શોધખોળ કરો

Bhavnagar: જાણો ગુજરાતના આ શહેરના લોકો જયશ્રી રામના નારા સાથે કેમ ઉતર્યા રસ્તા પર, હિન્દુ સંગઠનોએ સરકારને આપી આંદોલનની ચીમકી

ભાવનગર: શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ વધુ બુલંદ બની છે. વિવિધ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો એકઠા થઈને જય શ્રી રામના સૂત્રધાર સાથે વિરોધ કરી રહ્યા છે.

ભાવનગર: શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ વધુ બુલંદ બની છે. વિવિધ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો એકઠા થઈને જય શ્રી રામના સૂત્રધાર સાથે વિરોધ કરી રહ્યા છે. એક દાયકા જૂની માંગ સરકાર દ્વારા સ્વીકારમાં ન આવતા શહેરીજનોએ જાતે જ અનેક વિસ્તારમાં સ્વેચ્છિક હિન્દુ સોસાયટીઓ જાહેર કરી દીધી છે અને વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આગામી દિવસોમાં સરકાર અશાંત ધારાની માંગ સ્વીકારશે નહીં તો હિન્દુ સંગઠનો આંદોલનનો માર્ગ અપનાવશે.

ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં હિન્દુ સોસાયટીમાં વિધર્મીઓના પગ પેસારાને લઇ ફરી એક વખત અશાંતધારાની માંગ બુલંદ બની છે. ગઈકાલે ગીતા ચોક વિસ્તારના સ્થાનિક હિન્દુ લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. સાથે જ મશાલ રેલી પણ કાઢવામાં આવી હતી અને સરકારને વહેલામાં વહેલી તકે ભાવનગરના મોટાભાગના વિસ્તારમાં ડિસ્ટર્બ એરિયા એક્ટ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે ભાવનગરમાં અશાંત તારાની માંગ આજકાલથી નહીં પરંતુ એક દાયકાથી ચાલી રહી છે પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા આ વાતને સ્વીકારવામાં નહીં આવતા વારંવાર હિન્દુ સંગઠનના લોકો સરકાર સામે મોરચો માંડે છે અને અશાંત ધારો લાગુ કરવા માટીની માંગ મૂકી રહ્યા છે.

અગાઉ પણ વિવિધ વિસ્તારમાં હિન્દુ સંગઠન દ્વારા હિન્દુ સોસાયટી જાહેર કરીને વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં શહેરના ગીતા ચોક વડવા વિસ્તાર ઘોઘા સર્કલ, નીલમબાગ, જવેલર્સ સર્કલ તેમજ બોરતળાવ વિસ્તારમાં બોર્ડ અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ અનેક વિસ્તારમાં જય શ્રી રામના નામની ધ્વજા પણ લગાવીને હિન્દુ સોસાયટી તરીકે જાહેર કરી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં ડિસ્ટર્બ એરિયા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ભાવનગરની માંગ પણ એક દાયકા જૂની છે. જેના અનેક એવિડન્સ સાથે અને રજૂઆતો દ્વારા રાજ્યના ગૃહ મંત્રી, મુખ્યમંત્રી પત્ર લખીને પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. શહેરમાં કોમી એખલાસ્તા જળવાઈ રહે માટે ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવો જરૂરી બન્યો છે.

શહેરના અનેક વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ સોસાયટીમાં ઉચા ભાવે મિલકત ખરીદીને પગપેસારો કરવામાં આવી રહ્યો છે તેવી પણ ફરિયાદ થઈ રહી છે. અનેક હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા માસ- મચ્છી- મટન રોડ પર ફગાવી શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવતા વિવિધ વિસ્તારના લોકોએ અશાંત ધારો લાગુ કરવા માટેનો મોરચો સરકાર સામે માંડી દીધો છે. આગામી બે દિવસમાં વિવિધ હિન્દુ સંગઠનો ભેગા મળીને સરકાર સામે રણનીતિ ઘડશે અને ત્યારબાદ અશાંત ધારો લાગુ કરવાની માંગ મુકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget