શોધખોળ કરો

આ સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાંથી 7 વર્ષનું બાળક ગુમ, સીસીટીવી આવ્યા સામે

અમદાવાદ: શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાંથી સાત વર્ષનું બાળક ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. થોડા દિવસ પહેલા બાળકને આંગન સંસ્થામાં લવાયું હતું. વાસણાથી બિનવારસી બાળક મળી આવ્યું હતું

અમદાવાદ: શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાંથી સાત વર્ષનું બાળક ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. થોડા દિવસ પહેલા બાળકને આંગન સંસ્થામાં લવાયું હતું. વાસણાથી બિનવારસી બાળક મળી આવ્યું હતું જેને કાલુપુર મૂકવામાં આવ્યું હતું. હાલમાં કાલુપુર પોલીસે તપાસ હાથ ધરી છે. બાળક રસ્તા પર દોડતું હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે.  બાળક કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાંથી જાતે ભાગીને જતુ હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

 

પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને અમદાવાદ સેશન્સ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

અમદાવાદના નારોલ વિસ્તારમાં મહિલાએ આત્મહત્યા કરી હતી, હવે આ મામલે કોર્ટે આકરી સજા ફટકારી છે. પત્નીને આત્મહત્યા પ્રેરવા માટે પતિને 10 વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે. અમદાવાદ સેશન્સ કોર્ટે દાખલા રૂપ ચૂકાદો આપ્યો છે. દારૂ પીને પત્નીને મારઝૂડ કરી તરછોડવાની ધમકી આપનાર પતિએ પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરી હોવાનું કોર્ટનું તારણ છે. આ ઘટના વર્ષ 2021માં બની હતી. જેનો હાલમાં ચૂકાદો આવ્યો છે.

અડાલજ પાસે યુવક-યુવતીની હત્યા બાદ લાશને સળગાવી દેવામાં આવી
અડાલજ પાસે અજાણી મહિલા અને પૂરુષની હત્યા કરી લાશ સળગાવી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અઠવાડિયા પહેલા હત્યા કરાઈ હોવાનો અંદાજ છે.  જોકે આ બન્ને યુવક યુવતી કોણ છે તેની માહિતી સામે આવી નથી. મૃતકોની ઓળખ કરવા પોલીસે તપાસ શરૂ કરી છે. અડાલજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ સળગાવાઈ હોવાનું પોલીસનું અનુમાન છે. હાલમાં પોલીસે બન્નેના મૃતદેહને પીએમ માટે અમદાવાદ સિવિલમાં મોકલી આપ્યા છે. યુવક અને યુવતીની હત્યાને લઈને હાલમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જો કે પોલીસ તપાસ બાદ જ તેનું કારણ સામે આવશે.

ઘોર કળિયુગ! સુરતમાં 16 વર્ષના તરુણે લિફ્ટમાં 12 વર્ષની કિશોરીની કરી છેડતી
સુરત:- ડીંડોલી વિસ્તારમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 16 વર્ષના તરુણે 12 વર્ષની કિશોરીની છેડતી કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કિશોરી જ્યારે લિફ્ટ અંદર હતી ત્યારે આ સગીરે તેની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ કિશોરીએ આ ઘટનાની જાણ તેમના પિતાને કરતા સમગ્ર વાતનો ખુલાસો થયો હતો. કિશોરીના પિતાએ આ ઘટના અંગે પોલીસ ને જાણકારી આપી હતી ત્યાર બાદ પોલીસે 16 વર્ષીય કિશોરની અટકાયત કરી હતી. આટલી નાની ઉંમરે આવી હરકતો કરતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget