના મતે આગના કારણે નહીં પણ દીવાલ પડતા ઇજાગ્રસ્ત લોકોના મોત થયા છે. ચાર લોકો હોસ્પિટલ પહોંચતા અગાઉ જ મોતને ભેટ્યા હતા. આજે સવારે નાનુકાકા એસ્ટેટ ખાતે આવેલા કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. આ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. શરૂઆતમાં બોઇલરમાં ધડાકા પછી આગ લાગી હતી. જેમાં દિવાલ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે. જોકે, ફાયરબ્રિગેડે બોઇલર ફાટવાની  વાતની પુષ્ટી કરી નથી. હાલ, ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ ઘટનિાસ્થળે છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. કારણે કે, હોસ્પિટલ ખસેડાયેલા લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાસ્થળે 35થી 40 ફાયરબ્રિગેડના જવાનો બચાવકામગીરીમાં જોડાયેલા છે. હજુ લોકો ફસાયેલા છે કે નહીં, તે તપાસ ચાલું છે. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, ફેક્ટરી ખાતે બોઇલર મળી આવ્યું નથી, જેથી બોઇલર ફાટ્યું હોવાની વાત સાચી લાગતી નથી. અહીં બેરલ પડ્યા છે, જેને કારણે આગ લાગી હોઇ શકે છે. બ્લાસ્ટ અંગે સચોટ કોઈ માહિતી ન હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. અહીં ફાયરસેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનું પણ જણાવાયું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget