શોધખોળ કરો
અલાહાબાદમાં બીજેપીની કારોબારીમાં PM સહિત બીજેપીના દિગ્ગજ નેતા ઉપસ્થિત, યુપી ચુંટણીની રણનીતિ ઘડાશે

અલાહાબાદઃ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઇ ગઇ છે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ ઉપસ્થિત છે. પીએમ સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ મીટિંગમાં ઉપસ્થિત છે. બેઠકનું ઉદ્દઘાટન પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું. બેઠકમાં પક્ષના તમામ મોટા નેતાઓ ઉપસ્થિત છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલા આ મંથનમાં બીજા મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે. પરંતું મુખ્ય લક્ષ્ય યુપી ચુંટણી હશે. બે દિવસના આ મંથનના એજેન્ડામાં યુપી ચુંટણીની રણનીતિ તૈયાર કરવાની બાબત ટૉપ પર છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ આ વાતની સાબિતિ છે કે, પક્ષ માટે યુપી ચુંટણી કેટલી મહત્વની છે. લોકસભા ચુંટણીમાં પક્ષને 80 સીટોમાંથી 73 સીટ પર જીત મળી હતી. જેથી વિધાનસભામાં પણ જીત મેળવવાનો પુરતો પ્રયત્ન કરવામાં આવશે. પક્ષને લાગી રહ્યું છે કે, 14 વર્ષ બાદ સમય આવી ગયો છે કે, વનવાસ પુરો કરવામાં આવે. યુપીમાં ચુંટણીમાં બીજેપીને સૌથી વધુ માથાકુટ મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઇને થઇ રહી છે. આ પક્ષ માટે સૌથી મોટો પડકાર છે. જોકે રાજ્યમાંથી ઘણા બધા સ્વયંભૂ ઉમેદવારો સામે આવી રહ્યા છે. પરંતું સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, સાંસદ વરુણ ગાંધી, કેંદ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની, કેંદ્રીય પર્યટન મંત્રી મહેશ શર્મા, બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય મુખ્ય નામો છે. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સીએમ પદના ઉમેદવાર સિવય અન્ય મુદ્દા જેવા કે, યુપી ચુંટણીમાં પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને કાનુન વ્યવસ્થા જેવા મુદ્દા પર પણ ચર્ચા કરાશે. પ્રધાનમંત્રી સાથે પીએમઓના તમામ અધકિરાઓ પણ ઇલાહાબાદ પહોંચ્યા છે. તેના માટે ખાસ કાર્યલયના પણ બનાવામાં આવ્યો છે. જ્યાં કોમ્ય્યુટર અને ઇંટરનેટની સુવિધા છે. અધિકારીઓ આગલા બે દિવસ સુધી તમામ કામો અહીંથી કરશે. આ પીએમઓને યોગ દિવસ માટ ખાસ બનાવામાં આવેલા બેકડ્રૉપથી સણગારવામાં આવ્યું છે. પોસ્ટરમા પોસ્ટરમા સૂર્ય નમસ્કારની મુદ્રાઓ દર્શાવામાં આવી છે. તેની નજીક જ બીજેપી અધ્યક્ષ અમિત શાહનું કાર્યલય બનાવામાં આવ્યું છે. યુપી કાર્યકારિણીનો સોમવારનો કાર્યક્રમ યુપીના અલાહાબાદ ખાતે બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી છે. જેમા આવતી કાલે કાર્યકારિણીનો બીજો દિવસ છે, બીજા દિવસની કાર્યકારિણીની શરુઆત સવારે 8 કલાકથી થશે ત્યાર બાદ 10 કલાકે પ્રસ્તાવ-2 જ્યારે, પ્રસ્તાવ-3 11.45 કલાકે કાર્યકારણીમાં રજુ કરવામાં આવશે. જયારે બપોરે 12.30 કલાકે સંગઠનાત્મક વિષય પર ચર્ચા થશે જ્યારે 1 કલાકે કાર્યકારિણીમા ભાગ લેનાર બીજેપીના નેતાઓ ભોજન કરશે. બીજા દિવસની બીજુ સેશન 2.45 કલાકે શરુ થશે જેમા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ટુંકુ ભાષણ આપશે. જ્યારે વડાપ્રધાનનુ ઉદ્ધબોધન બપોરે 3.15 કલાકે શરુ થશે. જે એક કલાક ચાલશે ત્યાર બાદ રાષ્ટ્રગાન દ્વારા સાંજે 4.15 કલાકે બીજેપીની અલાહાબાદ ખાતેની રાષ્ટ્રીય કાર્યકારિણીનુ સમાપન થશે.
વધુ વાંચો






















