શોધખોળ કરો

Gandhinagar: ગુજરાત સરકારે કરી 3 મોટી જાહેરાત, યુનિફોર્મ સિવિલ કોડને લઈને પણ પત્તા ખોલ્યા

ગાંધીનગર: હાલમાં સમગ્ર દેશમાં યુસીસીને લઈને ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો તેમના સમર્થનમાં છે તો કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જો કે, તો બીજી તરફ યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે.

ગાંધીનગર: હાલમાં સમગ્ર દેશમાં યુસીસીને લઈને ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો તેમના સમર્થનમાં છે તો કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જો કે, તો બીજી તરફ યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે ઈરાદો જાહેર કર્યો છે.  કમિટીની રચના કરવામાં આવશે અને કમિટી દ્વારા સૂચનો મેળવવામાં આવશે. સૂચનોના આધારે નિર્ણય લેવામાં આવશે.

બહુચરાજી મંદિરની ઉંચાઈ વધારવામાં આવશે

આ ઉપરાંત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, બહુચરાજી મંદિરની ઉંચાઈ વધારવામાં આવશે. 50 ફૂટથી 86 ફૂટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર આ મંદિરના નવીનીકરણ માટે રૂપિયા 70 કરોડ વાપરશે. તેમણે કહ્યું કે, બહુચરાજી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. 

11મી તારીખથી રૂપિયા 10 લાખની સહાય મળશે

બિપરજોય વાવાઝોડામાં તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે. 112653 લોકોને સહાય ચુકવવામાં આવી છે. પશુ સહાયમાં 2858 કેસમાં 4 કરોડની સહાય ચુકવવામાં આવી છે. ખેતી અને બાગાયતી પાકના નુકશાનનો અહેવાલ આવી ગયો છે. કેટલી સહાય ચૂકવવી તે અંગે ટુંક સમયમાં નિર્ણય થશે.  આ ઉપરાંત PMJAY આગામી 11મી તારીખથી રૂપિયા 10 લાખની સારવાર મળશે. વિધાનસભાની ચૂંટણી સમયે આ જાહેરાત કરવામાં આવી હતી.

PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર

જો તમે પણ કેન્દ્ર સરકારની PM કિસાન યોજના હેઠળ નોંધણી કરાવી હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, ભૂતકાળમાં સરકાર દ્વારા આ યોજનામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો યોજનાના લાભાર્થીઓને સીધી અસર કરશે. દેશના 8.43 કરોડ ખેડૂતોને PM કિસાનના 13મા હપ્તાનો લાભ મળ્યો. હવે સરકાર ટૂંક સમયમાં DBT દ્વારા ખેડૂતોના ખાતામાં 14મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવા જઈ રહી છે. પરંતુ સરકારે આ હપ્તો બહાર પાડતા પહેલા કેટલાક ફેરફારો કર્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થીની સ્થિતિ જોવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ ઉપરાંત પીએમ કિસાનની મોબાઈલ એપ્લિકેશન પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પછી, લાભાર્થીની સ્થિતિ જોવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. હવે જો તમે લાભાર્થીની સ્થિતિ જોવા માંગો છો, તો તેના માટે તમારે નોંધણી નંબરની જરૂર પડશે.

છેતરપિંડી રોકવા અને ઇ-કેવાયસી પૂર્ણ કરવાના હેતુથી, કૃષિ મંત્રાલયે ભૂતકાળમાં પીએમ કિસાન મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. આ રીતે, e-KYC કરાવ્યા પછી, તમારે વન ટાઈમ પાસવર્ડ (OTP) અને ફિંગરપ્રિન્ટની જરૂર નહીં પડે. બીજી તરફ, સરકારે 13 હપ્તા બહાર પાડી દીધા છે. પરંતુ 14મા હપ્તાને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર પીએમ કિસાન નિધિના 14મા હપ્તાના પૈસા 15 જુલાઈ સુધી ટ્રાન્સફર કરી શકે છે. જો કે સરકાર કે કૃષિ મંત્રાલય દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

પીએમ કિસાન યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે ઈ-કેવાયસી કરાવ્યું છે. જો તમે હજુ સુધી e-KYC નથી કર્યું, તો તમારા હપ્તા અટકી શકે છે. આ સાથે જો કોઈ ખેડૂત બીજા ખેડૂત પાસેથી જમીન લઈને ભાડે ખેતી કરે તો પણ તે આ યોજનાથી વંચિત રહેશે. આ યોજનાનો લાભ માત્ર પતિ-પત્નીમાંથી એકને જ મળે છે. જો ખેડૂત પરિવાર સરકારને ટેક્સ ચૂકવે છે, તો તે પણ આ યોજનાથી વંચિત રહી શકે છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget