શોધખોળ કરો

BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

BCCI new rule: વિજય હજારે ટ્રોફીમાં રોહિત-વિરાટ પણ જોવા મળશે: ફિટનેસ અને ફોર્મ જાળવવા માટે દરેક ખેલાડીએ ઓછામાં ઓછી 2 મેચ રમવી જ પડશે.

BCCI new rule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ખેલાડીઓના પ્રદર્શન અને ફિટનેસને ધ્યાનમાં રાખીને એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી સીરીઝ વચ્ચે બોર્ડે એક નવું ફરમાન બહાર પાડ્યું છે, જે મુજબ ટીમ ઈન્ડિયાના તમામ વરિષ્ઠ અને જુનિયર ખેલાડીઓએ હવે ઘરેલુ ક્રિકેટમાં પણ પોતાનું યોગદાન આપવું પડશે. આ નવા નિયમ અંતર્ગત, જ્યારે ખેલાડીઓ નેશનલ ડ્યુટી પર ન હોય, ત્યારે તેમણે આગામી વિજય હજારે ટ્રોફી જેવી મુખ્ય ટુર્નામેન્ટમાં ઓછામાં ઓછી બે મેચ રમવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નિર્ણયની અસર રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો પર પણ જોવા મળશે.

ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં ટેસ્ટ અને વનડે બાદ હવે T20 શ્રેણી રમાઈ રહી છે. આ વ્યસ્ત શિડ્યુલ વચ્ચે BCCI એ ભવિષ્યની તૈયારીઓના ભાગરૂપે એક મોટું પગલું ભર્યું છે. બોર્ડનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સતત દબાણને કારણે ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટથી દૂર થઈ રહ્યા છે. આ ગેપને દૂર કરવા માટે, વનડે અને T20 ટીમના તમામ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેમણે રાજ્ય સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લેવો જ પડશે.

આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેલાડીઓની 'મેચ ફિટનેસ' જાળવી રાખવાનો અને સ્થાનિક ક્રિકેટનું સ્તર ઊંચું લાવવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અને બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, 24 ડિસેમ્બર, 2025 થી શરૂ થનારી પ્રતિષ્ઠિત 'વિજય હજારે ટ્રોફી' (લિસ્ટ A ટુર્નામેન્ટ) માટે આ નિયમ ખાસ લાગુ કરવામાં આવ્યો છે. જે ખેલાડીઓ પાસે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છે અને તેઓ હાલમાં ભારતીય ટીમમાં રમી રહ્યા નથી અથવા બ્રેક પર છે, તેમણે પોતાની રાજ્યની ટીમ વતી ઓછામાં ઓછી બે મેચ રમવી પડશે.

BCCI ના આ નિર્ણયથી ઘરેલુ ક્રિકેટને મોટો ફાયદો થવાની શક્યતા છે. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ રણજી ટ્રોફી કે વિજય હજારે ટ્રોફીમાં રમવા ઉતરશે, ત્યારે યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધશે. જુનિયર ખેલાડીઓને તેમના આદર્શ એવા સિનિયર ક્રિકેટરો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની અને તેમની પાસેથી રમતના દાવપેચ શીખવાની સુવર્ણ તક મળશે. આનાથી ભારતીય ક્રિકેટની બેન્ચ સ્ટ્રેન્થ વધુ મજબૂત બનશે.

સૌથી રોચક વાત એ છે કે આ નવા ફરમાનને પગલે ક્રિકેટ ચાહકોને લાંબા સમય પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી ઘરેલુ મેદાન પર રમતા જોવા મળી શકે છે. અહેવાલો મુજબ, વિરાટ કોહલીએ દિલ્હી ક્રિકેટ એસોસિએશનને પોતાની ઉપલબ્ધતા વિશે જાણ કરી દીધી છે અને તે બે મેચ રમી શકે છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી છેલ્લે 2010 માં એટલે કે 16 વર્ષ પહેલા વિજય હજારે ટ્રોફી રમ્યો હતો. હવે ફરી એકવાર તે દિલ્હીની જર્સીમાં જોવા મળશે.

કેપ્ટન રોહિત શર્મા પણ આ નિયમનું પાલન કરતા મુંબઈ તરફથી રમતા જોવા મળી શકે છે. આંકડા પર નજર કરીએ તો, રોહિત શર્મા પણ છેલ્લે 17 ઓક્ટોબર, 2010 ના રોજ વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો. દોઢ દાયકા બાદ આ બંને દિગ્ગજોનું ડોમેસ્ટિક સર્કિટમાં પુનરાગમન ટુર્નામેન્ટના રોમાંચમાં અનેકગણો વધારો કરશે. આ સીઝન 24 ડિસેમ્બર થી 18 જાન્યુઆરી, 2026 સુધી ચાલવાની છે.

આ નિર્ણય દ્વારા BCCI એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈ પણ ખેલાડી ભલે ગમે તેટલો મોટો હોય, ડોમેસ્ટિક ક્રિકેટ એ ભારતીય ક્રિકેટનો પાયો છે અને તેને અવગણી શકાય નહીં. ખેલાડીઓ જ્યારે ઈન્ટરનેશનલ મેચોમાં ફોર્મમાં ન હોય, ત્યારે ઘરેલુ ક્રિકેટમાં રમીને તેઓ પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવી શકે છે. બોર્ડનું આ પગલું ભવિષ્યમાં ભારતીય ટીમને વધુ મજબૂત બનાવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Advertisement

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Embed widget