શોધખોળ કરો

Morbi Bridge Tragedy: મોરબી બ્રિજ દુર્ઘટનાનું 1 વર્ષ પૂર્ણ થવા પર ગાંધી આશ્રમથી CM નિવાસ સુધી થશે શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન

Morbi Bridge Tragedy: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટરો લાગ્યા છે.

Morbi Bridge Tragedy: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટરો લાગ્યા છે. તો બીજી તરફ અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ સુધી શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરાયું છે.
 
ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબી દ્વારા દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ડીજીપી અને અમદાવાદ કમિશનરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગત તા. 30-10-2022 ના રોજ ઝૂલતો પુલ દુર્ઘટના બની હતી જેમાં મૃત્યુ પામેલા પૈકી 122 મૃતકોના પરિવારજનો એસોસિએશન સાથે જોડાયેલા છે. કરુણ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પીડિત પરિવારોને ન્યાય ક્યારે મળશે તે પણ એક સવાલ છે. તમને જણાવી દઈએ કે, આ માનવસર્જિત દુર્ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે તેવી હૈયા ધારણા પણ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પરિવારોને આપી હતી.

ગત તાં 09-10-2023 ના રોજ સરકાર દ્વારા રચેલી સીટનો રિપોર્ટ હાઇકોર્ટમાં મુકાયો હતો. જેમા દુર્ઘટના માટે ઓરેવા કંપની, તેના ડાયરેકટર અને કર્મચારીઓ જ સંપૂર્ણ જવાબદાર દર્શાવવામાં આવ્યા છે જેથી આરોપીઓ સામેનો કેસ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવામાં આવે અને સખ્ત આજીવન કેદની સજા આપવામાં આવે ત્યારે જ અકાળે અવસાન પામેલા સ્વજનોના આત્માની શાંતિ મળશે.

દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે તાં 30 ના રોજ પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર સુધી 24 કિલોમીટર સુધીની શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શ્રદ્ધાંજલિ યાત્રા સવારે 6 કલાકે ગાંધી આશ્રમ અમદાવાદથી શરૂ થશે જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના 200 જેટલા પરિવારજનો જોડાશે.

તો દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૂર્તકોની તસવીર સાથેના બેનરો મોરબીમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે.  એક તરફ જયસુખ પટેલ માટે પાટીદાર આગેવાનો મેદાને પડ્યા છે તો હવે મૃતકોના પરિવારજનો ઓરેવા કંપનીના ડિરેકટરને સખ્ત આજીવન કેદની સજાની માંગ કરી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, લિલત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ નવા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
'પેલેસ્ટિનિયનો પાસે નહીં હોય ગાઝા પટ્ટીમાં પરત ફરવાનો અધિકાર', સામે આવ્યો ટ્રમ્પનો પ્લાન
'પેલેસ્ટિનિયનો પાસે નહીં હોય ગાઝા પટ્ટીમાં પરત ફરવાનો અધિકાર', સામે આવ્યો ટ્રમ્પનો પ્લાન
Tarot Card Reading: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ આ 7 રાશિને રહેવું સાવધાન, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ
Tarot Card Reading: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ આ 7 રાશિને રહેવું સાવધાન, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch BJP Politics:પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરતા ભાજપે બે આગેવાનોને કર્યા સસ્પેન્ડ, જુઓ પોલિટિકલ ન્યૂઝHun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
'પેલેસ્ટિનિયનો પાસે નહીં હોય ગાઝા પટ્ટીમાં પરત ફરવાનો અધિકાર', સામે આવ્યો ટ્રમ્પનો પ્લાન
'પેલેસ્ટિનિયનો પાસે નહીં હોય ગાઝા પટ્ટીમાં પરત ફરવાનો અધિકાર', સામે આવ્યો ટ્રમ્પનો પ્લાન
Tarot Card Reading: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ આ 7 રાશિને રહેવું સાવધાન, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ
Tarot Card Reading: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ આ 7 રાશિને રહેવું સાવધાન, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Embed widget