શોધખોળ કરો

gujarat local body election 2026: MLA અમિત ઠાકરનું આક્રમક નિવેદન, 'વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઉં'

gujarat local body election 2026:   અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના એક આક્રમક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમિત ઠાકરે વેજલપુર વિસ્તારમાં વિકાસના નામે આક્રમક નિવેદનો આપ્યા.
  • તેમણે જુહાપુરાને વિકસિત બનાવવા ભાજપને મત આપવા અપીલ કરી.
  • જીગ્નેશ મેવાણીને કાર્યકરોના વિરોધે ચાંદખેડામાં બેઠક સ્થળ બદલવું પડ્યું.

gujarat local body election 2026:  અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના એક આક્રમક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેઓ વેજલપુર વિધાનસભામાં બીજું 'ચંડોળા તળાવ' નહીં બનવા દે. તેમણે મતદારો સામે સીધો વિકલ્પ મુકતા કહ્યું કે, જેમને ગાર્ડન અને સુવિધાઓ જોઈએ છે તે ભાજપને મત આપે અને જેમને ચંડોળા જેવી સ્થિતિ જોઈએ છે તે કોંગ્રેસને મત આપે. દબાણ કરનારાઓ અને બુટલેગરો સામે લાલ આંખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, તેઓ બુટલેગરો સાથે બેસીને વોટ લેનારા માણસ નથી.

ઠાકરે જણાવ્યું કે જે વાતો તેઓ અહીં બોલે છે તે જ વાતો દરેક જગ્યાએ ડર્યા વગર કહેશે. તો જુહાપુરાની પણ અમિત ઠાકરે વાત કરી હતી.  જાહેર સભામાં જુહાપુરા અને જોધપુર વિસ્તારની તુલના કરીને અત્યંત આક્રમક નિવેદન આપ્યું. તેમણે મતદારોને સીધો સંદેશ આપતા કહ્યું કે જો તેઓ જુહાપુરાને ચંડોળા જેવું ગીચ અને અવિકસિત રાખવા માંગતા હોય તો કોંગ્રેસ કે AIMIMને વોટ આપે, પરંતુ જો તેને જોધપુર જેવો આધુનિક અને વિકસિત વિસ્તાર બનાવવો હોય તો ભાજપને પસંદ કરે. ઠાકરે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અને AIMIM જેવી પાર્ટીઓ ધર્મના નામે રાજકારણ કરીને જુહાપુરાના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકાર રોડ, ગટર, પાણી અને લાઈબ્રેરી જેવી તમામ સુવિધાઓ આપવા તૈયાર છે, પણ તે માટે મતદારોએ વિકાસની રાજનીતિને સ્વીકારવી પડશે. જોધપુર અને બોડકદેવના વિકાસના ઉદાહરણો આપીને તેમણે જુહાપુરાના લોકોને આહ્વાન કર્યું કે હવે 25 વર્ષના પછાતપણાને છોડીને ભાજપ સાથે જોડાઈને ચાર ગણો વિકાસ મેળવે. 

અમિત ઠાકરના નિવેદન પર ઈમરાન ખેડાવાલાએ પલટવાર કર્યો છે. ખેડાવાલાએ કહ્યું કે ચૂંટણી સમયે જ આવી રાજનીતિ થાય છે. ભાજપ પાસે મત માંગવા માટે બીજા કોઈ મુદ્દા નથી. કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા સરકારી પ્રશાસનનો ઉપયોગ થાય છે. બુટલેગરો ભાજપમાં મોટા હોદ્દાઓ લઈને બેઠા છે

MLA મેવાણીએ કોંગ્રેસના કાર્યકરોના વિરોધને કારણે બદલવું પડ્યું બેઠકનું સ્થળ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસના જ કાર્યકરોના વિરોધને પગલે ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે બેઠકનું સ્થળ બદલવાની ફરજ પડી હતી. 18 એપ્રિલે જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે આવવાના હતા. જે માટે અગાઉ આઈ.ઓ.સી.રોડ પર આવેલા સ્નેહપ્લાઝામાં કરિશ્મા એવેન્યુમાં મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક કાર્યકર્તાઓના વિરોધના કારણે જગ્યા બદલી હેમાંગી ફલેટના કોમનપ્લોટમાં રાખવામાં આવી હતી. તેમજ પ્રચારમાં કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર સુબોધ કુમુદ જ જોવા મળ્યા હતા. પેનલના અન્ય ઉમેદવારો પણ પ્રચારમાં હાજર રહ્યા નહતા. જેથી સ્ટાર પ્રચારકે માત્ર એક ઉમેદવાર સુબોધ કુમુદ અને અન્ય કાર્યકર્તાઓને સાથે રાખીને પ્રચાર કરવો પડ્યો હતો.

ચાંદખેડામાં MLA જીજ્ઞેશ મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો ઉભો થયો છે. પ્રચાર માટે ચાંદખેડા પહોંચેલા મેવાણી સાથે કોંગ્રેસના જ 3 ઉમેદવાર જોડાયા ન હતા. મેવાણીએ સુબોધ મુકુદને લઈને એકલો પ્રચાર કર્યો હતો. પેરાશૂટ ઉમેદવારને લઈ કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે. મેવાણી જ્યાં બેઠક કરવાના હતા તે સ્થળે કાર્યકરોએ તાળું માર્યું હતું. મેવાણીએ કાર્યકરોના વિરોધને લઈ બેઠકનું સ્થળ બદલવું પડ્યું હતું. ચાંદખેડાની બજારમાં પ્રચાર માટે નીકળેલા મેવાણીની પરિસ્થિતિ હાસ્યાસ્પદ બની હતી. પોતાને આક્રમક ગણાવતા મેવાણીની કોંગ્રેસના જ ઉમેદવારોએ ફજેતી કરી હતી. ત્રણ ઉમેદવારો પ્રચારમાં ન જોડાતા મેવાણીનું સૂરસૂરયું થયું હતું. ચાંદખેડાથી રાજશ્રી કેસરી, વર્ષા કટારા, સુધીર પટેલ, સુબોધ કોંગ્રેસના ઉમેદવાર છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Embed widget