નાણા મંત્રાલયે જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જૂના દરો જાળવી રાખવામાં આવ્યા છે.
પૈસા ડબલ કરવાની સ્કીમ! મોદી સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરો કર્યા જાહેર, રોકાણ કરતા પહેલા નવા રેટ્સ જાણી લો
Small savings interest rates Jan 2026: નાણા મંત્રાલયે PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી લોકપ્રિય સ્કીમ્સ પર જૂના દરો જાળવી રાખીને રોકાણકારોને મોટી રાહત આપી છે.

Small savings interest rates Jan 2026: નવા વર્ષ 2026 ની શરૂઆતમાં જ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જાન્યુઆરીથી માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓ (Small Savings Schemes) ના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બજારમાં વ્યાજ દરો ઘટવાની શક્યતાઓ સેવાઈ રહી હતી, પરંતુ નાણા મંત્રાલયે PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી લોકપ્રિય સ્કીમ્સ પર જૂના દરો જાળવી રાખીને રોકાણકારોને મોટી રાહત આપી છે.
મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા 31 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ ક્વાર્ટર એટલે કે 1 જાન્યુઆરી, 2026 થી 31 માર્ચ, 2026 સુધી વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો છે. આનો સીધો અર્થ એ છે કે અગાઉના ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2025) માં જે વ્યાજ દર (Interest Rates) મળતા હતા, તે જ દરો આગામી ત્રણ મહિના સુધી લાગુ રહેશે. લાખો પગારદાર અને મધ્યમ વર્ગના લોકો માટે આ એક મોટો ફાયદો છે કારણ કે તેમની જમા પૂંજી પર મળતું વળતર ઘટશે નહીં.
કઈ સ્કીમ પર કેટલું વળતર મળશે?
સરકારના આ નિર્ણય બાદ વિવિધ યોજનાઓના વ્યાજ દરો નીચે મુજબ રહેશે:
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY): દીકરીઓના ભવિષ્ય માટે સૌથી લોકપ્રિય આ સ્કીમ પર સૌથી વધુ 8.2% વ્યાજ મળવાનું ચાલુ રહેશે.
વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS): સિનિયર સિટિઝન્સ માટેની આ સ્કીમમાં પણ 8.2% ના દરે વળતર મળશે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF): નોકરિયાત વર્ગની પસંદગી ગણાતા PPF પર 7.1% વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC): આમાં રોકાણ કરનારાઓને 7.7% વ્યાજ મળશે.
કિસાન વિકાસ પત્ર (KVP): આ યોજનામાં નાણાં ડબલ થાય છે, જેના પર 7.5% વ્યાજ દર રહેશે.
પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS): માસિક આવક ઈચ્છતા લોકો માટે 7.4% વ્યાજ દર નક્કી છે.
વ્યાજ ઘટાડાની અટકળો પર પૂર્ણવિરામ
છેલ્લા કેટલાક સમયથી આર્થિક નિષ્ણાતો અને બજારમાં એવી ચર્ચા હતી કે ઘટતા ફુગાવા (Inflation) અને બદલાતી આર્થિક સ્થિતિને જોતા સરકાર વ્યાજ દરોમાં કાપ મૂકી શકે છે. સામાન્ય રીતે સરકારી બોન્ડ યીલ્ડના આધારે આ દરોની સમીક્ષા થતી હોય છે. જોકે, સરકારે રોકાણકારો (Investors) ના હિતમાં નિર્ણય લઈને દરોમાં કોઈ ઘટાડો કર્યો નથી. સતત બીજા ક્વાર્ટરમાં દરો યથાવત રહેતા, સુરક્ષિત રોકાણ પસંદ કરતા લોકો માટે આ એક સકારાત્મક પગલું ગણાવી શકાય.
Frequently Asked Questions
જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં શું ફેરફાર થયો છે?
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર કેટલું વ્યાજ મળશે?
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર 8.2% વ્યાજ મળવાનું ચાલુ રહેશે. આ દીકરીઓના ભવિષ્ય માટે લોકપ્રિય યોજના છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર કેટલું વ્યાજ યથાવત રહેશે?
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર 7.1% વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. નોકરિયાત વર્ગ માટે આ એક પસંદગીની યોજના છે.
વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતા હતી, તો પણ સરકારનો શું નિર્ણય રહ્યો?
ઘટતા ફુગાવા અને આર્થિક સ્થિતિને કારણે વ્યાજ દરોમાં ઘટાડાની અટકળો હતી. પરંતુ, રોકાણકારોના હિતમાં સરકારે દરોમાં કોઈ ઘટાડો કર્યો નથી.




















