હવે દસ્તાવેજ જમા કર્યા વિના ઉપાડી શકશો PFના પુરા પૈસા, EPFOએ કરી મોટી જાહેરાત
આ નિર્ણયોથી તેમના EPF ખાતામાંથી પૈસા ઉપાડવાનું પહેલા કરતાં ઘણું સરળ બનશે.

હવે તમે તમારા EPF ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠક દરમિયાન આ નિર્ણય લીધો હતો. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઘણા મોટા અને આશ્વાસન આપનારા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોથી તેમના EPF ખાતામાંથી પૈસા ઉપાડવાનું પહેલા કરતાં ઘણું સરળ બનશે.
Chaired the 238th meeting of Central Board of Trustees of EPFO.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 13, 2025
Under the leadership of PM Shri @NarendraModi ji, we are ensuring ease of living for members and ease of doing business for employers.
Key decision taken 👇
📖 https://t.co/Tg3cJ6EMUo pic.twitter.com/3RS1c4lqrX
શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી. તેમણે બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો શેર કર્યા અને એક પ્રેસ રિલીઝ પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે EPF સભ્યો માટે જીવન સરળ બનાવવા અને નોકરીદાતાઓ માટે વ્યવસાય કરવામાં સરળતા લાવવા માટે કામ કરી રહ્યા છીએ.
બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો
EPFOએ અગાઉના 13 કડક નિયમોને દૂર કર્યા છે અને હવે ફક્ત ત્રણ શ્રેણીઓમાં આંશિક ઉપાડની મંજૂરી આપે છે. આમાં આવશ્યક જરૂરિયાતો (માંદગી, શિક્ષણ, લગ્ન, રહેઠાણ ખર્ચ) અને ખાસ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. સભ્યો હવે તેમના PF ખાતામાં સંપૂર્ણ બેલેન્સ ઉપાડી શકશે.
લગ્ન માટે ઉપાડ મર્યાદા - અગાઉ શિક્ષણ અને લગ્ન માટે ફક્ત ત્રણ વખત ઉપાડની મંજૂરી હતી. હવે, શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે પાંચ વખત રૂપિયા ઉપાડી શકાય છે. વધુમાં, લઘુત્તમ સેવા સમયગાળો, જે અગાઉ વિવિધ જરૂરિયાતો માટે બદલાતો હતો તેને ઘટાડીને 12 મહિના કરવામાં આવ્યો છે.
રૂપિયા ઉપાડવાની સુવિધા - અગાઉ કુદરતી આફતો, બેરોજગારી અથવા રોગચાળા જેવા ખાસ સંજોગોમાં ઉપાડ માટે કારણની જરૂર પડતી હતી, જેના પરિણામે ઘણીવાર ક્લેમ ફગાવી દેવામાં આવતા હતા. હવે આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે. સભ્યો ખાસ સંજોગોમાં કોઈપણ કારણ આપ્યા વિના ઉપાડ કરી શકશે.
25 ટકા લઘુત્તમ મર્યાદા - EPFO એ પણ સુનિશ્ચિત કર્યું છે કે સભ્યો હંમેશા તેમના ખાતામાં 25 ટકાનું લઘુત્તમ બેલેન્સ જાળવી રાખે. આનાથી સભ્યોને 8.25 ટકાના વ્યાજ દર અને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળશે, જેનાથી તેઓ નિવૃત્તિ માટે નોંધપાત્ર ભંડોળ બનાવી શકશે.
ઓટો સેટલમેન્ટની સિસ્ટમ- નવા નિયમો હેઠળ કોઈપણ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. ઉપાડ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક કરવાની તૈયારી છે. જે ક્લેમના સમાધાનને ઝડપી બનાવશે. ફાઈનલ સેટલમેન્ટનો સમયગાળો બે મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવ્યો છે અને પેન્શન ઉપાડનો સમયગાળો બે મહિનાથી વધારીને 36 મહિના કરવામાં આવ્યો છે.





















