શોધખોળ કરો

વર્લ્ડકપને લઇને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનો મોટો નિર્ણય, મેચના દિવસે રાત્રે આટલા વાગ્યા સુધી દોડશે મેટ્રો

World Cup 2023: અમદાવાદમાં વર્લ્ડકપની સૌપ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ રમાશે. અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પાંચ મેચ રમાવવાની છે

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આગામી પાંચ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. અમદાવાદમાં વર્લ્ડકપની સૌપ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ રમાશે. અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પાંચ મેચ રમાવવાની છે. સ્ટેડિયમમાં પહોંચવા માટે સૌથી સરળ ટ્રાન્સપોર્ટેશન તરીકે મેટ્રો રેલ છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્લ્ડકપની મેચના દિવસે રાતના એક વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવાશે. જેના માટે ફિક્સ 50ની પેપરની ટિકિટ લેવી પડશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચ રમાશે તે દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારે 6 વાગ્યાને 20 મિનિટથી રાત્રિના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6 વાગ્યાને 20 મિનિટથી રાત્રિના 10 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મીનિટના અંતરાલ પર કાર્યરત છે. જોકે જે દિવસે મેટ્રો મોડે સુધી દોડશે ત્યારે રાત્રિના 10 વાગ્યા બાદ ટિકિટના દરમાં વધારો થશે. વર્લ્ડ કપ ક્રિકેટ મેચના દિવસે મેટ્રો ટ્રેન સેવાઓ સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે. રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર ઉલ્લેખિત તારીખે રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે 50નાં નિશ્ચિત દરે ખરીદી શકાશે.

વર્લ્ડકપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ માટે પ્રશાસન તરફથી તમામ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહી છે.  મેદાનમાં પીચથી માંડીને બેઠક વ્યવસ્થા, સુરક્ષા, ખાણીપીણી સહિતની વ્યવસ્થાઓ પર પૂરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આજે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો પણ અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં 1996ના વર્લ્ડ કપના 27 વર્ષ બાદ ઉદ્ધાટન મેચનું આયોજન કરવામાં આવશે.  ગુરુવારે વર્લ્ડ કપની પ્રથમ મેચ ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાશે.

વર્લ્ડકપમાં ટિકિટની કાળાબજારી રોકવા માટે ગુજરાત ક્રિકેટ અસોસિયેશન (GCA)દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન બુકિંગ કરવાની સાથે ટિકિટની હાર્ડકોપી ફરજિયાત કરવામાં આવી છે. ઓનલાઈન ટિકિટની રિસિપ્ટની સાથે ફિઝિકલ ટિકિટ આપવામાં આવશે. સ્ટેડિયમ પરિસરમાંથી ઓફલાઈન ટિકિટ ઈશ્યુ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget