શોધખોળ કરો

જનતાની અદાલતમાં અરવિંદ કેજરીવાલ, “ મારા પાસે દિલ્લીમાં રહેવા માટે મકાન પણ નથી”

Arvind Kejriwal News: અરવિંદ કેજરીવાલે દિલ્હીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત 'જનતા કી અદાલત'માં ભાગ લઈને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

Arvind Kejriwal in Janta ki Adalat News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જંતર-મંતર ખાતે આયોજિત 'જનતા કી અદાલત'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

 અરવિંદ કેજરીવાલે ભાજપ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, "આ નેતાઓ (ભાજપ) કેસ અને મુકદ્દમાની પરવા કરતા નથી, તેમની ચામડી જાડી છે. જો કે, હું એવો નથી. હું નેતા નથી, મારી  જાડી ચામડી નથી. મને કોઇ ચોર અને ભ્રષ્ટ વ્યક્તિ કહે તો ફરક પડે છે, હું ખૂબ જ દુઃખી છું તેથી મેં રાજીનામું આપ્યું. મેં મારા જીવનમાં ફક્ત આદર અને પ્રામાણિકતા જ મેળવી છે. મારી પાસે મારી બેંકમાં પૈસા નથી."

'દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી'

સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, "10 વર્ષ પછી મેં સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પછી હું મુખ્યમંત્રી આવાસ પણ છોડી દઈશ. આજે મારી પાસે દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી."

 'જો હું બેઈમાન હોત તો બધા પૈસા ખાઈ ગયો હોત' - અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, "જો હું બેઈમાન હોત તો દિલ્હીને મફત વીજળી કેવી રીતે આપી શક્યો હોત? વીજળીનું બિલ મફતકરવા માટે 3,000 કરોડ રૂપિયા લાગે છે. જો હું બેઈમાન હોત તો હું દિલ્હીને મફત વીજળી કેવી રીતે આપી શક્યો હોત, હું પૈસા ખાઇ ગયો હોત તો  મહિલાઓ માટે શિક્ષણ, આરોગ્ય અને મફત મુસાફરીનું કામ કેવી રીતે કરી શક્યો હોત. તેમણે વધુમાં કહ્યું કે, 22 રાજ્યોમાં સરકાર છે પરંતુ ક્યાંક વીજળી મફત નથી, ક્યાંક મહિલાઓ માટે મુસાફરી મફત નથી, તો પછી ચોર કોણ છે?

 તમામ 70 વિધાનસભાઓમાં લોક દરબાર યોજાશે

નોંધનીય છે કે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બનાવેલી યોજનાઓ હેઠળ અરવિંદ કેજરીવાલ તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાં જનતા અદાલત યોજશે. કેજરીવાલે કહ્યું કે, અમે જનતાને સવાલ પણ પૂછીશું કે શું આમ આદમી પાર્ટીની સરકાર ઈમાનદાર સરકાર છે કે નહીં? તે એમ પણ પૂછશે કે લોકો તેને પ્રામાણિક માને છે કે નહીં?

 દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને 13 સપ્ટેમ્બરે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 15મી સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ 17મી સપ્ટેમ્બરે તેમણે સીએમ પદ છોડી દીધું હતું. AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જનતાની અદાલતમાં પ્રમાણિક સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ દિલ્હીમાં મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહિ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
Embed widget