શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 15 મેથી અમદાવાદ કઈ-કઈ દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ? જુઓ આ રહ્યું લિસ્ટ
રાજીવ ગુપ્તાએ અમદાવાદમાં અનાજ-કરિયાણા, ફળ, શાકભાજી અને અનાજ દળવાની ઘંટી પણ 15મી મેથી ચાલુ કરવાની છૂટ આપવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી
અમદાવાદ: કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન ચાલુ છે ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે, જેમાં રાજીવ ગુપ્તાએ અમદાવાદમાં અનાજ-કરિયાણા, ફળ, શાકભાજી અને અનાજ દળવાની ઘંટી પણ 15મી મેથી ચાલુ કરવાની છૂટ આપવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ચુસ્ત પાલનની શરત સાથે આ છૂટ આપવામાં આવી છે.
આઈ.એે.એસ અધિકારી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તમામ સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કર્યાં પછી જ આ છૂટનો અમલ કરાશે. દૂધ વેચનારાઓને પણ સ્ક્રિનિંગમાં આવરી લેવામાં આવશે. તેમનું સ્ક્રિનિંગ કરીને તેમને હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આ કાર્ડ સમયાંતરે રિન્યુ કરાવવો પડશે. કયા-કયા વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે તેની પછી જાહેરાત કરવામાં આવશે. 15 મેથી લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિચ્છીત વોર્ડમાં ખુલ્લી રાખી શકાશે.
નિચ્છીત સમયગાળા સિવાય વેપાર કરી શકાશે નહીં. વેચાણ સમયે સામાજિક અંતર જાળવવું ફરજિયાત છે. રોકડ વ્યવહાર થઈ શકશે પરંતુ રોકડ વ્યવહાર ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. દુકાનદારોએ માસ્ક, હેન્ડ ગ્લોઝ, કેપ ફરજિયાત પહેરી રાખવી પડશે.
આ સિવાય હોમ ડિલિવરી માટે સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી મંજુરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion