![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
2000 Rupee Note: RBI ના ગર્વનર શક્તિકાંત દાસે રૂ. 2000ની નોટ બંધ કરવાને લઈ શું આપ્યું મોટું નિવેદન ?
Rs 2000 Note: લાંબા સમયથી, રિઝર્વ બેંક સ્વચ્છ નોટ નીતિને અનુસરી રહી છે. સમય સમય પર, આરબીઆઈ ચોક્કસ શ્રેણીની નોટો પાછી ખેંચી લે છે અને નવી નોટો બહાર પાડે છે.
RS 2000 Note: રૂપિયા 2000ની નોટ બંધ કરવાને લઈ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, મને સ્પષ્ટતા કરવા દો અને ફરીથી ભારપૂર્વક જણાવવા દો કે તે રિઝર્વ બેંકની ચલણ વ્યવસ્થાપન કામગીરીનો એક ભાગ છે... લાંબા સમયથી, રિઝર્વ બેંક સ્વચ્છ નોટ નીતિને અનુસરી રહી છે. સમય સમય પર, આરબીઆઈ ચોક્કસ શ્રેણીની નોટો પાછી ખેંચી લે છે અને નવી નોટો બહાર પાડે છે.અમે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી રહ્યા છીએ પરંતુ તે લિગલ ટેન્ડર તરીકે ચાલુ રહશે.
કેટલીક જગ્યાએ નાના દુકાનદારો 2000ની નોટ સ્વીકારતાં ન હોવાનું ધ્યાનમાં આવ્યું
કેટલીક જગ્યાએ નાના દુકાનદારો 2000ની નોટ સ્વીકારતાં ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ નિર્ણયના કારણે કોઈ સમસ્યા નહીં થાય. મુંબઈમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા પર કહ્યું કે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને લોકો સરળતાથી નોટ બદલી શકે છે, તમે આરામથી નોટ બદલી શકો છો. 4 મહિના આ બાબતને ગંભીરતાથી લેવાનો સમય છે. નોટો બદલવા માટે પુષ્કળ સમય છે. જૂની નોટો બદલવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધને સમસ્યા ન ગણો.
બજારમાં અન્ય નોટોની કોઈ અછત નથી
શક્તિકાંત દાસે કહ્યું કે 2000ની નોટ લાવવા પાછળ ઘણા કારણો હતા અને આ પગલું પોલિસી અંતર્ગત લેવામાં આવ્યું હતું. લોકો જૂની નોટો બદલવા પરના પ્રતિબંધને ગંભીરતાથી લે તો સારું રહેશે. જોકે, બેંકોએ નોટ એક્સચેન્જનો ડેટા તૈયાર કરવાનો રહેશે અને 2000ની નોટની વિગતો બેંકમાં રાખવી પડશે. 2000ની નોટ બદલવાની સુવિધા સામાન્ય રહેશે. 2000ની નોટ બદલવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને બેંકોમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. લોકોએ બેંકમાં આવવાની ઉતાવળ ન કરવી જોઈએ અને બજારમાં અન્ય નોટોની કોઈ અછત નથી.
આરબીઆઈના ગવર્નરે કહ્યું કે 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવી એ ક્લીન નોટ પોલિસીનો એક ભાગ છે અને તેને આરબીઆઈની કરન્સી મેનેજમેન્ટ સિસ્ટમના ભાગ તરીકે ગણવી જોઈએ. નોટો બદલવામાં ઘણો સમય છે, તેથી લોકોએ નોટ બદલવામાં કોઈપણ પ્રકારની ગભરાટ ન કરવી જોઈએ. આરબીઆઈ જે પણ મુશ્કેલીઓ ઉભી થશે તેને સાંભળશે અને જૂની નોટો બદલવા પર પ્રતિબંધને કારણે જનતાને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેની કાળજી રાખવામાં આવી છે.
#WATCH | #Rs2000CurrencyNote | RBI Governor Shaktikanta Das says, "Let me clarify and re-emphasise that it is a part of the currency management operations of the Reserve Bank...For a long time, the Reserve Bank has been following a clean note policy. From time to time, RBI… pic.twitter.com/Rkae1jG0rU
— ANI (@ANI) May 22, 2023
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)