શોધખોળ કરો

Post Office: પોસ્ટ ઓફિસના ગ્રાહકો આ જરૂરી કામ પતાવી લે, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે

છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવી રહેલી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે આ પગલું ભર્યું છે.

Post Office Rules: આજે પણ દેશમાં એક મોટો મધ્યમ વર્ગ છે જે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં તેમના નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. પોસ્ટ ઓફિસ સ્કીમ્સની સૌથી મહત્વની બાબત એ છે કે આ રોકાણ કરવા પર જોખમ ન બરાબર (Less Risk Investment) છે અને વળતર પણ સારું છે. આવી સ્થિતિમાં, જો તમારું એકાઉન્ટ પણ પોસ્ટ ઓફિસમાં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પોસ્ટ ઓફિસ ખાતામાં તમારો PAN નંબર અને મોબાઈલ નંબર અપડેટ કર્યો નથી, તો તમારા ખાતામાં ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરવામાં આવશે.

છેતરપિંડી અટકાવવા માટે કરવામાં આવેલ ફેરફારો

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવી રહેલી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે આ પગલું ભર્યું છે. આ નવી સુવિધા દ્વારા ગ્રાહકોને OTP નંબર અને મોબાઈલ નંબરની મદદથી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે. હવે OTP અને મોબાઈલ નંબરનો ઉપયોગ પૈસાની લેવડદેવડ, લોનની ચુકવણી, ખાતું ખોલાવવા અને બંધ કરવા વગેરેની તમામ પ્રક્રિયામાં થશે.

પોસ્ટ ઓફિસે તેના ગ્રાહકો માટે એ ફરજિયાત બનાવ્યું છે કે 20,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે તમારા ખાતામાં મોબાઈલ નંબર અને પાન નંબર અપડેટ હોવો જોઈએ. આના વિના તમે 20,000 થી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.

KYC કરવું પણ જરૂરી છે

તમને જણાવી દઈએ કે 20,000 થી વધુના ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકો માટે મોબાઈલ નંબર અને પાન કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. આ માટે પોસ્ટ ઓફિસનો સ્ટાફ ગ્રાહકોને આવું કરવા માટે કહી શકે છે. આ પછી ગ્રાહકો 20,000 થી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકશે.

આ બંને બાબતોને અપડેટ કરવા માટે તમારે ફોર્મ SB 103 અથવા SB 7/7A/7B/7C ભરવાનું રહેશે. આ સાથે, જો તમારા પોસ્ટ ઓફિસ ખાતામાં KYC પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, તો તે પણ પૂર્ણ કરવું જરૂરી છે. PAN, આધાર અને મોબાઈલ નંબર અપડેટ કરવાની માહિતી પોસ્ટ ઓફિસ દ્વારા જાન્યુઆરી મહિનામાં જ ગ્રાહકોને આપવામાં આવી હતી. છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે આ ફેરફાર કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget