શોધખોળ કરો

Minimum Balance: મિનિમમ બેલેન્સના નામ પર કરોડોની કમાણી, સરકારી બેન્કોએ 8500 કરોડ રૂપિયા વસૂલ્યા

Minimum Balance:બેન્ક એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ રાખવાની શરત ગ્રાહકો પર બોજરૂપ સાબિત થઈ રહી છે

Minimum Balance: બેન્ક એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ રાખવાની શરત ગ્રાહકો પર બોજરૂપ સાબિત થઈ રહી છે. મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ વિવિધ બેન્કો ગ્રાહકો પાસેથી પેનલ્ટી તરીકે મોટી રકમ વસૂલે છે, જેના કારણે બેન્કોને મોટી આવક થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી બેન્કોએ માત્ર પાંચ વર્ષમાં આ રીતે લગભગ 8,500 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં માહિતી આપી

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ મંગળવારે મિનિમમ બેલેન્સ પેનલ્ટીના નામે બેન્કો દ્વારા કરવામાં આવેલી વસૂલાતના આંકડા વિશે માહિતી આપી હતી. તેઓ લોકસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ પેનલ્ટીના રૂપમાં 8,494 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ગયા નાણાંકીય વર્ષમાં 2000 કરોડને પાર

હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની 12 બેન્કો કાર્યરત છે. તમામ 12 જાહેર ક્ષેત્રની બેન્કોએ ગયા નાણાકીય વર્ષ દરમિયાન મિનિમમ બેન્ક બેલેન્સ પેનલ્ટી તરીકે 2,331 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2023-24 માટેનો આ આંકડો છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે અને એક જ નાણાકીય વર્ષમાં પહેલીવાર જાહેર ક્ષેત્રની બેન્કોની મિનિમમ બેન્ક બેલેન્સ પેનલ્ટીની કમાણી 2 હજાર કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.

જાહેર ક્ષેત્રની બેન્કોએ નાણાકીય વર્ષ 2022-23માં મિનિમમ બેન્ક બેલેન્સ પેનલ્ટીથી 1,855 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે પહેલાં જાહેર ક્ષેત્રની બેન્કોએ 2021-22માં 1,429 કરોડ રૂપિયા, 2020-21માં 1,142 કરોડ રૂપિયા અને 2019-20માં 1,738 કરોડ રૂપિયા મિનિમમ બેન્ક બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી સ્વરૂપે કમાણી કરી હતી. આ રીતે છેલ્લા પાંચ વર્ષમાં દંડમાંથી વસૂલ કરાયેલી રકમ અંદાજે 8,500 કરોડ રૂપિયા થાય છે.

સૌથી મોટી સરકારી બેન્ક SBIએ હવે તેને વસૂલવાનું બંધ કરી દીધું છે તેમ છતાં સરકારી બેન્કો દ્વારા મિનિમમ બેલેન્સ પેનલ્ટીની વસૂલાતનો આંકડો વધી રહ્યો છે. સૌથી વધુ ગ્રાહકો ધરાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લે 2019-20માં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી દંડ વસૂલ્યો હતો. ત્યારે SBIએ 640 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે પછી SBIએ પેનલ્ટી બંધ કરી દીધી અને છેલ્લા 4 નાણાકીય વર્ષથી તે ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ પેનલ્ટી વસૂલતી નથી.

પીએનબીએ સૌથી વધુ દંડ વસૂલ કર્યો છે

બાકીની 11 સરકારી બેન્કો પર નજર કરીએ તો પંજાબ નેશનલ બેન્ક મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી સૌથી વધુ કમાણી કરી રહી છે. ગયા નાણાકીય વર્ષમાં એટલે કે 2023-24માં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક PNBએ આ રીતે 633 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બેન્ક ઓફ બરોડા 387 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને હતી. ઈન્ડિયન બેન્કે 369 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કેનેરા બેન્કે રૂ. 284 કરોડ અને બેન્ક ઓફ ઇન્ડિયાએ મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી 194 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget