શોધખોળ કરો

Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા વિધેયક વિધાનસભામાં પસાર, જાણો કોણે કર્યો વિરોધ અને કોણે આપ્યો ટેકો

Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક વિધાનસભા ગૃહે આજે બહુમતીથી પસાર કર્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સમર્થન આપ્યું જ્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો.

Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક વિધાનસભા ગૃહે આજે બહુમતીથી પસાર કર્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સમર્થન આપ્યું જ્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો, છતાં બહુમતી થતાં આ બિલ બહાલ કરવામાં આવ્યું છે. બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવવામાં આવ્યું હતું. 1/10/2022 પહેલાંનું બાંધકામ નિયમિત કરવામાં આવશે નહિ.  શહેરી વિસ્તારના લોકોએ આ યોજનામાં જાજો રસ ના દાખવતા સરકારે મુદ્દત વધારવાની ફરજ પડી છે.

પાલિકા, મહાપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને ફી વસુલી કાયદેસર કરવાની છે યોજના. હવેથી બાંધકામ નિયમિત કરવાની મુદ્દત સરકાર વધારી શકશે. હવે બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવું હશે તો વિધાનસભામાં વિધેયક કે સુધારા વિધેયક લાવવું નહિ પડે. 17/10/2022થી આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. 8 મહાપાલિકા 24 સત્તા મંડળો અને 146 નગરપાલિકામાં આ કાયદો અમલમાં છે. 2017માં રેરાનો કાયદો અમલમાં આવ્યો છે. રેરાએ જે બાંધકામ માટે નોટિસ આપી છે તે બાંધકામ નિયમિત થશે નહિ.

2011થી 2022 સુધીના સમયગાળામાં બિનઅધિકૃત વિકાસ નિયમિત કરવામાં આવશે. કોંગ્રેસે મુદ્દત વધારવાની સરકારને આપયેલી સત્તાનો વિરોધ કર્યો. 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે ત્રીજા દિવસે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત (સુધારા) વિધેયક 2023 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું. 17મી ઓક્ટોબર 2022ના રોજ વિધાનસભામાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક પસાર થયું હતું. 17મી ફેબ્રુઆરી 2023ના રોજ આ યોજનાની મુદ્દત પૂર્ણ થઈ છે. બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવવામાં આવશે.

શહેરી વિસ્તારના લોકોએ આ યોજનામાં જાજો રસ ના દાખવતા સરકારે મુદ્દત વધારવાની ફરજ પડી છે. પાલિકા, મહાપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને ફી વસુલી કાયદેસર કરવાની યોજના છે. આ અગાઉ ગુજરાત સરકાર વર્ષ 2001 અને વર્ષ 2011માં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક લાવી હતી અને છેલ્લે 2022માં પણ આ જ વિધેયક મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ મોટી સંખ્યામાં મકાન નિયમિત થઈ શક્યા નહોતા અને હજુ પણ લાખોની સંખ્યામાં મકાનો બી.યુ. પરમીશન વગરના છે. કેટલાક મકાન માલિક અગાઉના અધિનિયમ હેઠળ અરજી કરી શક્યા નહોતા.

રાજ્ય સરકારના સર્વેમાં અરજી ન કરી શકનારા લોકોની સંખ્યા મોટી હતી. આવા મોટા પ્રમાણમાં મકાન તોડવા પડે તેવી સ્થિતી હોવાના તેમજ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હતો.  મોટી સંખ્યામાં લોકો બેઘર બનશે અને આજીવિકાનું સાધન ગુમાવે તેવી ભીતિ હોવાના કારણે સમાજના આર્થિક અને સામાજિક માળખાને નુકસાન ન પહોંચે તે માટે આ વિધેયક લાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો અને હવે આ જ હેતુથી સરકાર આજે મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવી હતી અને તે બહુમતીથી પસાર કર્યું છે..

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhupender Yadav: કેન્દ્રીય મંત્રી ભૂપેંદર યાદવે ગાંધીનગરમાં લીધી 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'ની મુલાકાત
Bhupender Yadav: કેન્દ્રીય મંત્રી ભૂપેંદર યાદવે ગાંધીનગરમાં લીધી 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'ની મુલાકાત
Gujarat Cabinet: ગુજરાત સરકારે જાહેર કરી નવી ઔદ્યોગિક નીતિ, 3,000થી વધુ APMC કર્મચારીઓને મળશે બોનસ
Gujarat Cabinet: ગુજરાત સરકારે જાહેર કરી નવી ઔદ્યોગિક નીતિ, 3,000થી વધુ APMC કર્મચારીઓને મળશે બોનસ
NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત
NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત
કોંગ્રેસ પ્રેરીત ટ્રેક્ટર રેલી ગાંધીનગર જવા રવાના, પોલીસે નથી આપી મંજૂરી  
કોંગ્રેસ પ્રેરીત ટ્રેક્ટર રેલી ગાંધીનગર જવા રવાના, પોલીસે નથી આપી મંજૂરી  

વિડિઓઝ

Morbi Farmer Andolan: મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનમાં મોટી જાહેરાત
Amreli Water Logging : વરસાદે અમરેલી પ્રશાસનની ખોલી પોલ, શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
CM Bhupendra Patel BIG Statement: ચોમાસાના વિલંબ પર મુખ્યમંત્રીનું મોટુ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : જેઠમાં બદલાયા ચૈતરના સૂર
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસામાં હેરાનગતિ નક્કી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ફરી બંધ કર્યું 'હોર્મુઝ સ્ટ્રેટ', અમેરિકા-ઈઝરાયેલ પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ
ઈરાને ફરી બંધ કર્યું 'હોર્મુઝ સ્ટ્રેટ', અમેરિકા-ઈઝરાયેલ પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ
આવતીકાલનું હવામાનઃ કાલે 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણી લો હવામાન વિભાગનો નવો રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણી લો હવામાન વિભાગનો નવો રિપોર્ટ
‘તમારા કામથી કામ રાખો...’ ટ્રમ્પની ફોટો ટિપ્પણી પર ઇટાલીના PM મેલોની ભડકી, જાણો શું કહ્યું...
‘તમારા કામથી કામ રાખો...’ ટ્રમ્પની ફોટો ટિપ્પણી પર ઇટાલીના PM મેલોની ભડકી, જાણો શું કહ્યું...
ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર
પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર, ખાતામાં ₹2,000 આવ્યાનો મેસેજ ન આવ્યો હોય તો કરો આ કામ
પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર, ખાતામાં ₹2,000 આવ્યાનો મેસેજ ન આવ્યો હોય તો કરો આ કામ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 16 જેટલી એન્ટિબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર મૂક્યો પ્રતિબંધ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 16 જેટલી એન્ટિબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર મૂક્યો પ્રતિબંધ
8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ
8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ
Riddhi Rajpara: આરતી સાંગાણી બાદ વધુ એક ગાયિકાના લગ્નથી પાટીદાર સમાજમાં કેમ ઉઠ્યો આક્રોશ?
Riddhi Rajpara: આરતી સાંગાણી બાદ વધુ એક ગાયિકાના લગ્નથી પાટીદાર સમાજમાં કેમ ઉઠ્યો આક્રોશ?
Embed widget