શોધખોળ કરો

ચીનના માલનો બહિષ્કારઃ દેશના ક્યા સૌથી મોટા વેપારી સંગઠને ચીનને મારી દીધો રૂપિયા 4000 કરોડનો ફટકો ? જાણો વિગત

આ સંગઠને આ વર્ષે ચીનની રાખડીઓનો બહિષ્કાર કરીને 'હિંદુસ્તાની રાખડી' અભિયાન ચલાવ્યું હતું અને તેના કારણે ચીનને આશરે 4000 કરોડ રૂપિયાનો ફટકો વાગી ગયો છે.

નવી દિલ્હીઃ ચીનના લશ્કરે ભારતના વીસ જવાનોની હત્યા કરી તેના વિરોધમાં દેશના વેપારીઓના સૌથી મોટા સંગઠન સંગઠન કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ચીનની ચીજોનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું. આ સંગઠને આ વર્ષે ચીનની રાખડીઓનો બહિષ્કાર કરીને 'હિંદુસ્તાની રાખડી' અભિયાન ચલાવ્યું હતું અને તેના કારણે ચીનને આશરે 4000 કરોડ રૂપિયાનો ફટકો વાગી ગયો છે. CAITએ કરેલા દાવા પ્રમાણે. ભારતમાં દર વર્ષે રક્ષાબંધનના અવસર પર આશરે 6000 કરોડ રૂપિયાની રાખડીઓનો વેપાર થાય છે. અત્યાર સુધી તેમાં માત્ર ચીનનું યોગદાન જ આશરે 4,000 કરોડ રૂપિયાનું રહેતું હતું. આ વખતે ચીનની રાખડીઓનો બહિષ્કાર કરાયો હતો. આ સંગઠન દ્વારા હિંદુસ્તાની રાખડી અભિયાન ચલાવવામાં આવ્યું છે જેના કારણે ચીને આશરે 4,000 કરોડ રૂપિયાના વેપારથી હાથ ધોવા પડ્યા છે. દેશના આશરે 40,000 જેટલા ટ્રેડ એસોસિએશન આ સંગઠન સાથે જોડાયેલા છે અને દેશભરમાં તેના 7 કરોડ જેટલા સભયો હોવાનો તેનો દાવો છે. સંગઠન દ્વારા આપવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, આ રક્ષાબંધન વખતે ભારત સંપૂર્ણપણે હિંદુસ્તાની રાખડીનું અભિયાન ચલાવાયું છે અને તેના કારણે ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનો ફટકો વાગ્યો છે. સંગઠનના દિલ્હી- એનસીઆરના સંયોજક સુશીલ કુમાર જૈને જણાવ્યું કે, ' ફક્ત તૈયાર રાખડીઓ જ નહીં, અગાઉ ચીનથી રાખડી બનાવવાનો સામાન જેમ કે ફોમ, પેપર ફોઈલ, રાખડીનો દોરો, પર્લ, ડ્રોપ, ડેકોરેટિવ આઈટેમ વગેરેની પણ આયાત થતી હતી. પરંતુ ચીની વસ્તુઓના બહિષ્કાર અભિયાનના કારણે આ વર્ષે રાખડી માટેનો ચીની સામાન આયાત ન કરાચાં ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની ખાતરી છે.'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget