શોધખોળ કરો

કોરોનાની રસીની આડઅસરને પહોંચી વળવા ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત

લોકોને વેક્સિન આપ્યા બાદ અડધો કલાક ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામા આવશે. વેક્સિન આપ્યા બાદ કોઈ આડઅસર થાય છે કે નહિ તેની પણ સમીક્ષા થશે. જો કોઈ રિએકશન આવે તો તાત્કાલિક જરૂરી સારવાર માટેની સ્થળ ઉપર વ્યવસ્થા હશે.

અમદાવાદઃ ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વેક્સીન એડમિનિસ્ટ્રેશનની તૈયારીઓ રાજ્યમાં ચાલી રહી છે. સંક્રમણની શક્યતા જેમને વધુ છે તેવા લોકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાશે. વેક્સીનના ઉપયોગની મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકાર વેક્સિનેશનનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરશે. જો સંક્રમણ અટકાવી શકાય તે સ્તરે પહોંચી જઈએ તો બધાને વેક્સિન આપવી આવશ્યક નથી. યુવાનો અને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે. વેક્સિનની ગુણવત્તા બાબતે કોઈ કચાશ નહીં રખાય, સરકાર ઉપર 100 ટકા વિશ્વાસ રાખવો જોઈએ, તેમ રાજયના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રસીને લઈ કોઈ ઉતાવળ કરવામાં આવતી નથી. કરોડો લોકોના સ્વાસ્થ્યને સ્પર્શતી બાબત હોવાથી સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે. ઇન્ફેક્શનની ચેન બ્રેક ન થઇ જાય ત્યાં સુધી માસ્ક તો પહેરવો જ પડશે. મોટાપાયે વેક્સિનેશન ન થઇ જાય, તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વિકસે નહિ ત્યાં સુધી માસ્ક પહેરવો જરૂરી છે. રાજ્યમાં સંક્રમણની સ્થિતિ તપાસવા આઈસીએમઆરનો ફરી સેરો સર્વે, અગાઉના સર્વેમાં રાજ્યમાં 17 ટકા વસ્તી સંક્રમિત થઇ હોવાની હકીકત બહાર આવી હતી. હાલના સંશોધન અનુસાર કોરોના થયા બાદ અઢીથી ત્રણ મહિના એન્ટીબોડી રહે છે. વેક્સિનેશન અભિયાન માટે co win નામે ડીઝીટલ પ્લેટફોર્મ તૈયાર છે. co win પ્લેટફોર્મ ઉપર રસીકરણના સંભવિત લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. વેક્સીન સેન્ટરની એન્ટ્રી કરવામાં આવી રહી છે, કોણે ક્યારે વેક્સિન લેવા આવવાનું છે તેની જાણ પણ ડીઝીટલ પ્લેટફોર્મથી થશે. વેક્સિન સેન્ટર ઉપર ત્રણ અલગ અલગ રૂમ હશે. વેઇટિંગ, વેક્સિન અને ઓબ્ઝર્વેશન રૂમની વ્યવસ્થા હશે. વેક્સિન આપ્યા બાદ અડધો કલાક ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામા આવશે. વેક્સિન આપ્યા બાદ કોઈ આડઅસર થાય છે કે નહિ તેની પણ સમીક્ષા થશે. જો કોઈ રિએકશન આવે તો તાત્કાલિક જરૂરી સારવાર માટેની સ્થળ ઉપર વ્યવસ્થા હશે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ તબીબી તજજ્ઞોની સમિતિ બનશે. કોઈ પણ વેક્સિનમાં કેટલાક પ્રમાણમાં રિએક્શનની શક્યતા રહેતી જ હોય છે. કોરોનાની રસી આપ્યા બાદ આડઅસર પણ થઇ શકે છે. રાજ્યોએ બધી જ તૈયારી રાખવી, તેમ કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
Embed widget