શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રાજકારણ, ભાજપે કહ્યું, “પત્ની અથવા પુત્રને સોંપે સત્તા, આ રીતે ક્યાં સુધી ચાલશે”

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે બીમાર છે ત્યાં સુધી તેમણે મુખ્યમંત્રીની ખુરશી એવા વ્યક્તિને સોંપવી જોઈએ જેના પર તેઓ વિશ્વાસ કરતા હોય.

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે બીમાર છે ત્યાં સુધી તેમણે મુખ્યમંત્રીની ખુરશી એવા વ્યક્તિને સોંપવી જોઈએ જેના પર તેઓ વિશ્વાસ કરતા હોય.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ છેલ્લા 45 દિવસથી કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો નથી અને ન તો ઓફિસમાં આવી રહ્યા છે. વાસ્તવમાં, તેમને ભૂતકાળમાં ગળાનું ઓપરેશન થયું હતું,  મુખ્યમંત્રી દોઢ મહિનાથી વધુ સમય સુધી ઓફિસમાં ન આવ્યા બાદ મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમનો હવાલો અન્ય કોઈને સોંપવો જોઈએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન તેમની ગેરહાજરીને યોગ્ય ગણવામાં આવશે નહીં. પાટીલે વધુમાં કહ્યું કે જો ઉદ્ધવને કોંગ્રેસ અને એનસીપીમાં વિશ્વાસ ન હોય તો રાજ્ય મંત્રી અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેને હવાલો સોંપો. પાટીલે કહ્યું કે આવું કામ ક્યાં સુધી ચાલશે, કારણ કે મુખ્યમંત્રી વગર વહીવટ ચાલી શકે નહીં, દરેક કામ માટે સીએમની જરૂર છે. , આવી સ્થિતિમાં અન્ય કોઈએ આ ચાર્જ સોંપવો જોઈએ. પાટીલે કહ્યું કે, યોગ્ય રહેશે જો તે  આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવે.

આદિત્ય ઠાકરેએ જવાબ આપ્યો

, મુખ્યમંત્રી ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરેએ પાટીલના નિવેદનો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે મારા પિતા સંપૂર્ણ સ્વસ્થ છે અને થોડા દિવસોમાં કામ પર પાછા આવશે. તેમણે પાટીલના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું હતું.

રામદાસ આઠવલેએ જવાબ આપ્યો

આ સાથે જ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ ચંદ્રકાંત પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો સીએમ ઉદ્ધવની તબિયત સારી નથી અને જો કોઈ બીજાને મુખ્યમંત્રી બનાવવો હોય તો દેવેન્દ્ર ફડણવીસને બનાવો. ભાજપ અને શિવસેનાની અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા અહી એકસાથે આવી શકે છે.

એનસીપીએ પાટિલ પર હુમલો કર્યો

અહીં ચંદ્રકાંત પાટીલના નિવેદન પર એનસીપી સાંસદ ફૌજિયા ખાને કહ્યું કે, પાટીલે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આખરે તેઓ કેવી રીતે નક્કી કરશે કે કોણ સીએમ બનશે કે કોણ નહીં? તે ઉદ્ધવની ઈચ્છા પર છે.

સર્વાઇકલ સ્પાઇન સર્જરી બાદ ઉદ્ધવ સ્વસ્થ થઈ રહ્યા છે

સીએમ ઉદ્ધવ ઠાકરે સર્વાઇકલ સ્પાઇન સર્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે, જેના માટે તેમને લગભગ 21 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. મંગળવારે, ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી અને સત્રની પૂર્વસંધ્યાએ ધારાસભ્યો ટી પાર્ટીમાં હાજર રહ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget