શોધખોળ કરો

ભાવનગરમાં સરકારી ચોખા ભરેલો ટ્રક બિનવારસી હાલતમાં ઝડપાયો, કરોડોના કૌભાંડની આશંકા

Bhavnagar News : થોડા દિવસ પહેલા જે ફેક્ટરીમાંથી સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો એજ ફેક્ટરીની બહારથી સરકારી ચોખા ભરેલો ટ્રક ઝડપાયો છે. જે અનેક પ્રશ્નો ઉભા કરે છે.

Bhavnagar :  સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા પરિવાર માટે બીપીએલ કાર્ડ અંતર્ગત રેશનિંગમાંથી ત્રણ રૂપિયે કિલો ચોખા મળતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રેશનિંગના અનાજનું   બારોબાર વેચાણ થતું હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે ભાવનગરમાં સરકારી ચોખા ભરેલો ટ્રક  બિનવારસી હાલતમાં ઝડપાતા  કરોડોના કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. શહેરના ચિત્રા GIDC વિસ્તારમાંથી આ ટ્રક ઝડપાયો હતો. સમગ્ર મામલો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉજાગર કર્યો હતો. 

રોડલાઇન્સના માલિકે શું ખુલાસો કર્યો? 
કુંભારવાડા FCI માંથી સરકારી અનાજનો જથ્થો ભરી નીકળેલો ટ્રક ચિત્રા જીઆઇડીસીમાં પહોંચી જતા પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જોકે આ ટ્રકના મલિક સુંદરમ રોડલાઈન્સના દ્વારા બચાવ કરતાં જણાવવામાં આવ્યું હતું કે રાત્રિના સમયે જે ટ્રકમાં સરકારી અનાજનો જથ્થો ભરેલો હતો એ ટ્રક ડ્રાઇવરને અજાણ્યા ત્રણ શખ્સોએ માર માર્યો હતો.  ત્યારબાદ કોઈ ઇસમોએ ટ્રકને ચિત્રા જીઆઇડીસીમાં લાવીને મૂકી દીધો હતો.  જોકે સમગ્ર મામલે તપાસનાં અંતે કૌભાંડ છે કે નહીં તે બહાર આવશે. 

ડી ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ 
રોડલાઈન્સના માલિકના જણાવ્યા મુજબ કોઇ અજાણ્યા ત્રણ ઈસમોએ ટ્રક ડ્રાઈવર ને કુંભારવાડા FCI ની બહારથી માર મારી ભગાડી મૂક્યો હતો અને ત્યાર બાદ ટ્રક ડ્રાઈવરે ટ્રકનાં માલિકને આ અંગે જાણ કરતાં ડી.ડિવિઝન પોલીસને સમગ્ર મામલો જણાવી માર માર્યા અંગેની અરજી કરાવી હતી ત્યારબાદ સરકારી બિનવારસીના અનાજના જથ્થા અંગે પુરવઠા વિભાગ અને બોરતળાવ ડી. ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

શું કહ્યું પ્રાંત અધિકારીએ ? 
બનાવ અંગે પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ પુરવઠા વિભાગ દ્વારા ટ્રકને કબજે લેવામાં આવ્યો છે અને પુરવઠા વિભાગ જેમને સરકારી અનાજ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમના નિવેદન અને ટ્રક ડ્રાઈવરનું નિવેદન સહિતની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે, સમગ્ર મામલે નવો વળાંક સામે આવતા ડી. ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મારફત તપાસ હાથ ધરવામાં આવી છે. 

થોડા દિવસ પહેલા જે ફેક્ટરીમાંથી સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો એજ ફેક્ટરીની બહારથી સરકારી ચોખા ભરેલો ટ્રક ઝડપાયો છે, જે અનેક પ્રશ્નો ઉભા કરે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Embed widget