શોધખોળ કરો

ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને લઈને સરકારનો મોટો નિર્ણય, હવે નાપાસ વિદ્યાર્થીઓનું નહીં બગડે વર્ષ

ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. અભ્યાસમાં અપવ્યય અને સ્થગિતતા ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

ગાંધીનગર: આજે પરિણામ જાહેર થયું છે જેની ઉજવણી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તો બીજી તરફ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. અભ્યાસમાં અપવ્યય અને સ્થગિતતા ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિધાર્થીઓનો શાળા કક્ષાએ રી-ટેસ્ટ લેવાશે. શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9 અને 11 વિધાર્થીઓની રી-ટેસ્ટ લેવાનો નિર્ણય તા.13/06/2022 ના રોજ શાળાઓ ખુલ્યા પછી લેવામાં આવશે. વિધાર્થી હિતમાં લેવાયેલા આ નિર્ણયથી વિધાર્થીઓના અભ્યાસનું કિંમતી 1 વર્ષ બચશે અને તેઓ રી-ટેસ્ટમાં પાસ થવાથી તણાવ વિના આગળના વર્ષમાં અભ્યાસ કરી શકશે.

 

 વડોદરા જિલ્લાના પરિણામે સૌને ચોંકાવ્યા

અમદાવાદ: આજે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડની વેબસાઈટ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા આવ્યું છે જ્યારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 76.49 ટકા આવ્યું છે. જો કેન્દ્રની વાત કરીએ તો સૌથી ઓછું પરિણામ ડભોઇ કેન્દ્રનું 56.43 ટકા આવ્યું છે. તો બીજી તરફ 100 ટકા પરિણામ લાવનાર 3 કેન્દ્ર છે જેમાં સુબીર, છાપી, અલારસાનો સમાવેશ થાય છે. 1 જ સ્કૂલનું 10 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ 4.56 ટકા વધારે આવ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ- 84.67 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થીનિઓનું- 89.23 ટકા પરિણામ આવ્યું છે.

વિદ્યાથિનીઓએ મારી બાજી, 86.91% પરિણામ જાહેર
ગુજરાત બોર્ડે આજે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આજે સવારે 8 વાગ્યે  gseb.org વેબ સાઇટ પર પરિણામ જાહેર થયું. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે.  ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 25 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓ 12માં ધોરણ સામાન્ય પ્રવાહમાં બાજી મારી છે. સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું રહ્યું. ગુજરાત બોર્ડ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ86.91 ટકા પરિણામ આવ્યું છે.  આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું.. આ વખતે ધોરણ 12 સાયન્સમાં 95,361 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સાયન્સનું 72 ટકા જાહેર થયું છે. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,306 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે ધોરણ 12 સાયન્સ ગુજરાતી માધ્યમનું પરિણામ 72. 4 ટકા આવ્યું  હતું. છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે 1,08,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

UPSCની તૈયારી કરી કલેકટર બનવા માગે છે દિવ્યાંગ વિદ્યાર્થી સ્મિત 

રાજકોટ: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ આવ્યું છે. A1 ગ્રેડમાં 402, A2 ગ્રેડમાં 2558, B1 ગ્રેડમાં 4166, B2 ગ્રેડમાં 4876 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોળકિયા સ્કૂલના ધોરણ 12ના દિવ્યાંગ વિદ્યાર્થી સ્મિત ચાંગેલા બોર્ડમાં ત્રીજો ક્રમ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે. સ્મિત ચાંગેલાએ 99.97 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જેમા 95 ટકા આવ્યા છે. તેમણે પરિણામ બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તે UPSCની તૈયારી કરી કલેકટર બનવા માગે છે. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થી સ્મિત વ્હીલ ચેરમાં સ્કૂલે. પહોચ્યો હતો અને સાથી મિત્રો સાથે પરિણામની ઉજવણી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
અમદાવાદમાં લવ જેહાદઃ લગ્ન માટે યુવક-યુવતી વકીલના વેશમાં આવ્યા, હિન્દુ સંગઠનોના હોબાળો
અમદાવાદમાં લવ જેહાદઃ લગ્ન માટે યુવક-યુવતી વકીલના વેશમાં આવ્યા, હિન્દુ સંગઠનોના હોબાળો
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget