શોધખોળ કરો

કોરોનાના કહેરની વચ્ચે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ઈતિહાસમાં પ્રથમ વખત આવી રીતે યોજાશે, જાણો વિગતે

અષાઢી બીજની રથયાત્રા પૂર્વે યોજાનાર જળયાત્રા 5મી જૂને યોજાશે. પરંતુ તેમાં શોભાયાત્રા નહીં હોય. જેમાં પુજારી -ટ્રસ્ટીઓ જ હશે.

અમદાવાદઃ જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મળેલી બેઠકમાં સોમવારે નિર્ણય લેવાયો છે કે 23મી જૂને ભગવાન જગન્નાથથી 143મી રથયાત્રા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નીકળશે. વિગતે વાત કરતાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે દર વખતની જેવી ભવ્ય રથયાત્રા આ વખતે નહીં યોજાય. ભજન મંડળીઓ, ટ્રક, ઝાંખી કરાવતાં વાહનો રથયાત્રામાં જોડાશે નહીં. માત્ર એક - બે હાથી (ગજરાજ) જોડાશે. ભગવાનના ત્રણ રથ સિવાય કોઈ જ વાહન જોડાશે નહીં, અન્ય ભક્તો પણ નહીં જોડાય. માત્ર મંદિરના પુજારીઓ અને પરંપરા મુજબના રથ હંકારનાર ખલાસીઓ જ રથયાત્રામાં હશે. આ વખતે રથયાત્રામાં માત્ર ભગવાન જગન્નાથ-બહેન સુભદ્રા-ભાઇ બલભદ્રના જ ત્રણ રથ નીકળશે. ભજન મંડળી, અખાડા, ટ્રક, ઝાંખી નહીં હોય. રથયાત્રા દરમિયાન સરકારના નીતિ નિયમોનું પાલન કરાશે. સામાન્ય રીતે એક રથ ખેંચવા માટે ૩૦૦ જેટલા ખલાસીઓ હોય છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને પગલે આ વખતે એક રથ ખેંચવા માટે ૨૫ ખલાસીઓ જોડાઇ શકે તેવી વ્યવસ્થા કરાશે.  પ્રત્યેક પોઇન્ટ પર ખલાસીઓનું ગૂ્રપ બદલવામાં આવશે. એક કે બે ગજરાજ રથયાત્રામાં જોડાય તેવા પ્રયાસ રહેશે. પરંતુ અંતિમ નિર્ણય સરકાર સાથેની બેઠક બાદ લેવાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શક્ય તેટલી ઝડપથી  રથયાત્રા પૂરીથાય તેનો પ્રયાસ કરાશે. આ વખતે તમામ ભક્તો ટીવી ચેનલના માધ્યમથી જ રથયાત્રાના દર્શન કરે તેવો અમારો અનુરોધ છે. હજુ આગામી દિવસોમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સાથે બેઠક યોજી રથયાત્રામાં કેટલા લોકો ભાગ લેશે તે અંગે આખરી નિર્ણય લેવાશે.' અષાઢી બીજની રથયાત્રા પૂર્વે યોજાનાર જળયાત્રા 5મી જૂને યોજાશે. પરંતુ તેમાં શોભાયાત્રા નહીં હોય. જેમાં પુજારી -ટ્રસ્ટીઓ જ હશે. સાબરમતી નદીમાંથી સાદગીપૂર્ણ જળવિધી કરી પુજારીઓ મંદિર પરત ફરશે. આ ઉપરાંત 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે. જો કે તે દિવસે સૂર્યગ્રહણ હોવાથી બપોરે 4 વાગ્યા બાદ પુજારીઓ અને મંહતની હાજરીમાં નેત્રોત્સવ વિધિ સંપન્ન થશે. ભગવાનના નેત્રોત્સવની  વિધિ વખતે સૂર્યગ્રહણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બે દિવસ અગાઉ યોજાતી નેત્રોત્સવની વિધિનું પણ અનેરું મહત્વ હોય છે. જોકે, આ વખતે ૨૧ જૂને નેત્રોત્સવની વિધિ છે ત્યારે  જ સૂર્યગ્રહણ છે. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું છે. જેમાં વ્યતિપાત મહાપાત રાત્રે ૧૧-૨૭ સુધી છે.  સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ સવારના સમયે યોજાતી હોય છે. પરંતુ આ વખતે સૂર્યગ્રહણને લીધે નેત્રોત્સવ વિધિ ૨૧ જૂને બપોરે ૪ બાદ યોજાશે. હાલમાં ભગવાનના ત્રણેય રથનું રંગરોગાન ખલાસી ભાઈઓ દ્વારા શરૂ કરાયું છે. જોકે રથને વિશેષ શણગાર માટેની વ્યવસ્થા કરાઈ નથી. 30 જટેલાં  ખલાસી ભાઈઓ જ પરંપરા મુજબ રથ ચલાવશે. અન્ય ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે કે કેમ તે અંગે આગળ નિર્ણય લેવાશે. આ ઉપરાંત મહેન્દ્ર ઝાના કહેવા મુજબ રથયાત્રા અંગે લેવાયેલાં આ તમામ નિર્ણયો સરકારને મોકલવામાં આવશે. જો કોઈ ફેરફાર કરવાની વાત આવશે તો સરકારના માર્ગદર્શન મુજબ આગળ વધીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Embed widget