શોધખોળ કરો

Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ

Post Office PPF calculator: સરકારી ગેરંટીવાળી PPF યોજનામાં રોકાણ રહેશે સંપૂર્ણ સુરક્ષિત; ટેક્સ છૂટ સાથે ટેક્સ ફ્રી વ્યાજનો પણ મળશે ડબલ લાભ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પોસ્ટ ઓફિસ PPF, સુરક્ષિત રોકાણથી કરોડપતિ બનવાનો વિકલ્પ.
  • PPFમાં રોકાણ, વ્યાજ અને પાકતી રકમ સંપૂર્ણ કરમુક્ત.
  • 7.1% વ્યાજ માટે 1-5 તારીખે રોકાણથી વધુ ફાયદો.
  • PPFમાં 25 વર્ષે વાર્ષિક ₹1.5 લાખ રોકાણથી કરોડપતિ.

Post Office PPF calculator: જો તમે સુરક્ષિત રોકાણની સાથે ભવિષ્ય માટે એક મોટું ફંડ ઊભું કરવાનું વિચારી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) યોજના તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. આ યોજનામાં તમે દર વર્ષે મહત્તમ ₹1.5 લાખનું રોકાણ કરીને સરળતાથી કરોડપતિ બની શકો છો. આ સ્કીમમાં કરવામાં આવતા રોકાણ પર 100% સરકારી ગેરંટી મળે છે, જેથી તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ ઉપરાંત, જબરદસ્ત ટેક્સ બેનિફિટ અને ઉત્તમ ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે આ યોજના મધ્યમવર્ગીય રોકાણકારોની પહેલી પસંદ બની રહી છે.

આ સ્કીમના 3 સૌથી મોટા ફાયદા કયા છે?

PPF યોજનાના ત્રણ સૌથી મોટા ફાયદા છે, જેને ફાઇનાન્સની ભાષામાં 'EEE' (Exempt-Exempt-Exempt) કહેવાય છે:

રોકાણ પર ટેક્સ છૂટ: તમે એક વર્ષમાં વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરી શકો છો અને તેના પર ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ ટેક્સમાં પૂરેપૂરી છૂટ મેળવી શકો છો.

વ્યાજ પર કોઈ ટેક્સ નહીં: આ સ્કીમમાં જમા રકમ પર દર વર્ષે જે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે, તે બિલકુલ ટેક્સ ફ્રી હોય છે.

મેચ્યોરિટી રકમ પણ ફ્રી: ત્રીજો અને સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે યોજના પાકશે (મેચ્યોર થશે), ત્યારે તમારા હાથમાં આવનારી કુલ રકમ પર તમારે એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડતો નથી.

7.1% વ્યાજ અને આ છે વધુ ફાયદો લેવાની 'ટ્રિક'

હાલમાં સરકાર દ્વારા PPF યોજના પર 7.1 ટકાના આકર્ષક દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે આ વ્યાજનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માંગતા હોવ, તો દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે પૈસા જમા કરાવી દેવા. આવું એટલા માટે કારણ કે, વ્યાજની ગણતરી મહિનાની 5 તારીખથી લઈને મહિનાના છેલ્લા દિવસ વચ્ચે ખાતામાં રહેલી ઓછામાં ઓછી રકમના આધારે થાય છે. જો તમે 5 તારીખ પહેલા રોકાણ કરી દો છો, તો તમને એ જ મહિનાથી વ્યાજનો લાભ મળવાનું શરૂ થઈ જાય છે.

25 વર્ષમાં કરોડપતિ કેવી રીતે બનશો? સમજો આખી ગણતરી

સામાન્ય રીતે PPF યોજનાનો મેચ્યોરિટી સમયગાળો 15 વર્ષનો હોય છે. પરંતુ, કરોડપતિ બનવા માટે તમારે એક ખાસ સુવિધાનો લાભ લેવો પડશે. તમે 15 વર્ષ પૂરા થયા બાદ આ ખાતાને 5-5 વર્ષના બ્લોકમાં આગળ લંબાવી શકો છો (એક્સટેન્ડ કરી શકો છો).

જો તમે ખાતાને બે વખત 5-5 વર્ષ માટે લંબાવો છો (એટલે કે કુલ 25 વર્ષ માટે રોકાણ ચાલુ રાખો છો), તો ગણતરી આ મુજબ થશે:

દર વર્ષે રોકાણ: ₹1.5 લાખ

25 વર્ષમાં તમારું કુલ રોકાણ: ₹37.50 લાખ

7.1% લેખે 25 વર્ષનું કુલ વ્યાજ: ₹65.58 લાખ

25 વર્ષના અંતે કુલ ફંડ: ₹1.03 કરોડ

આમ, 25 વર્ષ સુધી શિસ્તબદ્ધ રીતે દર વર્ષે ₹1.5 લાખ જમા કરીને તમે 1 કરોડ રૂપિયાથી વધુનું જંગી ફંડ સરળતાથી ભેગું કરી શકો છો.

Frequently Asked Questions

PPF યોજના શા માટે શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ છે?

આ એક સુરક્ષિત સરકારી યોજના છે જે ભવિષ્ય માટે મોટું ફંડ ઊભું કરવામાં મદદ કરે છે. તેમાં 100% સરકારી ગેરંટી, ટેક્સ બેનિફિટ અને ઉત્તમ ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.

PPF યોજનાના મુખ્ય ફાયદા શું છે?

PPF યોજનાના ત્રણ મુખ્ય ફાયદા 'EEE' છે: રોકાણ પર ટેક્સ છૂટ, વ્યાજ પર કોઈ ટેક્સ નહીં અને મેચ્યોરિટી રકમ પર પણ ટેક્સ નહીં.

PPF માં વ્યાજનો વધુ ફાયદો કેવી રીતે મેળવી શકાય?

PPF પર 7.1% વ્યાજ મળે છે. તેનો પૂરેપૂરો લાભ લેવા માટે, દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે પૈસા જમા કરાવવા જોઈએ.

PPF દ્વારા 25 વર્ષમાં કરોડપતિ કેવી રીતે બની શકાય?

દર વર્ષે ₹1.5 લાખનું રોકાણ કરીને 15 વર્ષ પછી ખાતાને 5-5 વર્ષના બ્લોકમાં બે વખત લંબાવી શકાય છે. કુલ 25 વર્ષમાં આશરે ₹1.03 કરોડનું ફંડ ઊભું કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Advertisement

વિડિઓઝ

Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો
Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
Embed widget