Gujarat Election 2022: જય નારાયણ વ્યાસે કોંગ્રેસમાં જોડાવાને લઈ કર્યો મોટો ખુલાસો, કહી આ વાત
Gujarat Election 2022: ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં સામેલ થયા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ખેસ પહેરાવી-શાલ ઓઢાડી પાર્ટીમાં સામેલ કર્યા હતા.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં સામેલ થયા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ખેસ પહેરાવી-શાલ ઓઢાડી પાર્ટીમાં સામેલ કર્યા હતા.
શું કહ્યું જય નારાયણ વ્યાસે
ભાજપમાં સામેલ થયા બાદ જય નારાયણ વ્યાસે કહ્યું, ૩૨ વર્ષથી જે ઘરમાં રહ્યા તે છોડતા ઘણું દુઃખ થાય છે. રાહુલની યાત્રા શરૂ થઇ ત્યારે મે જોયું કઈક નવી વાત શરૂ થાય છે, મેં ઘણા દિવસ જોયું કેટલા લોકો છે, પરિવર્તન જોઈને મને થયું બેસવાથી શું થશે. મને લાગ્યું કે આ પાર્ટી એવી વાત કરે છે જ્યાં ચૂટણી થાય પછી પ્રેસિડેન્ટ બને માત્ર એક જ નામ નથી રહેતું, સમજી વિચારી ને હું જોડાયો છું. મારી ક્ષમતા રાષ્ટ્ર હિતમાં સમર્પિત છે.
Ahmedabad, Gujarat | Jay Narayan Vyas, who quit BJP earlier this month, joins the Congress party along with his son Sameer Vyas. https://t.co/vgbMi4iIKf pic.twitter.com/IR8mnPEBfk
— ANI (@ANI) November 28, 2022
ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતશે, ગુજરાતમાં બનશે AAPની સરકારઃ કેજરીવાલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. આ દરમિયાન આજે અરવિંદ કજરીવાલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, 92થી વધુ બેઠક જીતે છે. ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતે છે.
કેજરીવાલે બીજું શું કહ્યું
કેજરીવાલે કહ્યું, Bjp વેપારીઓને ડરાવે છે, એક એક વેપારી આપને વોટ આપવાના છે, નાનો કાર્યકર્તા ધમકી આપે છે, આપ પાર્ટી આવશે એટલે વેપારીઓને કમાવવાની તક આપશે. ગુજરાતની મહિલા અને યુવાઓને અપીલ કરતાં કહ્યું, તમે વોટ આપો છો પણ તમારા તમામ પરિવારને આપને વોટ આપવા અપીલ કરો. મોંઘવારીનો માર મહિલાઓને સહન કરવા પડે છે, વીજળીના બિલ માફને લઈ મહિલાઓનું સમર્થન છે. મહિલાઓના 1 હજાર આપવામાં આવશે. દિલ્લીમાં 7 વર્ષ થી સ્કૂલ ફી વધારવા દીધી નથી,
પેપર ફૂટે છે એનાથી મુક્તિ આપવામાં આવશે, 12 કેસમાં કાર્યવાહી કરાશે.