શોધખોળ કરો

Bikaji Foods IPO: Bikaji Foods નો IPO આજથી ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ અને અન્ય ડિટેઇલ્સ?

બિકાજી ફૂડ્સના રોકાણકારોએ તેના IPOમાં ઓછામાં ઓછા 50 શેર માટે બિડ કરવી પડશે

Bikaji Foods IPO: નમકી અને મીઠાઈ બનાવતી કંપની બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ લિમિટેડનો આઈપીઓ આજથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આઇપીઓ ગુરુવાર, 3 નવેમ્બર, 2022ના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને સોમવાર, નવેમ્બર 7, 2022ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ રૂ. 285 -300ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ આ ઇશ્યૂ ઓફર ફોર સેલ છે એટલે કે તેમાં કોઇ નવા શેર વેચવામાં આવી રહ્યા નથી. આ આઇપીઓમાં પ્રમોટર્સ અને ઇન્વેસ્ટર્સ પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે.

Bikaji Foods IPO માટે પ્રાઇસ બેન્ડ જાણો

બિકાજી ફૂડ્સ દ્વારા IPO માટેની પ્રાઇસ બેન્ડ રૂ. 285 થી રૂ. 300 વચ્ચે નક્કી કરવામાં આવી છે. કંપની આ IPO દ્વારા 881.2 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. IPO હેઠળ 2.94 કરોડ શેરનું વેચાણ  ઓફર ફોર સેલ હેઠળ કરવામાં આવશે.

IPOમાં ઓછામાં ઓછી કેટલા રૂપિયાનું રોકાણ કરવું જોઈએ?

બિકાજી ફૂડ્સના રોકાણકારોએ તેના IPOમાં ઓછામાં ઓછા 50 શેર માટે બિડ કરવી પડશે અને આમ રિટેલ રોકાણકારે ઈશ્યૂમાં કુલ રૂ. 15,000 (50 સ્ટોક્સ X 300 રૂપિયા)નું રોકાણ કરવું પડશે. બિકાજી ફૂડ્સે IPO ખુલતા પહેલા જ એન્કર રોકાણકારો પાસેથી 262.11 કરોડ રૂપિયા એકઠા કર્યા છે અને શેર દીઠ 300 રૂપિયાના ભાવે શેર ફાળવવામાં આવ્યા છે. કુલ 87.37 લાખ શેર ફાળવવામાં આવ્યા છે.

બિકાજી ફૂડ્સના શેર ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર છે

બિકાજી ફૂડ્સના શેર આજે ગ્રે માર્કેટમાં રૂ. 71ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે અને જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો કંપનીના શેરના લિસ્ટિંગ સમયે રોકાણકારોને સારો નફો મળી શકે છે. કંપનીના શેર બુધવાર, 16 નવેમ્બર, 2022 ના રોજ મુખ્ય સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લિસ્ટ થવાની અપેક્ષા છે. શેર ફાળવણીના આધારને અંતિમ સ્વરૂપ શુક્રવાર, નવેમ્બર 11, 2022 ના રોજ અપેક્ષિત છે.

શિવ રતન અગ્રવાલ, દીપક અગ્રવાલ, શિવ રતન અગ્રવાલ (HUF) અને દીપક અગ્રવાલ (HUF) કંપનીના પ્રમોટર્સ છે. સ્થાપક શિવ રતન અગ્રવાલ અને દીપક અગ્રવાલ 25-25 લાખ શેર વેચશે. ઇન્ડિયા 2020 મહારાજા (PE ફર્મ લાઇટહાઉસ) 1.21 કરોડ શેરનું વેચાણ કરશે, IIFL સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ 1.1 કરોડ શેરનું વેચાણ કરશે અને એવેન્ડસ ફ્યુચર લીડર્સ ફંડ 12 લાખ શેરનું વેચાણ કરશે.

તમને જણાવી દઈએ કે, બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલના ફાઉન્ડર શિવ રતન અગ્રવાલ હલ્દીરામના ફાઉન્ડર ગંગાબિશન અગ્રવાલના પૌત્ર છે. શિવ રતન અગ્રવાલે 1986માં કંપનીની સ્થાપના કરી હતી. તે મૂળરૂપે શિવદીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. 1993માં કંપનીનું નામ બદલીને બિકાજી ફૂડ્સ કરવામાં આવ્યું.

નોંધનીય છે કે, બીકાજી એ ભારતની સૌથી મોટી ઝડપી મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ડ્સમાંની એક છે જેની આંતરરાષ્ટ્રીય હાજરી છે, જે ભારતીય નાસ્તા અને મીઠાઈઓનું વેચાણ કરે છે અને ભારતીય સંગઠિત નાસ્તા બજારમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget