શોધખોળ કરો

કોરોનાના કહેરની વચ્ચે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ઈતિહાસમાં પ્રથમ વખત આવી રીતે યોજાશે, જાણો વિગતે

અષાઢી બીજની રથયાત્રા પૂર્વે યોજાનાર જળયાત્રા 5મી જૂને યોજાશે. પરંતુ તેમાં શોભાયાત્રા નહીં હોય. જેમાં પુજારી -ટ્રસ્ટીઓ જ હશે.

અમદાવાદઃ જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મળેલી બેઠકમાં સોમવારે નિર્ણય લેવાયો છે કે 23મી જૂને ભગવાન જગન્નાથથી 143મી રથયાત્રા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નીકળશે. વિગતે વાત કરતાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે દર વખતની જેવી ભવ્ય રથયાત્રા આ વખતે નહીં યોજાય. ભજન મંડળીઓ, ટ્રક, ઝાંખી કરાવતાં વાહનો રથયાત્રામાં જોડાશે નહીં. માત્ર એક - બે હાથી (ગજરાજ) જોડાશે. ભગવાનના ત્રણ રથ સિવાય કોઈ જ વાહન જોડાશે નહીં, અન્ય ભક્તો પણ નહીં જોડાય. માત્ર મંદિરના પુજારીઓ અને પરંપરા મુજબના રથ હંકારનાર ખલાસીઓ જ રથયાત્રામાં હશે. આ વખતે રથયાત્રામાં માત્ર ભગવાન જગન્નાથ-બહેન સુભદ્રા-ભાઇ બલભદ્રના જ ત્રણ રથ નીકળશે. ભજન મંડળી, અખાડા, ટ્રક, ઝાંખી નહીં હોય. રથયાત્રા દરમિયાન સરકારના નીતિ નિયમોનું પાલન કરાશે. સામાન્ય રીતે એક રથ ખેંચવા માટે ૩૦૦ જેટલા ખલાસીઓ હોય છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને પગલે આ વખતે એક રથ ખેંચવા માટે ૨૫ ખલાસીઓ જોડાઇ શકે તેવી વ્યવસ્થા કરાશે.  પ્રત્યેક પોઇન્ટ પર ખલાસીઓનું ગૂ્રપ બદલવામાં આવશે. એક કે બે ગજરાજ રથયાત્રામાં જોડાય તેવા પ્રયાસ રહેશે. પરંતુ અંતિમ નિર્ણય સરકાર સાથેની બેઠક બાદ લેવાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શક્ય તેટલી ઝડપથી  રથયાત્રા પૂરીથાય તેનો પ્રયાસ કરાશે. આ વખતે તમામ ભક્તો ટીવી ચેનલના માધ્યમથી જ રથયાત્રાના દર્શન કરે તેવો અમારો અનુરોધ છે. હજુ આગામી દિવસોમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સાથે બેઠક યોજી રથયાત્રામાં કેટલા લોકો ભાગ લેશે તે અંગે આખરી નિર્ણય લેવાશે.' અષાઢી બીજની રથયાત્રા પૂર્વે યોજાનાર જળયાત્રા 5મી જૂને યોજાશે. પરંતુ તેમાં શોભાયાત્રા નહીં હોય. જેમાં પુજારી -ટ્રસ્ટીઓ જ હશે. સાબરમતી નદીમાંથી સાદગીપૂર્ણ જળવિધી કરી પુજારીઓ મંદિર પરત ફરશે. આ ઉપરાંત 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે. જો કે તે દિવસે સૂર્યગ્રહણ હોવાથી બપોરે 4 વાગ્યા બાદ પુજારીઓ અને મંહતની હાજરીમાં નેત્રોત્સવ વિધિ સંપન્ન થશે.
ભગવાનના નેત્રોત્સવની  વિધિ વખતે સૂર્યગ્રહણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બે દિવસ અગાઉ યોજાતી નેત્રોત્સવની વિધિનું પણ અનેરું મહત્વ હોય છે. જોકે, આ વખતે ૨૧ જૂને નેત્રોત્સવની વિધિ છે ત્યારે  જ સૂર્યગ્રહણ છે. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું છે. જેમાં વ્યતિપાત મહાપાત રાત્રે ૧૧-૨૭ સુધી છે.  સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ સવારના સમયે યોજાતી હોય છે. પરંતુ આ વખતે સૂર્યગ્રહણને લીધે નેત્રોત્સવ વિધિ ૨૧ જૂને બપોરે ૪ બાદ યોજાશે. હાલમાં ભગવાનના ત્રણેય રથનું રંગરોગાન ખલાસી ભાઈઓ દ્વારા શરૂ કરાયું છે. જોકે રથને વિશેષ શણગાર માટેની વ્યવસ્થા કરાઈ નથી. 30 જટેલાં  ખલાસી ભાઈઓ જ પરંપરા મુજબ રથ ચલાવશે. અન્ય ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે કે કેમ તે અંગે આગળ નિર્ણય લેવાશે. આ ઉપરાંત મહેન્દ્ર ઝાના કહેવા મુજબ રથયાત્રા અંગે લેવાયેલાં આ તમામ નિર્ણયો સરકારને મોકલવામાં આવશે. જો કોઈ ફેરફાર કરવાની વાત આવશે તો સરકારના માર્ગદર્શન મુજબ આગળ વધીશું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી', 'ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે'
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી', 'ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે'
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
Ahmedabad News: અમદાવાદમાં 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, 18 વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ
Ahmedabad News: અમદાવાદમાં 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, 18 વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?
Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
Iran-US Ceasefire: 'હું શાહબાઝ શરીફ અને આસીમ મુનીરનો આભાર...', બે અઠવાડિયાના સીઝફાયર પર શું બોલ્યા ઈરાની વિદેશમંત્રી
Iran-US Ceasefire: 'હું શાહબાઝ શરીફ અને આસીમ મુનીરનો આભાર...', બે અઠવાડિયાના સીઝફાયર પર શું બોલ્યા ઈરાની વિદેશમંત્રી
Embed widget