શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રાજકારણ, ભાજપે કહ્યું, “પત્ની અથવા પુત્રને સોંપે સત્તા, આ રીતે ક્યાં સુધી ચાલશે”

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે બીમાર છે ત્યાં સુધી તેમણે મુખ્યમંત્રીની ખુરશી એવા વ્યક્તિને સોંપવી જોઈએ જેના પર તેઓ વિશ્વાસ કરતા હોય.

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે બીમાર છે ત્યાં સુધી તેમણે મુખ્યમંત્રીની ખુરશી એવા વ્યક્તિને સોંપવી જોઈએ જેના પર તેઓ વિશ્વાસ કરતા હોય.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ છેલ્લા 45 દિવસથી કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો નથી અને ન તો ઓફિસમાં આવી રહ્યા છે. વાસ્તવમાં, તેમને ભૂતકાળમાં ગળાનું ઓપરેશન થયું હતું,  મુખ્યમંત્રી દોઢ મહિનાથી વધુ સમય સુધી ઓફિસમાં ન આવ્યા બાદ મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમનો હવાલો અન્ય કોઈને સોંપવો જોઈએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન તેમની ગેરહાજરીને યોગ્ય ગણવામાં આવશે નહીં. પાટીલે વધુમાં કહ્યું કે જો ઉદ્ધવને કોંગ્રેસ અને એનસીપીમાં વિશ્વાસ ન હોય તો રાજ્ય મંત્રી અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેને હવાલો સોંપો. પાટીલે કહ્યું કે આવું કામ ક્યાં સુધી ચાલશે, કારણ કે મુખ્યમંત્રી વગર વહીવટ ચાલી શકે નહીં, દરેક કામ માટે સીએમની જરૂર છે. , આવી સ્થિતિમાં અન્ય કોઈએ આ ચાર્જ સોંપવો જોઈએ. પાટીલે કહ્યું કે, યોગ્ય રહેશે જો તે  આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવે.

આદિત્ય ઠાકરેએ જવાબ આપ્યો

, મુખ્યમંત્રી ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરેએ પાટીલના નિવેદનો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે મારા પિતા સંપૂર્ણ સ્વસ્થ છે અને થોડા દિવસોમાં કામ પર પાછા આવશે. તેમણે પાટીલના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું હતું.

રામદાસ આઠવલેએ જવાબ આપ્યો

આ સાથે જ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ ચંદ્રકાંત પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો સીએમ ઉદ્ધવની તબિયત સારી નથી અને જો કોઈ બીજાને મુખ્યમંત્રી બનાવવો હોય તો દેવેન્દ્ર ફડણવીસને બનાવો. ભાજપ અને શિવસેનાની અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા અહી એકસાથે આવી શકે છે.

એનસીપીએ પાટિલ પર હુમલો કર્યો

અહીં ચંદ્રકાંત પાટીલના નિવેદન પર એનસીપી સાંસદ ફૌજિયા ખાને કહ્યું કે, પાટીલે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આખરે તેઓ કેવી રીતે નક્કી કરશે કે કોણ સીએમ બનશે કે કોણ નહીં? તે ઉદ્ધવની ઈચ્છા પર છે.

સર્વાઇકલ સ્પાઇન સર્જરી બાદ ઉદ્ધવ સ્વસ્થ થઈ રહ્યા છે

સીએમ ઉદ્ધવ ઠાકરે સર્વાઇકલ સ્પાઇન સર્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે, જેના માટે તેમને લગભગ 21 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. મંગળવારે, ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી અને સત્રની પૂર્વસંધ્યાએ ધારાસભ્યો ટી પાર્ટીમાં હાજર રહ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
SBI માં 444 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો પાકતી મુદતે કેટલી રકમ મળશે? જાણો ગણતરી
SBI માં 444 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો પાકતી મુદતે કેટલી રકમ મળશે? જાણો ગણતરી

વિડિઓઝ

Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget