શોધખોળ કરો

Bhavnagar: જાણો ગુજરાતના આ શહેરના લોકો જયશ્રી રામના નારા સાથે કેમ ઉતર્યા રસ્તા પર, હિન્દુ સંગઠનોએ સરકારને આપી આંદોલનની ચીમકી

ભાવનગર: શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ વધુ બુલંદ બની છે. વિવિધ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો એકઠા થઈને જય શ્રી રામના સૂત્રધાર સાથે વિરોધ કરી રહ્યા છે.

ભાવનગર: શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ વધુ બુલંદ બની છે. વિવિધ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો એકઠા થઈને જય શ્રી રામના સૂત્રધાર સાથે વિરોધ કરી રહ્યા છે. એક દાયકા જૂની માંગ સરકાર દ્વારા સ્વીકારમાં ન આવતા શહેરીજનોએ જાતે જ અનેક વિસ્તારમાં સ્વેચ્છિક હિન્દુ સોસાયટીઓ જાહેર કરી દીધી છે અને વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આગામી દિવસોમાં સરકાર અશાંત ધારાની માંગ સ્વીકારશે નહીં તો હિન્દુ સંગઠનો આંદોલનનો માર્ગ અપનાવશે.

ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં હિન્દુ સોસાયટીમાં વિધર્મીઓના પગ પેસારાને લઇ ફરી એક વખત અશાંતધારાની માંગ બુલંદ બની છે. ગઈકાલે ગીતા ચોક વિસ્તારના સ્થાનિક હિન્દુ લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. સાથે જ મશાલ રેલી પણ કાઢવામાં આવી હતી અને સરકારને વહેલામાં વહેલી તકે ભાવનગરના મોટાભાગના વિસ્તારમાં ડિસ્ટર્બ એરિયા એક્ટ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે ભાવનગરમાં અશાંત તારાની માંગ આજકાલથી નહીં પરંતુ એક દાયકાથી ચાલી રહી છે પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા આ વાતને સ્વીકારવામાં નહીં આવતા વારંવાર હિન્દુ સંગઠનના લોકો સરકાર સામે મોરચો માંડે છે અને અશાંત ધારો લાગુ કરવા માટીની માંગ મૂકી રહ્યા છે.

અગાઉ પણ વિવિધ વિસ્તારમાં હિન્દુ સંગઠન દ્વારા હિન્દુ સોસાયટી જાહેર કરીને વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં શહેરના ગીતા ચોક વડવા વિસ્તાર ઘોઘા સર્કલ, નીલમબાગ, જવેલર્સ સર્કલ તેમજ બોરતળાવ વિસ્તારમાં બોર્ડ અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ અનેક વિસ્તારમાં જય શ્રી રામના નામની ધ્વજા પણ લગાવીને હિન્દુ સોસાયટી તરીકે જાહેર કરી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં ડિસ્ટર્બ એરિયા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ભાવનગરની માંગ પણ એક દાયકા જૂની છે. જેના અનેક એવિડન્સ સાથે અને રજૂઆતો દ્વારા રાજ્યના ગૃહ મંત્રી, મુખ્યમંત્રી પત્ર લખીને પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. શહેરમાં કોમી એખલાસ્તા જળવાઈ રહે માટે ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવો જરૂરી બન્યો છે.

શહેરના અનેક વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ સોસાયટીમાં ઉચા ભાવે મિલકત ખરીદીને પગપેસારો કરવામાં આવી રહ્યો છે તેવી પણ ફરિયાદ થઈ રહી છે. અનેક હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા માસ- મચ્છી- મટન રોડ પર ફગાવી શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવતા વિવિધ વિસ્તારના લોકોએ અશાંત ધારો લાગુ કરવા માટેનો મોરચો સરકાર સામે માંડી દીધો છે. આગામી બે દિવસમાં વિવિધ હિન્દુ સંગઠનો ભેગા મળીને સરકાર સામે રણનીતિ ઘડશે અને ત્યારબાદ અશાંત ધારો લાગુ કરવાની માંગ મુકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget