શોધખોળ કરો

Gandhinagar: ગુજરાત સરકારે કરી 3 મોટી જાહેરાત, યુનિફોર્મ સિવિલ કોડને લઈને પણ પત્તા ખોલ્યા

ગાંધીનગર: હાલમાં સમગ્ર દેશમાં યુસીસીને લઈને ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો તેમના સમર્થનમાં છે તો કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જો કે, તો બીજી તરફ યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે.

ગાંધીનગર: હાલમાં સમગ્ર દેશમાં યુસીસીને લઈને ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો તેમના સમર્થનમાં છે તો કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જો કે, તો બીજી તરફ યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે ઈરાદો જાહેર કર્યો છે.  કમિટીની રચના કરવામાં આવશે અને કમિટી દ્વારા સૂચનો મેળવવામાં આવશે. સૂચનોના આધારે નિર્ણય લેવામાં આવશે.

બહુચરાજી મંદિરની ઉંચાઈ વધારવામાં આવશે

આ ઉપરાંત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, બહુચરાજી મંદિરની ઉંચાઈ વધારવામાં આવશે. 50 ફૂટથી 86 ફૂટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર આ મંદિરના નવીનીકરણ માટે રૂપિયા 70 કરોડ વાપરશે. તેમણે કહ્યું કે, બહુચરાજી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. 

11મી તારીખથી રૂપિયા 10 લાખની સહાય મળશે

બિપરજોય વાવાઝોડામાં તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે. 112653 લોકોને સહાય ચુકવવામાં આવી છે. પશુ સહાયમાં 2858 કેસમાં 4 કરોડની સહાય ચુકવવામાં આવી છે. ખેતી અને બાગાયતી પાકના નુકશાનનો અહેવાલ આવી ગયો છે. કેટલી સહાય ચૂકવવી તે અંગે ટુંક સમયમાં નિર્ણય થશે.  આ ઉપરાંત PMJAY આગામી 11મી તારીખથી રૂપિયા 10 લાખની સારવાર મળશે. વિધાનસભાની ચૂંટણી સમયે આ જાહેરાત કરવામાં આવી હતી.

PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર

જો તમે પણ કેન્દ્ર સરકારની PM કિસાન યોજના હેઠળ નોંધણી કરાવી હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, ભૂતકાળમાં સરકાર દ્વારા આ યોજનામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો યોજનાના લાભાર્થીઓને સીધી અસર કરશે. દેશના 8.43 કરોડ ખેડૂતોને PM કિસાનના 13મા હપ્તાનો લાભ મળ્યો. હવે સરકાર ટૂંક સમયમાં DBT દ્વારા ખેડૂતોના ખાતામાં 14મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવા જઈ રહી છે. પરંતુ સરકારે આ હપ્તો બહાર પાડતા પહેલા કેટલાક ફેરફારો કર્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થીની સ્થિતિ જોવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ ઉપરાંત પીએમ કિસાનની મોબાઈલ એપ્લિકેશન પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પછી, લાભાર્થીની સ્થિતિ જોવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. હવે જો તમે લાભાર્થીની સ્થિતિ જોવા માંગો છો, તો તેના માટે તમારે નોંધણી નંબરની જરૂર પડશે.

છેતરપિંડી રોકવા અને ઇ-કેવાયસી પૂર્ણ કરવાના હેતુથી, કૃષિ મંત્રાલયે ભૂતકાળમાં પીએમ કિસાન મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. આ રીતે, e-KYC કરાવ્યા પછી, તમારે વન ટાઈમ પાસવર્ડ (OTP) અને ફિંગરપ્રિન્ટની જરૂર નહીં પડે. બીજી તરફ, સરકારે 13 હપ્તા બહાર પાડી દીધા છે. પરંતુ 14મા હપ્તાને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર પીએમ કિસાન નિધિના 14મા હપ્તાના પૈસા 15 જુલાઈ સુધી ટ્રાન્સફર કરી શકે છે. જો કે સરકાર કે કૃષિ મંત્રાલય દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

પીએમ કિસાન યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે ઈ-કેવાયસી કરાવ્યું છે. જો તમે હજુ સુધી e-KYC નથી કર્યું, તો તમારા હપ્તા અટકી શકે છે. આ સાથે જો કોઈ ખેડૂત બીજા ખેડૂત પાસેથી જમીન લઈને ભાડે ખેતી કરે તો પણ તે આ યોજનાથી વંચિત રહેશે. આ યોજનાનો લાભ માત્ર પતિ-પત્નીમાંથી એકને જ મળે છે. જો ખેડૂત પરિવાર સરકારને ટેક્સ ચૂકવે છે, તો તે પણ આ યોજનાથી વંચિત રહી શકે છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget