શોધખોળ કરો

Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકાએ ખુદ મેયરની દુકાનને ફટકાર્યો દંડ , જાણો કારણ

ભાવનગર મહાનગરપાલિકાના મેયરને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે,  કારણ કે પોતાના વ્યવસાયની કેબીન ધરાવતા મનપાના મેયરની દુકાન બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના મેયરને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે,  કારણ કે પોતાના વ્યવસાયની કેબીન ધરાવતા મનપાના મેયરની દુકાન બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.  જેને લઈને ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર કાર્યવાહી કરીને ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. નિયમ દરેક માટે સરખો હોય છે જે ભાવનગરમાં સાબિત થયું છે. 

સમગ્ર અહેવાલ અનુસાર,  ભાવનગર શહેરનાં વડવા વાસણ ઘાટ વિસ્તારમાં મહાનગરપાલિકાના ચેકિંગ દરમિયાન ખુદ મેયરની વેલ્ડિંગની કેબિનની આજુબાજુ જ ગંદકી હોવાના કારણે મનપાએ તેમને દંડ ફટકાર્યો હતો. ભાવનગર શહેરના મેયર તરીકે જેની વરણી થઈ છે તે ભરતભાઈ બારડ વ્યવસાયે વેલ્ડીંગનું કામ કરે છે અને વડવા વિસ્તારમાં તેઓ વેલ્ડિંગની કેબિન ધરાવે છે. અધિકારીઓ દ્વારા ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટ પાસે આવેલી કેબિનો પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દંડ ફટકારવામાં આવ્યો હતો. 


Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકાએ ખુદ મેયરની દુકાનને ફટકાર્યો દંડ , જાણો કારણ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી અને સ્વચ્છતા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈ  વડવા વાસણઘાટ વિસ્તારમાં દબાણો હટાવવાની સાથે-સાથે ગંદકી કરતા લોકો સામે દંડ ફટકારીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન મેયરની કેબિન બહાર પણ ગંદકી હોવાને કારણે ભાવનગર મહાનગરપાલિકાએ દંડ ફટકાર્યો હતો. 

વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ ગુમાવી જિંદગી, એસિડ ગટગટાવી ટૂંકાવ્યું જીવન

ભાવનગર શહેરમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ  જીવ ગુમાવ્યો છે.  ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલી કૈલાસ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ બારૈયા નામના વ્યક્તિએ વ્યાજ ખોરોના ત્રાસથી એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે.  4 વર્ષ પહેલા 2 લાખ 80 હજાર રૂપિયા વ્યાજ પેટે લીધા હતા, જે રકમની 11 લાખ રૂપિયાની માંગ સાથે વ્યાજખોરે જમીન પણ  પચાવી પાડી હોવાની  ફરિયાદ કરી હતી.  આ ઘટના બાદ હોઈદડ ગામના વ્યાજખોર પિતા અને પુત્ર સામત ભાઈ ખરગસીયા અને જેયશ ખરગસીયા વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી છે.  ભાવનગરમાં કાયદાના  ડર વગર બેફામ રીતે  વ્યાજખોરો પઠાણી વસૂલી કરતા હોય તેવા કિસ્સા છાશવારે બની રહ્યાં છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.               

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget