SBI ની 'અમૃત વર્ષા' એક ખાસ 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે. આ સ્કીમમાં ગ્રાહકોને 6.45% થી 7.05% સુધીનું આકર્ષક વ્યાજ મળે છે.
SBI ની 444 દિવસની FD માં ₹4,00,000 લાખ જમા કરાવશો તો કેટલું મળશે વ્યાજ? જુઓ આખી ગણતરી
દેશની સૌથી મોટી સરકારી બેંક SBI ની 'અમૃત વર્ષા' સ્પેશિયલ FD યોજનામાં સામાન્ય નાગરિકોથી લઈને સિનિયર સિટિઝન્સને મળી રહ્યું છે 7.05% સુધીનું તગડું વળતર.

- SBI અમૃત વર્ષા સ્કીમ 444 દિવસની FD આપે છે.
- વ્યાજ દર સામાન્ય નાગરિકો માટે 6.45% થી શરૂ.
- વરિષ્ઠ નાગરિકોને 6.95% અને સુપર સિનિયરને 7.05% વ્યાજ.
- ₹4 લાખના રોકાણ પર ₹32,377 થી ₹35,492 વ્યાજ મળે.
SBI FD: જો તમે તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકવા માંગતા હોવ અને સારા વળતરની અપેક્ષા રાખતા હોવ, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તમારા માટે એક શાનદાર તક લાવી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે તેની ખાસ 'અમૃત વર્ષા' સ્કીમ રજૂ કરી છે, જેમાં 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ગ્રાહકોને 6.45% થી લઈને 7.05% સુધીનું આકર્ષક વ્યાજ મળી રહ્યું છે. જો તમે આ સ્કીમમાં એકસાથે ₹4 લાખનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પાકતી મુદતે (મેચ્યોરિટી પર) તમને વ્યાજ સહિત કેટલો ફાયદો થશે તેની સંપૂર્ણ ગણતરી અહીં સરળ ભાષામાં સમજીએ.
SBI ના સામાન્ય FD ના દરો કેવા છે?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તમે ઓછામાં ઓછા 7 દિવસથી લઈને વધુમાં વધુ 10 વર્ષ સુધીની મુદત માટે તમારું FD ખાતું ખોલાવી શકો છો. બેંક આ અલગ-અલગ મુદતની FD પર રોકાણકારોને 3.05% થી 7.15% સુધીનું વ્યાજ આપે છે. દાખલા તરીકે, 7 દિવસની સૌથી ટૂંકી મુદત માટે 3.05% થી 3.65% અને 10 વર્ષ સુધીની લાંબા ગાળાની મુદત માટે 6.05% થી 7.15% જેટલું વ્યાજ ચૂકવવામાં આવે છે.
444 દિવસની સ્પેશિયલ FD સ્કીમમાં શું છે ખાસ?
SBI ની આ 444 દિવસની 'અમૃત વર્ષા' સ્પેશિયલ FD સ્કીમ હાલમાં રોકાણકારોમાં ભારે લોકપ્રિય છે. આ સ્કીમ હેઠળ, બેંક ગ્રાહકોની ઉંમર પ્રમાણે વ્યાજના દરમાં ફાયદો આપે છે:
સામાન્ય નાગરિકો માટે: 6.45% વ્યાજ
સિનિયર સિટિઝન્સ (વરિષ્ઠ નાગરિકો) માટે: 6.95% વ્યાજ
સુપર સિનિયર સિટિઝન્સ (ખૂબ જ વરિષ્ઠ નાગરિકો) માટે: 7.05% વ્યાજ
₹4 લાખના રોકાણ પર વળતરની પૂરી ગણતરી
જો તમે આ 444 દિવસની સ્કીમમાં ₹4 લાખ જમા કરાવો છો, તો તમને કેટલા રૂપિયા પાછા મળશે? ચાલો ગણતરી જોઈએ:
સામાન્ય નાગરિકો: જો કોઈ સામાન્ય ગ્રાહક ₹4 લાખ જમા કરાવે છે, તો તેને મુદત પૂરી થવા પર ₹32,377 નું નિશ્ચિત વ્યાજ મળશે. એટલે કે તેમને કુલ ₹4,32,377 પાછા મળશે.
સિનિયર સિટિઝન્સ: જો કોઈ વરિષ્ઠ નાગરિક આ સ્કીમમાં ₹4 લાખનું રોકાણ કરે છે, તો તેમને ₹34,972 વ્યાજ તરીકે મળશે. આમ, તેમની કુલ રકમ વધીને ₹4,34,972 થઈ જશે.
સુપર સિનિયર સિટિઝન્સ: આ કેટેગરીના ગ્રાહકો જો ₹4 લાખ જમા કરાવે, તો તેમને સૌથી વધુ એટલે કે ₹35,492 નું વ્યાજ મળશે. આ સાથે જ તેમને મેચ્યોરિટી પર કુલ ₹4,35,492 ની રકમ પરત મળશે.
Frequently Asked Questions
SBI ની 'અમૃત વર્ષા' સ્કીમ શું છે?
SBI ની સામાન્ય FD પર કેટલું વ્યાજ મળે છે?
SBI સામાન્ય FD પર 3.05% થી 7.15% સુધીનું વ્યાજ આપે છે. આ વ્યાજ FD ની મુદત પર આધાર રાખે છે, જે 7 દિવસથી 10 વર્ષ સુધીની હોઈ શકે છે.
SBI ની 444 દિવસની FD સ્કીમમાં વિવિધ વય જૂથો માટે વ્યાજ દરો શું છે?
સામાન્ય નાગરિકોને 6.45%, સિનિયર સિટિઝન્સને 6.95%, અને સુપર સિનિયર સિટિઝન્સને 7.05% વ્યાજ દર મળે છે.
જો ₹4 લાખ 444 દિવસની SBI સ્કીમમાં રોકવામાં આવે તો કેટલું વળતર મળે?
સામાન્ય નાગરિકોને ₹32,377 વ્યાજ, સિનિયર સિટિઝન્સને ₹34,972 વ્યાજ, અને સુપર સિનિયર સિટિઝન્સને ₹35,492 વ્યાજ મળશે.





















