શોધખોળ કરો

જનતાની અદાલતમાં અરવિંદ કેજરીવાલ, “ મારા પાસે દિલ્લીમાં રહેવા માટે મકાન પણ નથી”

Arvind Kejriwal News: અરવિંદ કેજરીવાલે દિલ્હીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત 'જનતા કી અદાલત'માં ભાગ લઈને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

Arvind Kejriwal in Janta ki Adalat News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જંતર-મંતર ખાતે આયોજિત 'જનતા કી અદાલત'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

 અરવિંદ કેજરીવાલે ભાજપ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, "આ નેતાઓ (ભાજપ) કેસ અને મુકદ્દમાની પરવા કરતા નથી, તેમની ચામડી જાડી છે. જો કે, હું એવો નથી. હું નેતા નથી, મારી  જાડી ચામડી નથી. મને કોઇ ચોર અને ભ્રષ્ટ વ્યક્તિ કહે તો ફરક પડે છે, હું ખૂબ જ દુઃખી છું તેથી મેં રાજીનામું આપ્યું. મેં મારા જીવનમાં ફક્ત આદર અને પ્રામાણિકતા જ મેળવી છે. મારી પાસે મારી બેંકમાં પૈસા નથી."

'દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી'

સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, "10 વર્ષ પછી મેં સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પછી હું મુખ્યમંત્રી આવાસ પણ છોડી દઈશ. આજે મારી પાસે દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી."

 'જો હું બેઈમાન હોત તો બધા પૈસા ખાઈ ગયો હોત' - અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, "જો હું બેઈમાન હોત તો દિલ્હીને મફત વીજળી કેવી રીતે આપી શક્યો હોત? વીજળીનું બિલ મફતકરવા માટે 3,000 કરોડ રૂપિયા લાગે છે. જો હું બેઈમાન હોત તો હું દિલ્હીને મફત વીજળી કેવી રીતે આપી શક્યો હોત, હું પૈસા ખાઇ ગયો હોત તો  મહિલાઓ માટે શિક્ષણ, આરોગ્ય અને મફત મુસાફરીનું કામ કેવી રીતે કરી શક્યો હોત. તેમણે વધુમાં કહ્યું કે, 22 રાજ્યોમાં સરકાર છે પરંતુ ક્યાંક વીજળી મફત નથી, ક્યાંક મહિલાઓ માટે મુસાફરી મફત નથી, તો પછી ચોર કોણ છે?

 તમામ 70 વિધાનસભાઓમાં લોક દરબાર યોજાશે

નોંધનીય છે કે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બનાવેલી યોજનાઓ હેઠળ અરવિંદ કેજરીવાલ તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાં જનતા અદાલત યોજશે. કેજરીવાલે કહ્યું કે, અમે જનતાને સવાલ પણ પૂછીશું કે શું આમ આદમી પાર્ટીની સરકાર ઈમાનદાર સરકાર છે કે નહીં? તે એમ પણ પૂછશે કે લોકો તેને પ્રામાણિક માને છે કે નહીં?

 દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને 13 સપ્ટેમ્બરે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 15મી સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ 17મી સપ્ટેમ્બરે તેમણે સીએમ પદ છોડી દીધું હતું. AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જનતાની અદાલતમાં પ્રમાણિક સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ દિલ્હીમાં મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહિ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી
દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી
‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન
‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન
દર મહિને માત્ર ₹55 જમા કરાવો અને મેળવો ₹3,000 નું પેન્શન! ઘડપણમાં સહારો બનશે આ સરકારી યોજના
દર મહિને માત્ર ₹55 જમા કરાવો અને મેળવો ₹3,000 નું પેન્શન! ઘડપણમાં સહારો બનશે આ સરકારી યોજના
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
Embed widget