શોધખોળ કરો

Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા વિધેયક વિધાનસભામાં પસાર, જાણો કોણે કર્યો વિરોધ અને કોણે આપ્યો ટેકો

Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક વિધાનસભા ગૃહે આજે બહુમતીથી પસાર કર્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સમર્થન આપ્યું જ્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો.

Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક વિધાનસભા ગૃહે આજે બહુમતીથી પસાર કર્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સમર્થન આપ્યું જ્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો, છતાં બહુમતી થતાં આ બિલ બહાલ કરવામાં આવ્યું છે. બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવવામાં આવ્યું હતું. 1/10/2022 પહેલાંનું બાંધકામ નિયમિત કરવામાં આવશે નહિ.  શહેરી વિસ્તારના લોકોએ આ યોજનામાં જાજો રસ ના દાખવતા સરકારે મુદ્દત વધારવાની ફરજ પડી છે.

પાલિકા, મહાપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને ફી વસુલી કાયદેસર કરવાની છે યોજના. હવેથી બાંધકામ નિયમિત કરવાની મુદ્દત સરકાર વધારી શકશે. હવે બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવું હશે તો વિધાનસભામાં વિધેયક કે સુધારા વિધેયક લાવવું નહિ પડે. 17/10/2022થી આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. 8 મહાપાલિકા 24 સત્તા મંડળો અને 146 નગરપાલિકામાં આ કાયદો અમલમાં છે. 2017માં રેરાનો કાયદો અમલમાં આવ્યો છે. રેરાએ જે બાંધકામ માટે નોટિસ આપી છે તે બાંધકામ નિયમિત થશે નહિ.

2011થી 2022 સુધીના સમયગાળામાં બિનઅધિકૃત વિકાસ નિયમિત કરવામાં આવશે. કોંગ્રેસે મુદ્દત વધારવાની સરકારને આપયેલી સત્તાનો વિરોધ કર્યો. 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે ત્રીજા દિવસે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત (સુધારા) વિધેયક 2023 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું. 17મી ઓક્ટોબર 2022ના રોજ વિધાનસભામાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક પસાર થયું હતું. 17મી ફેબ્રુઆરી 2023ના રોજ આ યોજનાની મુદ્દત પૂર્ણ થઈ છે. બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવવામાં આવશે.

શહેરી વિસ્તારના લોકોએ આ યોજનામાં જાજો રસ ના દાખવતા સરકારે મુદ્દત વધારવાની ફરજ પડી છે. પાલિકા, મહાપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને ફી વસુલી કાયદેસર કરવાની યોજના છે. આ અગાઉ ગુજરાત સરકાર વર્ષ 2001 અને વર્ષ 2011માં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક લાવી હતી અને છેલ્લે 2022માં પણ આ જ વિધેયક મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ મોટી સંખ્યામાં મકાન નિયમિત થઈ શક્યા નહોતા અને હજુ પણ લાખોની સંખ્યામાં મકાનો બી.યુ. પરમીશન વગરના છે. કેટલાક મકાન માલિક અગાઉના અધિનિયમ હેઠળ અરજી કરી શક્યા નહોતા.

રાજ્ય સરકારના સર્વેમાં અરજી ન કરી શકનારા લોકોની સંખ્યા મોટી હતી. આવા મોટા પ્રમાણમાં મકાન તોડવા પડે તેવી સ્થિતી હોવાના તેમજ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હતો.  મોટી સંખ્યામાં લોકો બેઘર બનશે અને આજીવિકાનું સાધન ગુમાવે તેવી ભીતિ હોવાના કારણે સમાજના આર્થિક અને સામાજિક માળખાને નુકસાન ન પહોંચે તે માટે આ વિધેયક લાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો અને હવે આ જ હેતુથી સરકાર આજે મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવી હતી અને તે બહુમતીથી પસાર કર્યું છે..

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
Gandhinagar: ગણેશ વિસર્જન કરવા ગયેલા 3 યુવકો સાબરમતીમાં ડૂબ્યા, રેસ્ક્યુ ટીમે...
Gandhinagar: ગણેશ વિસર્જન કરવા ગયેલા 3 યુવકો સાબરમતીમાં ડૂબ્યા, રેસ્ક્યુ ટીમે...
ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
હવે ભાડું ન ચૂકવવા પર તરત જ મકાન ખાલી નહીં કરાવી શકે મકાન માલિક, જાણો ભાડૂઆતે કેટલા મહિનાની ચૂંકવવી પડશે ડિપોઝીટ
હવે ભાડું ન ચૂકવવા પર તરત જ મકાન ખાલી નહીં કરાવી શકે મકાન માલિક, જાણો ભાડૂઆતે કેટલા મહિનાની ચૂંકવવી પડશે ડિપોઝીટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
PF Rule: નોકરી છૂટી ગઈ તો પણ PF વધશે! ₹10 લાખના 50 વર્ષે કેટલા મળશે?
PF Rule: નોકરી છૂટી ગઈ તો પણ PF વધશે! ₹10 લાખના 50 વર્ષે કેટલા મળશે?
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
Embed widget