શોધખોળ કરો
Coronavirus: સૌરાષ્ટ્રના કયા મોટા જિલ્લામાં આજે કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો?
રાજ્યમાં આજે કુલ 993 દર્દી સાજા થયા હતા અને 51,789 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 65,19,943 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભાવનગરઃ રાજ્યમાં કોવિડ-19ના નવા 971 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3768 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,313 એક્ટિવ કેસ છે, જ્યારે 1,65,589 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,249 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,81,670 પર પહોંચી છે. આજે સૌથી ઓછા કેસ ભાવનગરમાં નોંધાયા હતા. ભાવનગરમાં 1 કેસ નોંધાયો હતો અને 6 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે નવસારીમાં 2, છોટા ઉદેપુરમાં 3, વલસાડ અને આણંદમાં 4-4, તાપીમાં 5, દેવભૂમિ દ્વારકા-બોટાદ-ભરૂચમાં 6-6, ગીર સોમનાથ અને ભાવનગર કોર્પોરેશનમાં 7-7 કેસ નોંધાયા હતા. નવસારીમાં 2, છોટા ઉદેપુરમાં 2, આણંદમાં 16, તાપીમાં 5, બોટાદમાં 2, ભરૂચમાં 9, ગીર સોમનાથામાં 7 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. વલસાડ, દેવભૂમિ દ્વારકા અને ભાવનગર કોર્પોરેશનમાં એક પણ લોકોને ડિસ્ચાર્જ નહોતા કરાયા. રાજ્યમાં આજે કુલ 993 દર્દી સાજા થયા હતા અને 51,789 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 65,19,943 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















