શોધખોળ કરો

ડેરી ક્ષેત્રને સમર્થન આપવાના સરકારના નિર્ણયને NDDBના ચેરમેને આવકાર્યો

આ યોજનાનું અમલીકરણ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ મારફતે કરવામાં આવશે અને રૂ. 5000 કરોડની વધારાની લિક્વિડિટી બજારમાં લાવશે.

અમદાવાદઃ એનડીડીબીના ચેરમેન શ્રી દિલીપ રથએ માનનીય વડાપ્રધાનના વિઝન આત્મનિર્ભર ભારત હેઠળ પશુપાલકોની હાડમારીને ઘટાડવા માટે ડેરી ક્ષેત્રને પૂરાં પાડવામાં આવેલા સમર્થનને આવકાર્યું છે. કોવિડ-19 અને લૉકડાઉનના ડેરી ક્ષેત્ર પર પડેલા પ્રતિકૂળ આર્થિક પ્રભાવને સરભર કરવા માટે સરકારે ‘ઇન્ટરેસ્ટ સબવેન્શન ઑન વર્કિંગ કેપિટલ લૉન્સ ફૉર ડેરી સેક્ટર’ નામની નવી યોજના રજૂ કરી છે, જેથી કરીને ડેરી સહકારી મંડળીઓ અને ડેરી પ્રવૃત્તિઓમાં સંકળાયેલ ખેત પેદાશો સંબંધિત સંગઠનોને સમર્થન પૂરું પાડી શકાય. આ યોજના વાર્ષિક 2%ની વ્યાજસહાય પૂરી પાડે છે તથા ઝડપી અને સમયસર પરત ચૂકવણી / વ્યાજની ચૂકવણી કરવા પર વધારાનું 2% વાર્ષિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તે ફાજલ દૂધનું વ્યવસ્થાપન કરવા માટે કાર્યકારી મૂડીની કટોકટીને હળવી કરવામાં મદદરૂપ થશે તથા પશુપાલકોને સમયસર ચૂકવણી કરવાનું શક્ય બનાવશે. આ યોજનાનું અમલીકરણ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ મારફતે કરવામાં આવશે અને રૂ. 5000 કરોડની વધારાની લિક્વિડિટી બજારમાં લાવશે. શ્રી દિલીપ રથે જણાવ્યું હતું કે, દૂધનું ઊંચું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતા દેશના ઘણાં વિસ્તારો રૂ. 15,000 કરોડના એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડથી લાભાન્વિત થશે. આ ફંડ પહેલીવાર ડેરી પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન અને પશુઓના આહાર સંબંધિત આંતરમાળખાંમાં ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરશે. વિશિષ્ટ ઉત્પાદનો માટેના નિકાસલક્ષી એકમો માટે પ્લાન્ટ સ્થાપિત કરવાનું પગલું પણ ઘણું આવકાર્ય છે.રૂ. 13,343 કરોડની કુલ ખર્ચ જોગવાઈ ધરાવતાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમ મારફતે એફએમડી અને બ્રુસેલોસિસને નિયંત્રિત અને નાબુદ કરવા માટે નેશનલ એનિમલ ડીસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામનું અમલીકરણ એ ખરેખર આવકારદાયક પહેલ છે. શ્રી દિલીપ રથે જણાવ્યું હતું કે, એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના થવાથી દૂધની ગુણવત્તા સુધરતા ડેરી ક્ષેત્રને ફાયદો થશે. કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ પશુપાલનનો સમાવેશ કરવાથી તે પોતાની આજીવિકા જાળવી રાખવા માટે દૂધાળા પશુઓને ખરીદવા ગામડાંઓમાં જ રહી જનારા સ્થળાંતરિત શ્રમિકોને પણ મદદ મળી રહેશે.હર્બલ ખેતી માટે રૂ. 4000 કરોડનું સમર્થન પશુઓની બીમારીઓના નિયંત્રણ માટે પશુ આયુર્વેદ આધારિત એથનો વેટરનરી મેડિસિનને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે, જેને એનડીડીબી દ્વારા આક્રામકતાપૂર્વક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Embed widget