શોધખોળ કરો

Dry Fruits: બદામ-અખરોટ-સફરજનના શોખીનોને PM મોદીની મોટી રાહત

આ યાત્રા દરમિયાન ભારતને સેમિકન્ડક્ટર, જેટ એન્જિન ટેક્નોલોજી અને ટેસ્લા દ્વારા ભારતમાં રોકાણની ખાતરી જેવી ભેટ મળી છે.

PM Modi America Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા છે. આ યાત્રા દરમિયાન ભારતને સેમિકન્ડક્ટર, જેટ એન્જિન ટેક્નોલોજી અને ટેસ્લા દ્વારા ભારતમાં રોકાણની ખાતરી જેવી ભેટ મળી છે. સાથે જ અમેરિકાને પણ ઘણો ફાયદો થયો છે. હવે સુકો મેવો ખાવાના શોખીનોને પણ ભારે લાભ થશે. 

ભારતે અમેરિકાથી આયાત થતા 8 સામાન પરની કસ્ટમ ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે. તેમાં ચણા, દાળ, સફરજન, અખરોટ અને બદામનો સમાવેશ થાય છે. ભારતે વર્ષ 2019માં અમેરિકાથી આવતા આ સામાન પર કસ્ટમ ડ્યુટી લગાવી હતી. તેનું કારણ ભારતમાંથી નિકાસ કરવામાં આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ઉત્પાદનો પર અમેરિકાની ડ્યુટી વધારવાનું હતું. એજન્સીએ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.

ભારતે આ નિર્ણય લીધો ત્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન હતું. ત્યારબાદ તેમણે અમેરિકા માટે અપનાવેલી વેપાર નીતિએ ભારતને 'મનપસંદ દેશ'ની શ્રેણીમાંથી બહાર કાઢી નાખ્યું હતું. જોકે તે જ સમયે ચીન સાથે અમેરિકાનું 'ટ્રેડ વોર' પણ શરૂ થયું હતું.

PM મોદીની મુલાકાતથી આવ્યો ઉકેલ
 
તાજેતરમાં જ જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અમેરિકી પ્રમુખ જો બાઈડેનના આમંત્રણ પર 'સ્ટેટ વિઝિટ' માટે ગયા હતા. ત્યારે બંને દેશો વિશ્વ વેપાર સંગઠન (WTO) સંબંધિત 6 વિવાદોને સમાપ્ત કરવા માટે સંમત થયા હતા. આ દરમિયાન ભારતે પણ જવાબી કાર્યવાહીમાં અમેરિકન ઉત્પાદનો પર લગાવવામાં આવેલી ડ્યુટી હટાવવા માટે સંમતિ દર્શાવી છે.

વર્ષ 2018માં રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને અમેરિકાએ ભારતમાંથી આયાત થતા સ્ટીલ ઉત્પાદનો પર 25 ટકા અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર 10 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો હતો. તેના જવાબમાં જૂન 2019માં ભારતે અમેરિકાના 28 ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યુટી લાદી હતી. હવે આ વધારાની ઈમ્પોર્ટ ડ્યુટી હટાવવાના ભારતના નિર્ણય બાદ આ 8 અમેરિકન ઉત્પાદનોને દેશમાં ફક્ત મોસ્ટ ફેવર્ડ કન્ટ્રી (MFN)ના વર્તમાન દરના આધારે જ વસૂલવામાં આવશે.

ઉત્પાદનો 90 દિવસ બાદ સસ્તા મળી રહેશે 

સરકારે આગામી 90 દિવસમાં અમેરિકન ઉત્પાદનો પરના આ ટેરિફને તબક્કાવાર રીતે દૂર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાની મુલાકાત દરમિયાન થયેલા કરાર મુજબ હવે ભારતમાં અમેરિકન ચણા પર 10 ટકા, કઠોળ પર 20 ટકા, તાજી અથવા સૂકી બદામ પર 7 રૂપિયા પ્રતિ કિલો, છાલવાળી બદામ પર 20 રૂપિયા પ્રતિ કિલો, અખરોટ પર 20 ટકા, તાજા સફરજન 20 ટકાથી વધુ, બોરિક એસિડ પર 20 ટકા અને ડાયગ્નોસ્ટિક રીએજન્ટ પર 20 ટકા વધારાની ડ્યુટી દૂર કરવામાં આવશે.

અમેરિકા ભારત માટે સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ગયા નાણાકીય વર્ષમાં બંને દેશો વચ્ચે માલસામાનનો વેપાર વધીને $128.8 બિલિયન થયો હતો. નાણાકીય વર્ષ 2021-22માં તે $119.5 બિલિયન હતું. સફરજન માટે ભારત વોશિંગ્ટનનું બીજું નિકાસ બજાર છે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર કોણ ઉભુ કરે છે જીવનું જોખમ?Hun To Bolish : હું તો બોલીશ : ખાદી અને ખાખી વચ્ચે વિવાદો કેમ?Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Happy Teddy Day 2025: વેલેન્ટાઇન વીકમાં કેમ આપવામાં આવે છે ટેડી, જાણો કારણ?
Happy Teddy Day 2025: વેલેન્ટાઇન વીકમાં કેમ આપવામાં આવે છે ટેડી, જાણો કારણ?
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
Embed widget