શોધખોળ કરો

Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા વિધેયક વિધાનસભામાં પસાર, જાણો કોણે કર્યો વિરોધ અને કોણે આપ્યો ટેકો

Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક વિધાનસભા ગૃહે આજે બહુમતીથી પસાર કર્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સમર્થન આપ્યું જ્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો.

Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક વિધાનસભા ગૃહે આજે બહુમતીથી પસાર કર્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સમર્થન આપ્યું જ્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો, છતાં બહુમતી થતાં આ બિલ બહાલ કરવામાં આવ્યું છે. બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવવામાં આવ્યું હતું. 1/10/2022 પહેલાંનું બાંધકામ નિયમિત કરવામાં આવશે નહિ.  શહેરી વિસ્તારના લોકોએ આ યોજનામાં જાજો રસ ના દાખવતા સરકારે મુદ્દત વધારવાની ફરજ પડી છે.

પાલિકા, મહાપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને ફી વસુલી કાયદેસર કરવાની છે યોજના. હવેથી બાંધકામ નિયમિત કરવાની મુદ્દત સરકાર વધારી શકશે. હવે બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવું હશે તો વિધાનસભામાં વિધેયક કે સુધારા વિધેયક લાવવું નહિ પડે. 17/10/2022થી આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. 8 મહાપાલિકા 24 સત્તા મંડળો અને 146 નગરપાલિકામાં આ કાયદો અમલમાં છે. 2017માં રેરાનો કાયદો અમલમાં આવ્યો છે. રેરાએ જે બાંધકામ માટે નોટિસ આપી છે તે બાંધકામ નિયમિત થશે નહિ.

2011થી 2022 સુધીના સમયગાળામાં બિનઅધિકૃત વિકાસ નિયમિત કરવામાં આવશે. કોંગ્રેસે મુદ્દત વધારવાની સરકારને આપયેલી સત્તાનો વિરોધ કર્યો. 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે ત્રીજા દિવસે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત (સુધારા) વિધેયક 2023 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું. 17મી ઓક્ટોબર 2022ના રોજ વિધાનસભામાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક પસાર થયું હતું. 17મી ફેબ્રુઆરી 2023ના રોજ આ યોજનાની મુદ્દત પૂર્ણ થઈ છે. બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવવામાં આવશે.

શહેરી વિસ્તારના લોકોએ આ યોજનામાં જાજો રસ ના દાખવતા સરકારે મુદ્દત વધારવાની ફરજ પડી છે. પાલિકા, મહાપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને ફી વસુલી કાયદેસર કરવાની યોજના છે. આ અગાઉ ગુજરાત સરકાર વર્ષ 2001 અને વર્ષ 2011માં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક લાવી હતી અને છેલ્લે 2022માં પણ આ જ વિધેયક મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ મોટી સંખ્યામાં મકાન નિયમિત થઈ શક્યા નહોતા અને હજુ પણ લાખોની સંખ્યામાં મકાનો બી.યુ. પરમીશન વગરના છે. કેટલાક મકાન માલિક અગાઉના અધિનિયમ હેઠળ અરજી કરી શક્યા નહોતા.

રાજ્ય સરકારના સર્વેમાં અરજી ન કરી શકનારા લોકોની સંખ્યા મોટી હતી. આવા મોટા પ્રમાણમાં મકાન તોડવા પડે તેવી સ્થિતી હોવાના તેમજ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હતો.  મોટી સંખ્યામાં લોકો બેઘર બનશે અને આજીવિકાનું સાધન ગુમાવે તેવી ભીતિ હોવાના કારણે સમાજના આર્થિક અને સામાજિક માળખાને નુકસાન ન પહોંચે તે માટે આ વિધેયક લાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો અને હવે આ જ હેતુથી સરકાર આજે મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવી હતી અને તે બહુમતીથી પસાર કર્યું છે..

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget