Indian Railways: રેલવે મુસાફરો ધ્યાન આપે, 3.45 કલાક સુધી નહીં બુક કરી શકો ઓનલાઈન ટિકિટ, જાણો વિગત
Online Ticket Booking: PRS ત્રણ કલાક 45 મિનિટના સમયગાળા માટે બંધ રહેશે.
![Indian Railways: રેલવે મુસાફરો ધ્યાન આપે, 3.45 કલાક સુધી નહીં બુક કરી શકો ઓનલાઈન ટિકિટ, જાણો વિગત Railway passengers should pay attention you can book tickets online not till 3.45 hours know the details Indian Railways: રેલવે મુસાફરો ધ્યાન આપે, 3.45 કલાક સુધી નહીં બુક કરી શકો ઓનલાઈન ટિકિટ, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/29/3d15f1b57a5a3cfa9cec6f374e48b0331688024430134666_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indian Railway Ticket Booking Counter: જો તમે આજે ક્યાંક મુસાફરી કરવા માટે ટ્રેનની ટિકિટ બુક કરવા જઈ રહ્યા છો, તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે કોલકાતામાં પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ડેટા સેન્ટરમાં ડાઇનટાઇમની પ્રવૃત્તિઓ બાદ ઇન્ટરનેટ બુકિંગ પ્રભાવિત છે. ઘણા રાજ્યો આનાથી પ્રભાવિત થશે. જો કે, કેટલાક રાજ્યોમાં તેની અસર થશે નહીં. પીઆરએસ બંધ થવાના કારણે અનેક કામો પ્રભાવિત થવાની શક્યતા છે.
કેટલા સમય માટે બુકિંગ બંધ રહેશે
PRS ત્રણ કલાક 45 મિનિટના સમયગાળા માટે બંધ રહેશે. મુસાફરો 08મી જુલાઈ 2023 શનિવારના રોજ 23:45 કલાકથી 09મી જુલાઈ 2023 રવિવારના રોજ સવારે 03:30 કલાકની વચ્ચે ઓનલાઈન મોડ દ્વારા તેમની ટિકિટ બુક કરાવી શકશે નહીં.
કયા રાજ્યોમાં PRS બંધ રહેશે
ઓનલાઈન બુકિંગ બંધ થવાની અસર ઘણા રાજ્યોમાં રહેવાની છે. જેમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આસામ, સિક્કિમ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. તેની અસર ઉત્તર પ્રદેશ, દિલ્હી અને અન્ય રાજ્યોમાં જોવા નહીં મળે. રેલ્વે એરિયાની વાત કરીએ તો પૂર્વીય રેલવે (ER), દક્ષિણ પૂર્વીય રેલવે (SER), પૂર્વ તટ રેલવે (ECOR), દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR), ઉત્તરપૂર્વ ફ્રન્ટીયર રેલવે (NFR) અને પૂર્વ મધ્ય રેલવે (ECR) ઝોન પર થશે.
પીઆરએસ સિસ્ટમ બંધ થવાથી ઘણી સેવા થશે પ્રભાવિત
પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) બંધ થવાને કારણે ઘણી સેવાઓ પ્રભાવિત થઈ છે. ઇન્ટરનેટ બુકિંગ, કરંટ બુકિંગ, પૂછપરછ, ચાર્ટિંગ અને અન્ય સેવાઓને અસર થશે. જો કે, મુસાફરો મોબાઇલ એપ્લિકેશનથી લોકલ ટ્રેનોની ટિકિટ ખરીદી શકશે. ઉપરાંત રેલવે સ્ટેશન કાઉન્ટર પરથી ટિકિટ પણ ખરીદી શકાશે.
આ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી
07મી જુલાઈ, 2023થી 09મી જુલાઈ, 2023 સુધી ચાર કલાકના ટ્રાફિક બ્લોકને કારણે રેલવેએ ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરી છે.
- ટ્રેન નંબર 22504 ડિબ્રુગઢ - કન્યાકુમારી વિવેક સુપરફાસ્ટ એક્સપ્રેસ 08 જુલાઈ, 2023 ના રોજ પ્રભાવિત
- 08મી જુલાઈ, 2023ના રોજ ટ્રેન નંબર 12508 સિલચર - ત્રિવેન્દ્રમ અરોનાઈ એક્સપ્રેસ
- 09 જુલાઈ, 2023 નવી તિનસુકિયા - SMVT બેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ
આ પણ વાંચોઃ
Credit Card Portability: મોબાઈલની જેમ હવે ક્રેડિટ કાર્ડને પણ કરી શકાશે પોર્ટ, જાણો શું છે પ્રોસેસ
Join Our Official Telegram Channel:
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)