શોધખોળ કરો

રિઝર્વ બેંકે છ હજાર કરોડ રૂપિયાનું સોનું વેચવું પડ્યું, જાણો શું છે કારણ

ભારતની સેન્ટ્રલ બેંકની સાથે સાથે અનેક દેશોની સેન્ટ્રલ બેંકો પણ તેમના સ્ટોકમાંથી સોનાનું વેચાણ કરી રહી છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીની અસર સેન્ટ્રલ બેંક પર પણ જોવા મળી છે. સેન્ટ્રલ બેંકે એક દાયકા બાદ સોનું વેચવા કાઢ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 12 ટન સોનાનું (આશરે છ હજાર કરોડ રૂપિયા) વેચાણ કર્યું છે. એક દાયકા બાદ રિઝર્વ બેંકે સોનાનું વેચાણ કર્યુ હોય તેવી ઘટના બની છે. 2019ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આરબીઆઈએ 141.9 ટન સોનું ખરીદ્યું હતું. 2020ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 12 ટન સોનાનું વેચાણ કર્યું છે. ભારતની સેન્ટ્રલ બેંકની સાથે સાથે અનેક દેશોની સેન્ટ્રલ બેંકો પણ તેમના સ્ટોકમાંથી સોનાનું વેચાણ કરી રહી છે. ઉઝબેકિસ્તાન અને ટર્કી જેવા દેશોની મધ્યસ્થ બેંકે આ કામ ખૂબ મોટા પાયે કર્યુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે, રશિયાની સેન્ટ્રલ બેંકે પણ 13 વર્ષ બાદ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નેટ સેલ કર્યુ છે. તુર્કીની સેન્ટ્રલ બેંકે 22.3 ટન સોનું અને ઉઝબેકિસ્તાનની સેન્ટ્રલ બેંકે 34.9 ટન સોનાનું વેચાણ કર્યુ છે. કોરોના મહામારી વચ્ચે ઓગસ્ટ મહિનામાં સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ 2075 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો હતો. જોકે, બાદમાં તેમાં ઘટાડો થયો છે અને હાલ 1900 ડોલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. રિઝર્વ બેંકે છ હજાર કરોડ રૂપિયાનું સોનું વેચવું પડ્યું, જાણો શું છે કારણ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ રિપોર્ટ પ્રમાણે, સોનાની બુલિયન માર્કેટમાં ડિમાન્ડમાં આ ત્રિમાસિકમાં વાર્ષિક આધારે 19 ટકાનો ઘટાડો થયો છે. જે 2009 બાદનું ન્યૂનતમ સ્તર છે. ભારતમાં જ્વેલરી ડિમાન્ડમાં 50 ટકા સુધી ઘટાડો થયો છે. તમામ દેશોની સેન્ટ્રલ બેંકે 2018, 2019માં સોનાની રેકોર્ડ ખરીદી કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે હાલ તેમાં ઘટાડો થઈ રહ્યો છે. 2021માં ફરીથી વધારો થઈ શકે છે. રિઝર્વ બેંકે છ હજાર કરોડ રૂપિયાનું સોનું વેચવું પડ્યું, જાણો શું છે કારણ વાર્ષિક ત્રિમાસિક ગાળામાં પણ સોનાની માંગમાં 19 ટકાનો ઘટાડો થયો છે. જે 2009ના ત્રીજા ત્રિમાસિક પછી સૌથી ઓછી છે. ભારતમાં જ્વેલરી ડિમાન્ડ બીજા ત્રિમાસિકના નીચલા સ્તરથી સાધારણ રિકવર થઈ હતી પરંતુ તે 2019 ના સ્તરથી ઓછી રહી છે. ભારતીય ગ્રાહકોએ લોકડાઉન દરમિયાન સોનાના ભાવમાં અભૂતપૂર્વ તેજીનો સામનો કરવો પડ્યો હતો, લોકડાઉન દરમિયાન લોકોએ ખાસ જરૂર હોય તો જ સોનું ખરીદ્યું હતું પરંતુ પિતૃ પક્ષ અને અધિક માસના અશુભ સમયગાળામાં ખરીદદારી ન નીકળતાં માંગ ઓછી રહી હતી. ભારતમાં હાલ સોનાના 10 ગ્રામનો ભાવ 50 હજાર રૂપિયા આસપાસ છે. જેના પરિણામે લોકો જરૂરિયાત પૂરતી ખરીદી કરી રહ્યા છે. ભાવના સ્તરને લીધે વજનમાં ઓછા અને પ્લેઇન ગોલ્ડ પિસ તરફ લોકો વળી રહ્યા હોવાનું ડબલ્યુજીસીએ જણાવ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Advertisement

વિડિઓઝ

Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Ahmedabad news: અમદાવાદમાં 2024માં સૌથી વધુ દૂષિત પાણી, છેલ્લા ત્રણ વર્ષના સેમ્પલના પરિણામ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : સામે આવ્યા 'વતનના રતન'
Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે ખોલશો તાળા ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
Embed widget