શોધખોળ કરો

અંબાણી પરિવાર કોનો બર્થ ડે ઉજવવા પહોંચ્યો જામનગર ? રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિતની સેલિબ્રિટી પણ આવી

અંબાણી પરિવારે 100 થી વધુ પૂજારીઓને આમંત્રણ પણ મોકલ્યું છે જેઓ જામનગર આવશે, જ્યાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

જામનગરઃ રીલાયન્સ ગ્રુપના ચેરમેન અને દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીનો 10 ડીસેમ્બર ને શુક્રવારે જન્મદિવસ છે. મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ ખાતે પૃથ્વી અંબાણીનો જન્મદિવસ ઉજવશે. 

મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીના પહેલા જન્મદિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માટે અંબાણી પરિવાર જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. પૃથ્વી અંબાણીના બર્થ ડેની ઉજવણી માટે જામનગર એરપોર્ટ પર આજે અલગ અલગ ફ્લાઈટમાં સેલેબ્રીટિઝ આવશે. ફિલ્મી જગત અને રમત જગતની સેલીબ્રિટીઝ જામનગર રિલાયન્સના મહેમાન બનશે. હાલ એક ફ્લાઈટમાં ક્રિકેટરો ઝાહિરખાન, હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા પહોચ્યા છે.

100 થી વધુ પૂજારીઓ આશીર્વાદ આપશે

પૃથ્વીના જન્મદિવસ પર, અંબાણી પરિવારે 100 થી વધુ પૂજારીઓને આમંત્રણ પણ મોકલ્યું છે જેઓ જામનગર આવશે, જ્યાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. અહીં 100 પૂજારી પૃથ્વીના સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને પૂજા પૂર્ણ કર્યા બાદ આશીર્વાદ આપશે. સૂત્રોએ જણાવ્યું કે પૃથ્વીના જન્મદિવસને ચાર ચાંદ લગાવવા માટે ઘણા મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ગામના હજારો લોકોને ભોજન આપવામાં આવશે

દેશના સૌથી અમીર અંબાણી પરિવારના સૌથી યુવા સભ્યનો પ્રથમ જન્મદિવસ છે, આવી સ્થિતિમાં અંબાણી પરિવારે ગામમાં રહેતા લગભગ 50 હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. ત્યારે જામનગરના ફાર્મ હાઉસ ખાતે પૃથ્વીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ પરિવાર વતી 50 હજાર લોકોને ભોજન કરાવવામાં આવશે જેથી પૃથ્વી પર સૌ કોઈ આશીર્વાદ આપે.

કોરોનાથી બચવા માટે ક્વોરેન્ટાઈન બબલ પાર્ટી

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ્સનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. સરકારો આ પ્રકારને રોકવા માટે નિયમોમાં ફેરફાર કરી રહી છે, જ્યારે બીજી તરફ, ડોકટરો ચેપગ્રસ્ત લોકોને કેટલી ઝડપથી ઓળખી શકાય અને તેની સારવાર કરી શકાય તેના પર વધુ પ્રયત્નો કરી રહ્યા છે. આ દરમિયાન અંબાણી પરિવારના મહત્વના ફંક્શનમાં આવનાર મહેમાનોની જમવાની વ્યવસ્થા પણ અલગ હશે. સૂત્રોએ જણાવ્યું કે મહેમાનોના ભોજન માટે આવનારા કેટરર્સને થાઈલેન્ડ અને ઈટાલીથી બોલાવવામાં આવ્યા છે. અહીં આવ્યા પછી, તે ક્રૂની કોરોનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે અને જો બધું બરાબર રહેશે તો જ તેઓ મહેમાનો માટે ભોજન બનાવી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget