શોધખોળ કરો
Advertisement
આજથી 25 જાન્યુઆરી સુધી અમદાવાદમાં કલમ 144 લાગૂ કરાઈ, જાણો કેમ
અમદાવાદમાં શાંતિ ડહોળાય નહીં તેને લઈને અમદાવાદ પોલીસે 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરી છે.
નાગરિકતા સંશોધન કાયદા (CAA) 2019 આજથી સમગ્ર દેશમાં લાગૂ થઈ ચૂક્યો છે. જેને લઈને સરકારે નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. બીજી તરફ ગુજરાત વિધાનસભામાં પણ CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ત્યારે શુક્રવારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં કલમ 144 લાગૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
CAA વિરોધ, ઉત્તરાયણનો તહેવાર અને ABVP-NSUIના ઘર્ષણના કારણે અમદાવાદમાં શાંતિ ડહોળાય નહીં તેને લઈને અમદાવાદ પોલીસે 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરી છે.
શુક્રવારે જ સુપ્રીમ કોર્ટે નાગરિકોની કાયદેસર અભિવ્યક્તિને દબાવી દેવા કલમ 144ને સાધન ન બનાવવું જોઈએ તેવી ટીકા કરી હતી. એ જ દિવસે પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
દેશ
ક્રાઇમ
Advertisement