શોધખોળ કરો

Road Accident: યૂપીના બહરાઇચમાં ભયંકર બસ અકસ્માત, 6નાં મોત, 15 ઘાયલ, રોડ પર સર્જાયા હૃદયદ્વારક દ્ર્શ્યો

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Road Accident:ઉત્તર પ્રદેશના બહરાઈચમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

બહરાઈચ-લખનૌ હાઈવે પર જરવાલ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘાઘરા ઘાટ પાસે બુધવારે સવારે મુસાફરોથી ભરેલી એક રોડવેઝ બસને અકસ્માત નડ્યો હતો. ટ્રકે રોડવેઝની બસને ટક્કર મારી હતી. આ અથડામણમાં રોડવેઝ પર સવાર છ મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, બુધવારે સવારે બહરાઈચ-લખનૌ હાઈવે પર જરવાલ રોડના ઘાઘરાઘાટ સ્ટેશન પાસે જયપુરથી બહરાઈચ આવી રહેલી ઈદગાહ ડેપોની બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બસનો પાછળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. તો  15 થી વધુ લોકો ઘાયલ થયા છે.

મૃત્યુઆંક વધી શકે છે

એક ભયાનક માર્ગ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત 6 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં 15 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી અડધો ડઝન લોકોની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. દિનેશ ચંદ્રાનું કહેવું છે કે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. જેમાં જયપુરથી આવી રહેલી ઇદગાહ ડેપોની બસમાં મુસાફરી કરી રહેલા છ લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. પોલીસ કર્મચારીઓએ તમામને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તમામ અધિકારીઓને ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે.

અકસ્માતમાં ત્રણ મૃતકોની ઓળખ

અકસ્માતમાં અજીત વિશ્વાસ (27) પુત્ર અતુલ વિશ્વાસ નિવાસી બર્ધમાન પશ્ચિમ બંગાળ, વિપિન શુક્લા (21) પુત્ર અરુણ શુક્લા નિવાસી મરોચા ડોકરી પોલીસ સ્ટેશન બોન્ડી (18) પુત્ર શફીક નિવાસી મકરાણા રાજસ્થાનના હોવાની  ઓળખ થઈ છે. તે જ સમયે, ત્રણ મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી.

Vikram Kirloskar Death: ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું નિધન

Vikram Kirloskar Death:  ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું નિધન થયું છે. તેઓ 64 વર્ષના હતા. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું.

આજે થશે અંતિમ સંસ્કાર

જે (બુધવાર) બપોરે 1 વાગ્યે બેંગલુરુના હેબ્બલ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું અકાળે અવસાન થયું છે. આ માહિતી આપતા અમને ખૂબ જ દુઃખ થાય છે. દુઃખની આ ઘડીમાં અમે દરેકને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ

બાયોકોનના કિરણ મઝુમદારે વ્યક્ત કર્યુ દુઃખ

News Reels

 

બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તે વિક્રમના આઘાતજનક અવસાનથી આઘાતમાં છે. તે આવા પ્રિય અને સાચા મિત્ર હતા જેને હું ખૂબ જ યાદ કરીશ. હું તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

વિક્રમ કિર્લોસ્કર તાજેતરમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણ કહ્યું હતું કે ભારતીય ઓટો ઉદ્યોગને વિશ્વ સ્તર પર વધારે પ્રતિસ્પર્ધી બનાવા અને અર્થતંત્રને લાભ પહોંચાડવાની સાથે વધુ રોજગારી આપવા 10 વર્ષમાં ઓટોમોબાઇલ પર ટેક્સ અડધો કરવાના રોડમેપ પર વિચાર કરવો પડશે.

આ રીતે કંપનીમાં થયા હતા સામેલ

રિપોર્ટ્સ મુજબ 1888માં લક્ષ્મણરાવ કિર્લોસ્કર દ્વારા સ્થાપિત ગ્રુપની ચોથી પેઢીના સભ્ય વિક્રમ કિર્લોસ્કર કોલેજ બાદ પુણેમાં કિર્લોસ્કર કમિંસમાં પ્રોડક્શન એન્જિનિયરિંગમાં ટ્રેઇની તરીકે સામેલ થયા હતા.

વિદેશમાં સ્નાતકનો અભ્યાસ

વિક્રમ કિર્લોસ્કરે મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે 1997માં જાપાનની ટોયોટા મોટર કોર્પને ભારતમાં લાવવા મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી.

આજે ભરણા માટે ખુલશે આ આઈપીઓ

આજથી રોકાણકારોને શેરબજારમાં કમાણી કરવાની વધુ એક તક મળવા જઈ રહી છે. યુનિપાર્ટ્સ ઇન્ડિયા, એન્જિનિયરિંગ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની, તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સાથે આવી રહી છે. Uniparts Indiaનો IPO આજથી રિટેલ છૂટક રોકાણકારો માટે ખુલશે. યુનિપાર્ટ્સ ઇન્ડિયાના શેર આજે ગ્રે માર્કેટમાં રૂ. 80 (GMP)ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. કંપનીના શેર સોમવાર, 12 ડિસેમ્બર, 2022 ના રોજ સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લિસ્ટ થવાની અપેક્ષા છે. આઈપીઓ આજથી ભરણાં માટે ખુલશે અને 2 ડિસેમ્બરે સુધી તેમાં બોલી લગાવી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Embed widget