શોધખોળ કરો

ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર! ઓક્ટોબરનાં પ્રથમ અઠવાડિયામાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો

અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ ચાર નોરતાં દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતનાં દરિયાઇ વિસ્તારોમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી 24 કલાકમાં ચક્રાવાતમાં ફેરવાશે

નવરાત્રીને હવે માત્ર 6 દિવસ જ બાકી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ઓક્ટોબરનાં પ્રથમ સપ્તાહ સુધી રહી શકે છે. જેના કારણે ખેલૈયા સહિત આયોજકો પણ મુંજવણમાં મુકાઈ ગયા છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતનાં દરિયાઇ વિસ્તારોમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી 24 કલાકમાં ચક્રાવાતમાં ફેરવાશે અને આગામી 72 કલાકમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ઓમાનના સમુદ્રી વિસ્તાર તરફ ધપશે. સામાન્ય રીતે ગુજરાતમાંથી સપ્ટેમ્બરનાં છેલ્લા વીક સુધીમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે છે. પરંતુ આ વખતે હવામાનની અત્યારની સ્થિતિ જોતાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી નૈઋત્યનું ચોમાસું રહી શકે છે. આમ આ વખતે ગુજરાતમાં છેલ્લા કેટલાંક વર્ષોનું સૌથી લાંબું ચોમાસું જોવા મળી શકે છે. અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ ચાર નોરતાં દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદ આવે તેવી શક્યતોઓ છે. વરસાદના વિધ્નએ આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે. સોમવાર-મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, મહિસાગર અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 27 અને 28 તારીખે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ તુટી પડશે. 25-26 તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવગનર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ સહિત કચ્છમાં વરસાદ જોવા મળશે. ઉત્તર અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર ગુજરાતના દરિયા કિનારે જોવા મળશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget