શોધખોળ કરો

સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હવે આ લોકોને નહીં મળે ગ્રેચ્યુટી, સરકારેનો નવો આદેશ

nps gratuity rules 2025: કેન્દ્ર સરકારના પેન્શન વિભાગે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનરો માટે ગૂંચવણભરી પરિસ્થિતિ દૂર કરી છે.

nps gratuity rules 2025: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ (Government Employees) માટે ગ્રેચ્યુટીના નિયમોમાં મોટી સ્પષ્ટતા કરી છે, જે ઘણા લોકો માટે ઝટકા સમાન હોઈ શકે છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા જાહેર કરાયેલા નવા આદેશ મુજબ, હવે ગ્રેચ્યુટીને 'વન-ટાઈમ ટર્મિનલ બેનિફિટ' ગણવામાં આવશે. એટલે કે, જો કોઈ કર્મચારી નિવૃત્તિ અથવા સૈન્ય સેવા બાદ ફરીથી નોકરીમાં જોડાય છે, તો તેને બીજી વાર ગ્રેચ્યુટીનો લાભ મળશે નહીં. જોકે, PSU માંથી આવતા કર્મચારીઓ માટે નિયમોમાં થોડી રાહત આપવામાં આવી છે.

26 ડિસેમ્બર, 2025 નો નવો આદેશ શું છે?

કેન્દ્ર સરકારના પેન્શન વિભાગે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનરો માટે ગૂંચવણભરી પરિસ્થિતિ દૂર કરી છે. તારીખ 26 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રેચ્યુટી એ સેવાની પૂર્ણાહુતિ પર મળતો એકમાત્ર લાભ છે. સરકારનું કહેવું છે કે એક જ વ્યક્તિને અલગ-અલગ સમયગાળાની સેવા માટે વારંવાર આ લાભ આપી શકાય નહીં. આ નિયમ ખાસ કરીને એવા લોકો પર અસર કરશે જેઓ નિવૃત્તિ બાદ પુનઃરોજગાર (Re-employment) મેળવે છે.

'વન-ટાઈમ ટર્મિનલ બેનિફિટ' નો અર્થ શું છે?

સરકારી પરિભાષા મુજબ, ગ્રેચ્યુટી (Gratuity) હવેથી એક વખતનો ટર્મિનલ લાભ ગણાશે. સરળ ભાષામાં કહીએ તો, જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેની સેવાની કદરરૂપે તેને એક રકમ ચૂકવવામાં આવે છે. નવા નિયમ મુજબ, જો કોઈ કર્મચારીએ નિવૃત્તિ, ફરજિયાત નિવૃત્તિ કે અન્ય કારણસર એકવાર ગ્રેચ્યુટી મેળવી લીધી છે, તો તેને ફરીથી સરકારી સેવામાં જોડાયા બાદ બીજી વખત ગ્રેચ્યુટી ચૂકવવામાં આવશે નહીં.

સૈન્યમાંથી આવતા કર્મચારીઓ પર અસર

આ નિયમની સૌથી મોટી અસર એવા લોકો પર પડશે જેઓ મિલિટરી સર્વિસ પૂરી કરીને સિવિલ સેવામાં જોડાય છે. અગાઉ ઘણા કિસ્સામાં અસમંજસ હતી, પરંતુ હવે સ્પષ્ટ છે કે જો કોઈ વ્યક્તિએ પોતાની અગાઉની લશ્કરી સેવા દરમિયાન ગ્રેચ્યુટી ઉપાડી લીધી હોય, તો તેઓ બીજી નોકરીમાં જોડાયા બાદ ફરીથી ગ્રેચ્યુટીનો દાવો કરી શકશે નહીં. એટલે કે, નિવૃત્તિ (Retirement) બાદ ફરી નોકરી કરનારાઓને હવે ડબલ લાભ નહીં મળે.

PSU કર્મચારીઓ માટે સારા સમાચાર અને શરતો

જોકે, આ નિયમોમાં એક અપવાદ પણ છે. જો કોઈ કર્મચારી અગાઉ જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU) અથવા કોઈ સ્વાયત્ત સંસ્થામાં કામ કરતો હોય અને ત્યાંથી રાજીનામું આપીને કેન્દ્ર સરકારમાં જોડાય છે, તો તેમને રાહત મળી શકે છે. આવા કિસ્સામાં યોગ્ય મંજૂરી સાથે જોડાયેલા કર્મચારીઓને કેન્દ્ર સરકારની નોકરી માટે અલગથી ગ્રેચ્યુટી મળી શકે છે.

પરંતુ અહીં એક શરત છે: બંને નોકરીઓની ગ્રેચ્યુટીનો સરવાળો સરકાર દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદાથી વધવો જોઈએ નહીં. રાજ્ય સરકારમાંથી કેન્દ્ર સરકારમાં આવતા કર્મચારીઓ માટે પણ તેમની જૂની અને નવી સેવાને જોડીને ગ્રેચ્યુટી ગણવામાં આવશે, જેની ટોચમર્યાદા નિશ્ચિત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget