શોધખોળ કરો

હવે દસ્તાવેજ જમા કર્યા વિના ઉપાડી શકશો PFના પુરા પૈસા, EPFOએ કરી મોટી જાહેરાત

આ નિર્ણયોથી તેમના EPF ખાતામાંથી પૈસા ઉપાડવાનું પહેલા કરતાં ઘણું સરળ બનશે.

હવે તમે તમારા EPF ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠક દરમિયાન આ નિર્ણય લીધો હતો. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઘણા મોટા અને આશ્વાસન આપનારા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોથી તેમના EPF ખાતામાંથી પૈસા ઉપાડવાનું પહેલા કરતાં ઘણું સરળ બનશે.

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી. તેમણે બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો શેર કર્યા અને એક પ્રેસ રિલીઝ પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે EPF સભ્યો માટે જીવન સરળ બનાવવા અને નોકરીદાતાઓ માટે વ્યવસાય કરવામાં સરળતા લાવવા માટે કામ કરી રહ્યા છીએ.

બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો

EPFOએ અગાઉના 13 કડક નિયમોને દૂર કર્યા છે અને હવે ફક્ત ત્રણ શ્રેણીઓમાં આંશિક ઉપાડની મંજૂરી આપે છે. આમાં આવશ્યક જરૂરિયાતો (માંદગી, શિક્ષણ, લગ્ન, રહેઠાણ ખર્ચ) અને ખાસ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. સભ્યો હવે તેમના PF ખાતામાં સંપૂર્ણ બેલેન્સ ઉપાડી શકશે.

લગ્ન માટે ઉપાડ મર્યાદા - અગાઉ શિક્ષણ અને લગ્ન માટે ફક્ત ત્રણ વખત ઉપાડની મંજૂરી હતી. હવે, શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે પાંચ વખત રૂપિયા ઉપાડી શકાય છે. વધુમાં, લઘુત્તમ સેવા સમયગાળો, જે અગાઉ વિવિધ જરૂરિયાતો માટે બદલાતો હતો તેને ઘટાડીને 12 મહિના કરવામાં આવ્યો છે.

રૂપિયા ઉપાડવાની સુવિધા - અગાઉ કુદરતી આફતો, બેરોજગારી અથવા રોગચાળા જેવા ખાસ સંજોગોમાં ઉપાડ માટે કારણની જરૂર પડતી હતી, જેના પરિણામે ઘણીવાર ક્લેમ ફગાવી દેવામાં આવતા હતા. હવે આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે. સભ્યો ખાસ સંજોગોમાં કોઈપણ કારણ આપ્યા વિના ઉપાડ કરી શકશે.

25 ટકા લઘુત્તમ મર્યાદા - EPFO ​​એ પણ સુનિશ્ચિત કર્યું છે કે સભ્યો હંમેશા તેમના ખાતામાં 25 ટકાનું લઘુત્તમ બેલેન્સ જાળવી રાખે. આનાથી સભ્યોને 8.25 ટકાના વ્યાજ દર અને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળશે, જેનાથી તેઓ નિવૃત્તિ માટે નોંધપાત્ર ભંડોળ બનાવી શકશે.

ઓટો સેટલમેન્ટની સિસ્ટમ- નવા નિયમો હેઠળ કોઈપણ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. ઉપાડ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક કરવાની તૈયારી છે. જે ક્લેમના સમાધાનને ઝડપી બનાવશે. ફાઈનલ સેટલમેન્ટનો સમયગાળો બે મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવ્યો છે અને પેન્શન ઉપાડનો સમયગાળો બે મહિનાથી વધારીને 36 મહિના કરવામાં આવ્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Advertisement

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
Embed widget