શોધખોળ કરો

સુકન્યા સમુદ્ધિ યોજનાનો આ નિયમ જાણીને કરો રોકાણ, નહી તો બાદમાં થશે પછતાવો 

સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya samriddhi yojana)ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ સુધીની છે, તો તમે તેના માટે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya samriddhi yojana)ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ સુધીની છે, તો તમે તેના માટે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ 15 વર્ષ માટે કરવાનું હોય છે અને સ્કીમ 21 વર્ષ પછી મેચ્યોર થાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક મહત્તમ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકાય છે. આ લાંબા ગાળાની યોજનામાં 8.2 ટકાના દરે વ્યાજ મળે છે. ચક્રવૃદ્ધિના લાભને કારણે, તમે આ યોજના દ્વારા લાંબા ગાળે તમારી પુત્રી માટે સારી રકમ ઉમેરી શકો છો. પરંતુ SSY થી સંબંધિત એક નિયમ છે જે તમારે કોઈપણ સંજોગોમાં સમજવો જોઈએ. મોટાભાગના લોકો આ નિયમથી વાકેફ નથી.

ધારો કે તમે તમારી પુત્રીના નામે આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો અને લગભગ 5-6 વર્ષ રોકાણ કર્યા પછી, તમને લાગે છે કે તમે તેમાં વધુ રોકાણ કરવાનું ચાલુ રાખી શકશો નહીં. આવી સ્થિતિમાં, તે સ્વાભાવિક છે કે તમે 5-6 વર્ષ માટે જમા કરેલી રકમ ઉપાડવા માંગતા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પ્રી-મેચ્યોર ઉપાડની સુવિધા ઉપલબ્ધ નથી. આમાંથી ફક્ત આંશિક ઉપાડ કરી શકાય છે, તે પણ જ્યારે તમારી પુત્રી 18 વર્ષની થાય ત્યારે.

આંશિક ઉપાડ દિકરી 10મું ધોરણ પૂર્ણ કરે અથવા તે 18 વર્ષની થઈ જાય પછી ખાતામાંથી ઉપાડની સુવિધા ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તમે છેલ્લા નાણાકીય વર્ષના કુલ બેલેન્સના 50% સુધી ઉપાડી શકો છો. પૈસા એકસાથે અથવા હપ્તામાં મેળવી શકાય છે. નાણા વર્ષમાં માત્ર એક જ વાર મળશે અને વધુમાં વધુ પાંચ વર્ષ સુધી હપ્તામાં પૈસા લઈ શકાશે. જો તમે તમારી દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે પૈસા ઉપાડી રહ્યા છો, તો તમારે ઉચ્ચ અભ્યાસ માટે પુરાવા આપવા પડશે.

1. જો દિકરી તેની સ્કીમની પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો તેના માતા-પિતાને આ સ્કીમમાં રોકાયેલા પૈસા વ્યાજ સહિત મળે છે. જો કે આ માટે યુવતીનું ડેથ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે.

2. જે દિકરીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ છે તેને જો કોઈ ગંભીર બીમારી છે અને તેને સારવાર માટે પૈસાની જરૂર છે, તો તમે એકાઉન્ટ સમય પહેલા બંધ કરી શકો છો. પરંતુ આ માટે તમારે તમારી પુત્રીની બીમારી અને સારવાર સંબંધિત પુરાવા આપવા પડશે. પરંતુ આ સુવિધા 5 વર્ષ પછી મળે છે.

3. જે દિકરીના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવામાં આવ્યું છે તેના માતા-પિતા અથવા કાયદેસરના વાલી જો ખાતું પરિપક્વ થાય તે પહેલાં મૃત્યુ પામે છે, તો ખાતું અધવચ્ચે બંધ કરી શકાય છે.

4. જો તમે તમારી ભારતીય નાગરિકતા છોડી દો તો પણ તમારું ખાતું બંધ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં, વ્યાજ ઉમેરીને આખા પૈસા પરત કરવામાં આવે છે. પરંતુ જો તમે બીજા દેશમાં સ્થાયી થયા છો પરંતુ ભારતીય નાગરિકતા છોડી નથી, તો આ ખાતું પાકતી મુદત સુધી ચાલુ રાખી શકાય છે. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget