શોધખોળ કરો

રાજીનામું આપ્યા બાદ AAP નેતાઓને રાજુ કરપડાની ખુલ્લી ચીમકી: "હું ચૂપ છું ત્યાં સુધી તમે સલામત છો"

Raju Karpada Press Conference: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક આરોપ લગાવ્યા છે.

Raju Karpada Press Conference: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક આરોપ લગાવ્યા છે.આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે 'આપ' ના વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને અન્ય નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

 AAP નેતાઓને રાજુ કરપડાની ખુલ્લી ચીમકી: "હું ચૂપ છું ત્યાં સુધી તમે સલામત છો"

ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથેનો પોતાનો વર્ષો જૂનો નાતો તોડ્યા બાદ આજે મીડિયા સમક્ષ આવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેઓ ખેડૂતોની લડાઈ લડતા જેલમાં ગયા, ત્યારે પાર્ટીએ તેમની પીઠમાં છરો ભોંક્યો છે.

 

જેલવાસ દરમિયાન કડવો અનુભવ અને નેતાઓ પર પ્રહાર

રાજુ કરપડાએ આરોપ લગાવ્યો કે પોણા ચાર મહિનાના જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના એક પણ વકીલે તેમની મુલાકાત લીધી નહોતી કે કોઈ કાનૂની મદદ કરી નહોતી. તેમણે કહ્યું, "મેં જ્યારે જેલમાં ખેડૂતોની વેદના જોઈ ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હવે 'આપ' સાથે રહેવું નથી. પાર્ટીના નેતાઓના કારણે જ ખેડૂતોને વધુ સમય જેલમાં રહેવું પડ્યું છે."

ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સામે ગંભીર આરોપો

આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સામે ગંભીર આરોપોનો વરસાદ વરસાવ્યો છે. કરપડાએ આક્ષેપ કર્યો છે કે આ બંને નેતાઓ એક ષડયંત્રના ભાગરૂપે કામ કરી રહ્યા છે અને તેઓ ક્યારેય 'આપ' ને ગુજરાતમાં મજબૂત થવા દેશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ અને અન્ય ખેડૂતો જેલમાં બંધ હતા, ત્યારે પાર્ટીએ એક પણ વકીલની મદદ મોકલી નહોતી, જેના કારણે ખેડૂતોએ ત્રણ મહિના સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.

રાજુ કરપડાએ સનસનાટીભર્યો દાવો કર્યો કે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા કેજરીવાલ સુધી સાચી વાસ્તવિકતા પહોંચવા દેતા નથી અને જેવું તેઓ કેજરીવાલની નજીક આવ્યા કે તરત જ તેમની વિરુદ્ધ ષડયંત્રો શરૂ થઈ ગયા હતા. તેમને મૌન રહેવા માટે ફોન આવતા હોવાનો પણ તેમણે ખુલાસો કર્યો છે. આ સાથે જ તેમણે ઈસુદાન ગઢવીને અપીલ કરી છે કે પાર્ટીમાં રહીને જ પાર્ટીને તોડનારા તત્વોને તેઓ ઓળખી લે. અંતમાં તેમણે સંકેત આપ્યા કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફથી વાયા-વાયા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ હાલ તેઓ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી રહ્યા છે.

ગોપાલ ઇટાલિયા પર નિશાન અને 'વીડિયો' નો વિવાદ

ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર કરપડાએ ગંભીર આક્ષેપ કર્યો કે પાર્ટીના એક-બે નેતાઓએ તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો છે.

  • વીડિયોનો દુરુપયોગ: કરપડાએ દાવો કર્યો કે તેમની પાસે અગાઉથી એક વીડિયો તૈયાર કરાવવામાં આવ્યો હતો, જેનો પાછળથી પાર્ટીએ દુરુપયોગ કર્યો છે.

  • જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ: કરપડાએ કહ્યું કે તેમના રાજીનામા બાદ પાર્ટીના નેતાઓ એવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે જૂના કેસોના ડરથી તેમણે રાજીનામું આપ્યું છે, જે વાત તદ્દન પાયાવિહોણી છે.

"હું વફાદાર હતો, પણ મને અન્યાય થયો"

કરપડાએ યાદ અપાવ્યું કે તેમણે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે રાત-દિવસ મહેનત કરી હતી. તેમણે ચૈતર વસાવા, હેમંત ખવા અને ઇસુદાન ગઢવી જેવા નેતાઓને પણ મદદ કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ચીમકી આપતા કહ્યું, "હું હજુ પણ ઘણું છુપાવી રહ્યો છું, જ્યાં સુધી હું ચૂપ છું ત્યાં સુધી તમે (આપના નેતાઓ) સલામત છો."

ભવિષ્યની રણનીતિ: હાલ બિન-રાજકીય

પોતાની ભવિષ્યની યોજના વિશે વાત કરતા રાજુ કરપડાએ સંકેત આપ્યા કે તેઓ હાલ પૂરતા કોઈ રાજકીય પક્ષમાં જોડાવા માંગતા નથી અને બિન-રાજકીય રહીને ખેડૂતો માટે કામ કરશે. તેમણે ઉમેર્યું કે જો તેઓ પાર્ટીમાં ન હોત અને બિન-રાજકીય લડત લડ્યા હોત તો કદાચ તેમની પર ગુના પણ દાખલ ન થયા હોત.

પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશો:

  • વકીલની મદદ ન મળી: જેલમાં એક પણ પાર્ટીના વકીલ ફરક્યા નથી.

  • ખેડૂતોનું નુકસાન: આપના નેતાઓના સ્વાર્થમાં ખેડૂતો ભોગ બન્યા.

  • હડદડની લડાઈ: હડદડ સત્યાગ્રહમાં જે નેતાઓને ધરપકડનો ડર હતો તેઓ લડાઈથી દૂર રહ્યા હતા.

  • પાર્ટી છોડવાનું કારણ: જેલમાં ખેડૂતોને પડતી તકલીફ જોઈને લીધેલો નિર્ણય.

રાજુ કરપડાના આ આક્ષેપો બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
IND vs NZ:
IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
Advertisement

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
Embed widget