શોધખોળ કરો

ઉમરેઠમાં માત્ર 2 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ, કરજણ નદીના પ્રવાહમાં 2 બાળકો તણાયા

Gujarat Rain: આણંદ જિલ્લાના ઉમરેઠમાં આજે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. માત્ર બે કલાકમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ પડતાં શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન ખોરવાયું હતું.

Gujarat Rain: આણંદ જિલ્લાના ઉમરેઠમાં આજે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. માત્ર બે કલાકમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ પડતાં શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન ખોરવાયું હતું. ગઈકાલે પણ ઉમરેઠમાં ભારે વરસાદ થયો હતો, જ્યારે આજે પણ વરસાદનું જોર યથાવત રહ્યું છે.

ઉમરેઠના મુખ્ય વિસ્તારો જેવા કે ડાકોર-નડિયાદ રોડ, લાલ દરવાજા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. બોરસદમાં પણ છેલ્લા બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં પણ સારો વરસાદ પડ્યો છે.

ડેડીયાપાડામાં બે બાળકો નદીના પ્રવાહમાં તણાયા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ભારે વરસાદના કારણે કરજણ નદીમાં પૂર આવ્યું છે. આ પૂરના પ્રવાહમાં શિયાલી ગામના બે બાળકો તણાઈ જવાની ગમખ્વાર ઘટના બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે બપોરે 12 થી 1 વાગ્યાની આસપાસ શાળા છૂટ્યા બાદ બંને બાળકો, 13 વર્ષનો સોમકુમાર બિપિનભાઈ વસાવા અને 12 વર્ષનો અક્ષયકુમાર દિનેશભાઈ વસાવા, ખેતરે જતા હતા ત્યારે નદીનો પ્રવાહ અચાનક વધી જતા તેઓ તણાઈ ગયા હતા.

બાળકો તણાઈ જવાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા તેમને શોધવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સાંજ પડતા અંધારાને કારણે શોધખોળમાં મુશ્કેલી પડી હતી. આ ઘટનાની જાણ ગ્રામ પંચાયત દ્વારા ડેડીયાપાડા તંત્રને પત્ર લખીને કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

તંત્રએ સરપંચને જવાબ આપ્યો છે કે બાળકોની શોધખોળ માટે NDRFની ટીમ આવતીકાલે આવશે. ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી કરજણ નદીનો પ્રવાહ તેજ છે, જેના કારણે બાળકોનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 184 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 184 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓમાં 4 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવેનો પણ સમાવેશ થાય છે.

જિલ્લાવાર અસર

સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. તાપી જિલ્લામાં 40 રસ્તા બંધ થયા છે, જ્યારે સુરત જિલ્લામાં 32 રસ્તા બંધ થયા છે. આ ઉપરાંત, પોરબંદરમાં 28 અને નવસારી જિલ્લામાં 27 રસ્તાઓ પર અવરજવર બંધ છે. પંચાયત હસ્તકના 174 રસ્તાઓ અને રાજ્ય સરકાર હસ્તકના અન્ય ચાર રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર અટકી ગયો છે.

વાહનચાલકોને મુશ્કેલી

રાજ્યના મુખ્ય માર્ગો બંધ થવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જે લોકો કામ અર્થે કે અન્ય હેતુસર મુસાફરી કરી રહ્યા છે, તેમને લાંબા રૂટ લેવાની ફરજ પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેથી વાહનચાલકોને સાવચેતી રાખવા અને બંધ રસ્તાઓનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ફરીથી ખુલ્લા કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદ ચાલુ હોવાથી તેમાં વિલંબ થઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget