શોધખોળ કરો

Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકાએ ખુદ મેયરની દુકાનને ફટકાર્યો દંડ , જાણો કારણ

ભાવનગર મહાનગરપાલિકાના મેયરને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે,  કારણ કે પોતાના વ્યવસાયની કેબીન ધરાવતા મનપાના મેયરની દુકાન બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના મેયરને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે,  કારણ કે પોતાના વ્યવસાયની કેબીન ધરાવતા મનપાના મેયરની દુકાન બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.  જેને લઈને ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર કાર્યવાહી કરીને ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. નિયમ દરેક માટે સરખો હોય છે જે ભાવનગરમાં સાબિત થયું છે. 

સમગ્ર અહેવાલ અનુસાર,  ભાવનગર શહેરનાં વડવા વાસણ ઘાટ વિસ્તારમાં મહાનગરપાલિકાના ચેકિંગ દરમિયાન ખુદ મેયરની વેલ્ડિંગની કેબિનની આજુબાજુ જ ગંદકી હોવાના કારણે મનપાએ તેમને દંડ ફટકાર્યો હતો. ભાવનગર શહેરના મેયર તરીકે જેની વરણી થઈ છે તે ભરતભાઈ બારડ વ્યવસાયે વેલ્ડીંગનું કામ કરે છે અને વડવા વિસ્તારમાં તેઓ વેલ્ડિંગની કેબિન ધરાવે છે. અધિકારીઓ દ્વારા ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટ પાસે આવેલી કેબિનો પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દંડ ફટકારવામાં આવ્યો હતો. 


Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકાએ ખુદ મેયરની દુકાનને ફટકાર્યો દંડ , જાણો કારણ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી અને સ્વચ્છતા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈ  વડવા વાસણઘાટ વિસ્તારમાં દબાણો હટાવવાની સાથે-સાથે ગંદકી કરતા લોકો સામે દંડ ફટકારીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન મેયરની કેબિન બહાર પણ ગંદકી હોવાને કારણે ભાવનગર મહાનગરપાલિકાએ દંડ ફટકાર્યો હતો. 

વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ ગુમાવી જિંદગી, એસિડ ગટગટાવી ટૂંકાવ્યું જીવન

ભાવનગર શહેરમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ  જીવ ગુમાવ્યો છે.  ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલી કૈલાસ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ બારૈયા નામના વ્યક્તિએ વ્યાજ ખોરોના ત્રાસથી એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે.  4 વર્ષ પહેલા 2 લાખ 80 હજાર રૂપિયા વ્યાજ પેટે લીધા હતા, જે રકમની 11 લાખ રૂપિયાની માંગ સાથે વ્યાજખોરે જમીન પણ  પચાવી પાડી હોવાની  ફરિયાદ કરી હતી.  આ ઘટના બાદ હોઈદડ ગામના વ્યાજખોર પિતા અને પુત્ર સામત ભાઈ ખરગસીયા અને જેયશ ખરગસીયા વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી છે.  ભાવનગરમાં કાયદાના  ડર વગર બેફામ રીતે  વ્યાજખોરો પઠાણી વસૂલી કરતા હોય તેવા કિસ્સા છાશવારે બની રહ્યાં છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.               

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget