શોધખોળ કરો

Amazon Layoffs: એમેઝોન તેના અધધ કર્મચારીઓની કરશે છંટણી, આંકડો જાણી આંખો ફાટી જશે

કમ્પ્યુટરવર્લ્ડે પોતાના રિપોર્ટમાં આ બાબતનો વર્તારો વ્યક્ત કર્યો છે. આ અગાઉ નવેમ્બર મહિનાની શરૂઆતમાં એક રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે, એમેઝોન તેના 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે.

Amazon Layoffs Update: દુનિયાની સૌથી મોટી ઈ કોમર્સ કંપની એમેઝોનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. એમેઝોન તેના વિવિધ વિભાગોમાંથી લગભગ 20,000 લોકોને છૂટા કરી શકે છે. ગ્રેડ 1 થી ગ્રેડ 7 સુધીના તમામ સ્તરના કર્મચારીઓને આ છટણીની અસર થશે. 

કમ્પ્યુટરવર્લ્ડે પોતાના રિપોર્ટમાં આ બાબતનો વર્તારો વ્યક્ત કર્યો છે. આ અગાઉ નવેમ્બર મહિનાની શરૂઆતમાં એક રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે, એમેઝોન તેના 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી દુનિયાની મોટા ગજાની કંપનીઓ તેના કર્મચારીઓની છટણી કરવા જઈ રહી હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. તેમાં એમેઝોનનું નામ પણ મોખરે છે. અમેઝોને છંટણી કરવાના પ્લાન રૂપે તેના મેનેજરોને કર્મચારીઓના પ્રદર્શનમાં રહેલી ખામીઓની તપાસ કરવા કહ્યું છે. એમેઝોનના સમગ્ર વિશ્વમાં 1.5 મિલિયન કર્મચારીઓ છે. તેમાંથી અમેઝોન તેના 20,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું હોવાના અહેવાલ છે. આ સંખ્યા તેના કુલ કર્મચારીઓના 1.3 ટકા હશે. જે કર્મચારીઓની છટણી કરવામાં આવશે તેમને 24 કલાકની નોટિસ અને સેવેરંસ પગાર આપવામાં આવશે. એમેઝોનના ઈતિહાસમાં આ ચોથી સૌથી મોટી છટણી હશે.

એક સ્ત્રોતે  જણાવ્યું હતું કે, છટણી માટે કોઈ ચોક્કસ વિભાગ અથવા સ્થાન પસંદ કરવામાં આવ્યું નથી. પરંતુ આખા વર્ટિકલ્સમાં છંટણી થશે. કોરોના મહામારી દરમિયાન કંપનીએ વધુ પડતી હાયરિંગ કરી હતી. કંપનીની આવક સતત ઘટી રહી હતી જેના કારણે છટણીની જરૂર પડી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 17 નવેમ્બરના રોજ એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું હતું કે, કંપની કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે આ છટણીથી કેટલા લોકોને અસર થશે.

એન્ડી જેસીએ કહ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં પડકારજનક સ્થિતિ યથાવત છે, જેના કારણે આ વર્ષ મુશ્કેલ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે જબરદસ્ત હાયરિંગ કર્યું હતું. 30 નવેમ્બરના રોજ, એનવાયટી ડીલબુક સમિટમાં, એન્ડી જેસીએ છટણીનો બચાવ કરતા કહ્યું કે કંપની માટે ખર્ચમાં ઘટાડો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget