શોધખોળ કરો

Morbi Bridge Tragedy: મોરબી બ્રિજ દુર્ઘટનાનું 1 વર્ષ પૂર્ણ થવા પર ગાંધી આશ્રમથી CM નિવાસ સુધી થશે શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન

Morbi Bridge Tragedy: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટરો લાગ્યા છે.

Morbi Bridge Tragedy: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટરો લાગ્યા છે. તો બીજી તરફ અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ સુધી શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરાયું છે.
 
ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબી દ્વારા દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ડીજીપી અને અમદાવાદ કમિશનરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગત તા. 30-10-2022 ના રોજ ઝૂલતો પુલ દુર્ઘટના બની હતી જેમાં મૃત્યુ પામેલા પૈકી 122 મૃતકોના પરિવારજનો એસોસિએશન સાથે જોડાયેલા છે. કરુણ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પીડિત પરિવારોને ન્યાય ક્યારે મળશે તે પણ એક સવાલ છે. તમને જણાવી દઈએ કે, આ માનવસર્જિત દુર્ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે તેવી હૈયા ધારણા પણ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પરિવારોને આપી હતી.

ગત તાં 09-10-2023 ના રોજ સરકાર દ્વારા રચેલી સીટનો રિપોર્ટ હાઇકોર્ટમાં મુકાયો હતો. જેમા દુર્ઘટના માટે ઓરેવા કંપની, તેના ડાયરેકટર અને કર્મચારીઓ જ સંપૂર્ણ જવાબદાર દર્શાવવામાં આવ્યા છે જેથી આરોપીઓ સામેનો કેસ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવામાં આવે અને સખ્ત આજીવન કેદની સજા આપવામાં આવે ત્યારે જ અકાળે અવસાન પામેલા સ્વજનોના આત્માની શાંતિ મળશે.

દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે તાં 30 ના રોજ પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર સુધી 24 કિલોમીટર સુધીની શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શ્રદ્ધાંજલિ યાત્રા સવારે 6 કલાકે ગાંધી આશ્રમ અમદાવાદથી શરૂ થશે જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના 200 જેટલા પરિવારજનો જોડાશે.

તો દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૂર્તકોની તસવીર સાથેના બેનરો મોરબીમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે.  એક તરફ જયસુખ પટેલ માટે પાટીદાર આગેવાનો મેદાને પડ્યા છે તો હવે મૃતકોના પરિવારજનો ઓરેવા કંપનીના ડિરેકટરને સખ્ત આજીવન કેદની સજાની માંગ કરી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, લિલત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ નવા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Ahmedabad News: અમદાવાદના કાફેમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, Komo by Kaffaમાં ગાર્લિક બ્રેડમાંથી માખી નીકળ્યાનો આરોપ
Ahmedabad News: અમદાવાદના કાફેમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, Komo by Kaffaમાં ગાર્લિક બ્રેડમાંથી માખી નીકળ્યાનો આરોપ
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Gold Silver Price: સોનાની કિંમતમાં ઉછાળો, ચાંદી પણ ચમકી, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
Gold Silver Price: સોનાની કિંમતમાં ઉછાળો, ચાંદી પણ ચમકી, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
Jag Laadki: વધુ એક જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, 'જગ લાડકી' 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ આવ્યું
Jag Laadki: વધુ એક જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, 'જગ લાડકી' 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ આવ્યું
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ,
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ, "આ ક્ષણે પક્ષની સીમાઓ પાર કરીને, પરસ્પર આદર સાથે સહિયારી ભાવના જાગે છે"
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Assam Assembly Elections 2026: આસામમાં ચૂંટણી અગાઉ કોંગ્રેસને ઝટકો, ભાજપમાં સામેલ થયા પ્રદ્યુત બોરદોલોઈ
Assam Assembly Elections 2026: આસામમાં ચૂંટણી અગાઉ કોંગ્રેસને ઝટકો, ભાજપમાં સામેલ થયા પ્રદ્યુત બોરદોલોઈ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
Embed widget