શોધખોળ કરો

વિદેશ પ્રવાસ પર જતા અગાઉ કોને લેવું પડશે ઇન્કમટેક્સ વિભાગ પાસેથી ક્લિયરન્સ સર્ટિફિકેટ? CBDTએ આપી જાણકારી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે કયા કેસોમાં ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે તે અંગે વિગતવાર માહિતી આપી છે

Income Tax Clearance Certificate: CBDT એ ભારતીય નાગરિકોને (Indian Citizens)  વિદેશ પ્રવાસ કરતા પહેલા ઈન્કમ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ(Income-Tax Clearance Certificate) મેળવવાની જરૂરિયાત અંગે ફેલાવવામાં આવેલા ખોટા સમાચાર અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. ટેક્સ વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું કે, એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે દેશ છોડતા પહેલા તમામ નાગરિકો માટે ઈન્કમ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. CBDTએ કહ્યું હતું કે આ સત્ય નથી.

નિયમો બધા નાગરિકોને લાગુ પડતા નથી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે કયા કેસોમાં આવકવેરા ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે તે અંગે વિગતવાર માહિતી આપી છે. ટેક્સ વિભાગે કહ્યું કે, આવકવેરા કાયદાની કલમ 230 હેઠળ તમામ નાગરિકો માટે વિદેશ પ્રવાસ કરતા પહેલા ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું જરૂરી નથી. અમુક વ્યક્તિઓના કિસ્સામાં ખાસ સંજોગોમાં ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે આ જોગવાઈ 2003થી અમલમાં છે અને ફાયનાન્સ (નંબર- 2) અધિનિયમ 2024માં સુધારો કરવા છતાં આ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા વ્યક્તિને નિયમો લાગુ પડે છે

આવકવેરા વિભાગે કહ્યું કે 5 ફેબ્રુઆરી, 2024ના રોજ સીબીડીટીએ સ્પષ્ટ કર્યું છે કે આવકવેરા કાયદાની કલમ 230 (1A) હેઠળ ભારતમાં રહેતા ક્યા નાગરિકોને દેશ છોડતા પહેલા આવકવેરા ક્લિયરન્સ પ્રમાણપત્રની જરૂર પડશે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ ગંભીર નાણાકીય ગેરરીતિઓમાં સંડોવાયેલ હોય અને આવકવેરા અધિનિયમ અથવા વેલ્થ ટેક્સ એક્ટ હેઠળ આ કેસોની તપાસ માટે તે વ્યક્તિ માટે તે દેશમાં હોવું જરૂરી છે અને તે વ્યક્તિ વિરુદ્ધ ટેક્સ ડિમાન્ડ જાહેર કરવામાં આવી શકે છે તો એવા વ્યક્તિએ દેશ છોડતા પહેલા ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડશે.

જો 10 લાખ રૂપિયાનો ટેક્સ બાકી હોય તો

આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પર 10 લાખ રૂપિયાથી વધુ ડાયકેક્ટ ટેક્સ એરિયર બાકી છે અને કોઈ સત્તાવાળાએ તેના પર રોક લગાવી ન હોય તો આવી વ્યક્તિએ પણ દેશ છોડતા પહેલા ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડશે. કોઈપણ વ્યક્તિને આવકવેરા પ્રમાણપત્ર મેળવવા માટે કહેવામાં આવે તે પહેલાં તેણે કારણો રેકોર્ડ કરવા પડશે અને પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અથવા ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ પાસેથી મંજૂરી મેળવવી પડશે. CBDTએ તેની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે માત્ર ખાસ કિસ્સાઓમાં ભારતીય નાગરિકોએ દેશ છોડતા પહેલા આવકવેરા ક્લિયરન્સ પ્રમાણપત્ર મેળવવું પડશે. જેમાં ગંભીર નાણાકીય છેતરપિંડી કરવામાં આવી હોય અને બાકી ટેક્સની માંગ 10 લાખ રૂપિયાથી વધુ હોય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ
Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ
Weight Loss: વજન ઘટાડવા બાળકોને આપી રહ્યા છો દવાઓ? જાણો કેટલી છે નુકસાનકારક?
Weight Loss: વજન ઘટાડવા બાળકોને આપી રહ્યા છો દવાઓ? જાણો કેટલી છે નુકસાનકારક?
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીથી હાહાકાર, મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મંત્રીઓની મુલાકાતો શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીથી હાહાકાર, મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મંત્રીઓની મુલાકાતો શરૂ...
હવે ડેટા ડિલીટ કરવાની જરૂર નથી, ગૂગલ મફતમાં આપી રહ્યું છે 30 GB સ્ટોરેજ, આ રીતે મેળવો એક્સેસ
હવે ડેટા ડિલીટ કરવાની જરૂર નથી, ગૂગલ મફતમાં આપી રહ્યું છે 30 GB સ્ટોરેજ, આ રીતે મેળવો એક્સેસ
Embed widget