શોધખોળ કરો

જનતાની અદાલતમાં અરવિંદ કેજરીવાલ, “ મારા પાસે દિલ્લીમાં રહેવા માટે મકાન પણ નથી”

Arvind Kejriwal News: અરવિંદ કેજરીવાલે દિલ્હીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત 'જનતા કી અદાલત'માં ભાગ લઈને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

Arvind Kejriwal in Janta ki Adalat News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જંતર-મંતર ખાતે આયોજિત 'જનતા કી અદાલત'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

 અરવિંદ કેજરીવાલે ભાજપ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, "આ નેતાઓ (ભાજપ) કેસ અને મુકદ્દમાની પરવા કરતા નથી, તેમની ચામડી જાડી છે. જો કે, હું એવો નથી. હું નેતા નથી, મારી  જાડી ચામડી નથી. મને કોઇ ચોર અને ભ્રષ્ટ વ્યક્તિ કહે તો ફરક પડે છે, હું ખૂબ જ દુઃખી છું તેથી મેં રાજીનામું આપ્યું. મેં મારા જીવનમાં ફક્ત આદર અને પ્રામાણિકતા જ મેળવી છે. મારી પાસે મારી બેંકમાં પૈસા નથી."

'દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી'

સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, "10 વર્ષ પછી મેં સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પછી હું મુખ્યમંત્રી આવાસ પણ છોડી દઈશ. આજે મારી પાસે દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી."

 'જો હું બેઈમાન હોત તો બધા પૈસા ખાઈ ગયો હોત' - અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, "જો હું બેઈમાન હોત તો દિલ્હીને મફત વીજળી કેવી રીતે આપી શક્યો હોત? વીજળીનું બિલ મફતકરવા માટે 3,000 કરોડ રૂપિયા લાગે છે. જો હું બેઈમાન હોત તો હું દિલ્હીને મફત વીજળી કેવી રીતે આપી શક્યો હોત, હું પૈસા ખાઇ ગયો હોત તો  મહિલાઓ માટે શિક્ષણ, આરોગ્ય અને મફત મુસાફરીનું કામ કેવી રીતે કરી શક્યો હોત. તેમણે વધુમાં કહ્યું કે, 22 રાજ્યોમાં સરકાર છે પરંતુ ક્યાંક વીજળી મફત નથી, ક્યાંક મહિલાઓ માટે મુસાફરી મફત નથી, તો પછી ચોર કોણ છે?

 તમામ 70 વિધાનસભાઓમાં લોક દરબાર યોજાશે

નોંધનીય છે કે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બનાવેલી યોજનાઓ હેઠળ અરવિંદ કેજરીવાલ તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાં જનતા અદાલત યોજશે. કેજરીવાલે કહ્યું કે, અમે જનતાને સવાલ પણ પૂછીશું કે શું આમ આદમી પાર્ટીની સરકાર ઈમાનદાર સરકાર છે કે નહીં? તે એમ પણ પૂછશે કે લોકો તેને પ્રામાણિક માને છે કે નહીં?

 દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને 13 સપ્ટેમ્બરે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 15મી સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ 17મી સપ્ટેમ્બરે તેમણે સીએમ પદ છોડી દીધું હતું. AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જનતાની અદાલતમાં પ્રમાણિક સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ દિલ્હીમાં મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહિ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી, આ જિ્લ્લામાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain forecast : આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી, આ જિ્લ્લામાં રેડ એલર્ટ જાહેર
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Embed widget