શોધખોળ કરો

ચીનના માલનો બહિષ્કારઃ દેશના ક્યા સૌથી મોટા વેપારી સંગઠને ચીનને મારી દીધો રૂપિયા 4000 કરોડનો ફટકો ? જાણો વિગત

આ સંગઠને આ વર્ષે ચીનની રાખડીઓનો બહિષ્કાર કરીને 'હિંદુસ્તાની રાખડી' અભિયાન ચલાવ્યું હતું અને તેના કારણે ચીનને આશરે 4000 કરોડ રૂપિયાનો ફટકો વાગી ગયો છે.

નવી દિલ્હીઃ ચીનના લશ્કરે ભારતના વીસ જવાનોની હત્યા કરી તેના વિરોધમાં દેશના વેપારીઓના સૌથી મોટા સંગઠન સંગઠન કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ચીનની ચીજોનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું. આ સંગઠને આ વર્ષે ચીનની રાખડીઓનો બહિષ્કાર કરીને 'હિંદુસ્તાની રાખડી' અભિયાન ચલાવ્યું હતું અને તેના કારણે ચીનને આશરે 4000 કરોડ રૂપિયાનો ફટકો વાગી ગયો છે. CAITએ કરેલા દાવા પ્રમાણે. ભારતમાં દર વર્ષે રક્ષાબંધનના અવસર પર આશરે 6000 કરોડ રૂપિયાની રાખડીઓનો વેપાર થાય છે. અત્યાર સુધી તેમાં માત્ર ચીનનું યોગદાન જ આશરે 4,000 કરોડ રૂપિયાનું રહેતું હતું. આ વખતે ચીનની રાખડીઓનો બહિષ્કાર કરાયો હતો. આ સંગઠન દ્વારા હિંદુસ્તાની રાખડી અભિયાન ચલાવવામાં આવ્યું છે જેના કારણે ચીને આશરે 4,000 કરોડ રૂપિયાના વેપારથી હાથ ધોવા પડ્યા છે. દેશના આશરે 40,000 જેટલા ટ્રેડ એસોસિએશન આ સંગઠન સાથે જોડાયેલા છે અને દેશભરમાં તેના 7 કરોડ જેટલા સભયો હોવાનો તેનો દાવો છે. સંગઠન દ્વારા આપવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, આ રક્ષાબંધન વખતે ભારત સંપૂર્ણપણે હિંદુસ્તાની રાખડીનું અભિયાન ચલાવાયું છે અને તેના કારણે ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનો ફટકો વાગ્યો છે. સંગઠનના દિલ્હી- એનસીઆરના સંયોજક સુશીલ કુમાર જૈને જણાવ્યું કે, ' ફક્ત તૈયાર રાખડીઓ જ નહીં, અગાઉ ચીનથી રાખડી બનાવવાનો સામાન જેમ કે ફોમ, પેપર ફોઈલ, રાખડીનો દોરો, પર્લ, ડ્રોપ, ડેકોરેટિવ આઈટેમ વગેરેની પણ આયાત થતી હતી. પરંતુ ચીની વસ્તુઓના બહિષ્કાર અભિયાનના કારણે આ વર્ષે રાખડી માટેનો ચીની સામાન આયાત ન કરાચાં ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની ખાતરી છે.'
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.