શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
1 માર્ચથી સમાન્ય નાગરિકોને અપાશે રસી, અમદાવાદમાં 50 સેંટરો પર હાથ ધરાશે કામગીરી
રાજ્ય સરકાર મહાનગર પાલિકાઓને સરક્યુલર મોકલ્યા બાદ કેટલા વ્યકિતઓને વેક્સીન આપવી તે અંગે નિર્ણય કરવામાં આવશે.
![1 માર્ચથી સમાન્ય નાગરિકોને અપાશે રસી, અમદાવાદમાં 50 સેંટરો પર હાથ ધરાશે કામગીરી Vaccines will be given to ordinary citizens from March 1, operations will be carried out at 50 centers in Ahmedabad 1 માર્ચથી સમાન્ય નાગરિકોને અપાશે રસી, અમદાવાદમાં 50 સેંટરો પર હાથ ધરાશે કામગીરી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/02175252/corona-vaccine9.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
ફ્રન્ટલાઈન વર્કર્સ અને આરોગ્યો કર્મચારીઓ બાદ હવે સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવા માટેની તૈયારીઓ શરૂ થઈ છે. અમદાવાદમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે.
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં હેલ્થ વર્કર્સ, ફ્રંટ લાઈન વર્કર્સને હોસ્પિટલ પ્રશાસનમાં વેક્સીનેશન સેંટરમાં વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હવે શહેરના અલગ અલગ સેંટર પર સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે.
પ્રથમ તબક્કામાં અંદાજે 50 જેટલા સેંટરો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર મહાનગર પાલિકાઓને સરક્યુલર મોકલ્યા બાદ કેટલા વ્યકિતઓને વેક્સીન આપવી તે અંગે નિર્ણય કરવામાં આવશે.
અમદાવાદ મહાનગર પાલિકાની તૈયારીઓ અનુસાર જે 50 વર્ષથી ઉપરના અને અન્ય બિમારી ધરાવતા નાગરિકોનો સર્વે હાથ ધરાયો હતો. તે તમામ નાગરિકોને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)