શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં રાત્રિ કરફ્યૂ લાદી દેવાયો ? જાણો કોર્પોરેશને શું કરી સ્પષ્ટતા
અમદાવાદ શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાતના 10 વાગ્યાથી સવારના 6 વાદ્યા સુધી દવાઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો
![અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં રાત્રિ કરફ્યૂ લાદી દેવાયો ? જાણો કોર્પોરેશને શું કરી સ્પષ્ટતા Night curfew imposed in Ahmedabad over corona cases? Clarification of what the corporation did અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં રાત્રિ કરફ્યૂ લાદી દેવાયો ? જાણો કોર્પોરેશને શું કરી સ્પષ્ટતા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/29150106/night.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ અમદાવાદ શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાતના 10 વાગ્યાથી સવારના 6 વાદ્યા સુધી દવાઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે બપોરના સમયે આ જાહેરાત કરી તે સાથે જ આખા શહેરમાં રાત્રિ- કરફ્યુ લાદી દેવાયો હોવાની અફવા ફેલાઈ ગઈ હતી.
જો કે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ખાણીપીણીના પાર્લરો, પાનના ગલ્લા, ટી-સ્ટોલ, કોફી સ્ટોલ પર રાતના સમયે જામતી ભીડના કારણે આ નિર્ણય લેવાયો છે. રાત્રે એકઠાં થતાં ટોળાં કોરોનાના માસ્ક- ડિસ્ટન્સના નિયમોની પણ ઐસીતૈસી કરે છે. આ કારણે રાત્રે દુકાનો બંધ રાખવાનો આદેશ અપાયો છે પણ કરફ્યુ લદાયો નથી. લોકોએ કરફ્યુની વાતોમાં આવવાની જરૂર નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)