શોધખોળ કરો

ગુજરાતના ખેડૂતો માટે  સૌથી મોટા સમાચારઃ આવતી કાલે જાહેર થશે રાહત પેકેજ

અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાહત પેકેજ આવતી કાલે જાહેર થસે. આવતી કાલે કેબિનેટપછી આ પેકેજની જાહેરાત કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાહત પેકેજ આવતી કાલે જાહેર થસે. આવતી કાલે કેબિનેટપછી આ પેકેજની જાહેરાત કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાહત પેકેજ સીધું જ ખેડૂતોના ખાતામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલા રાહત પેકેજ જાહેર થશે. ત્યારે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રાહત પેકેજના પૈસા જમા થાય તેવી શક્યતા છે. 

અગાઉ રાઘવજી પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીત દરમિયાન જાહેરાત કરી હતી કે, દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટીથી ખેતીમાં થયેલા નુકસાન અંગે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર થશે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ શકે છે.

અતિવૃષ્ટી અને પૂરના કારણે ખેતી અને જમીનને નુકસાન થયું છે. નુકસાનનો રાજ્ય સરકારે સર્વે કરાવ્યો છે. જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને નુકસાનનો અહેવાલ મળ્યો છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરશે. અતિવૃષ્ટિના કાણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. નુકસાનનું વળતર ચૂકવવા માટે રાજ્ય સરકારને અનેક રજૂઆત મળી છે. તમામ ખેડૂતોને સરખો ન્યાય મળે એ માટે સહાય ચૂકવવામાં વિલંબ થયો.

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સતર્ક છે. 

 

ઉત્તરાખંડમાં વરસાદી તોફાનથી યાત્રીઓને તકલીફ ન પડે તેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષાને લઈ પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના મુખ્ય સચિવે પણ ઉત્તરખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. ગુજરાતીઓને મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. 

 

ઉત્તરાખંડ સરકારે પણ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ કરવા ખાતરી આપી છે. છૂટાછવાયા ગ્રૂપમાં ગુજરાતીઓ ઉત્તરાખંડમાં અટાવાયા હોવાનું મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. ઉત્તરાખંડ સરકાર જે માહિતી આપશે તે મુજબ રાજ્ય સરકાર કાર્યવાહી કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

 

નોંદનીય છે કે, ઉત્તરાખંડમાં રાજકોટના 16 સભ્યો, અમદાવાદના થલતેજના 6 યાત્રીઓ, અમદાવાદના નવા વાડજ અને મણીગનરના રહેવાસીઓ પણ કેદારનાથમાં ફાસયા છે. આ ઉપરાંત ધોળકાના કેટલાક લોકો ઉત્તરાખંડમાં ફસાયા છે. મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટુંકાવાનો વારો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે ત્રણ હજારથી વધુ વાહનો અટવાયા છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
અંદાજે 900 વર્ષ પહેલાં એવું શું બન્યું કે, બૌદ્ધ ધર્મ છોડી ઇસ્લામિક દેશ બન્યો માલદીવે ? જાણો સંપૂર્ણ કહાની
અંદાજે 900 વર્ષ પહેલાં એવું શું બન્યું કે, બૌદ્ધ ધર્મ છોડી ઇસ્લામિક દેશ બન્યો માલદીવે ? જાણો સંપૂર્ણ કહાની
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi Gujarat Visit: રાહુલની ગુજરાત મુલાકાતથી ભાજપને ફાયદો, ભાજપ નેતાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast : આ 3 સિસ્ટમને કારણે ગુજરાત પડશે ભારે વરસાદ, સમજો વિન્ડીની મદદથી
Paresh Goswami Prediction : ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે , પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષકોની ઘટ કેવી રીતે પૂરાશે?
Hun To Bolish: હું તો બોલીશ : કેમ કથળે છે કાયદો વ્યવસ્થા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
અંદાજે 900 વર્ષ પહેલાં એવું શું બન્યું કે, બૌદ્ધ ધર્મ છોડી ઇસ્લામિક દેશ બન્યો માલદીવે ? જાણો સંપૂર્ણ કહાની
અંદાજે 900 વર્ષ પહેલાં એવું શું બન્યું કે, બૌદ્ધ ધર્મ છોડી ઇસ્લામિક દેશ બન્યો માલદીવે ? જાણો સંપૂર્ણ કહાની
Test Records: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનારા ટોપ 5 બેટ્સમેન કોણ? જુઓ યાદી
Test Records: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનારા ટોપ 5 બેટ્સમેન કોણ? જુઓ યાદી
ODI Records: વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેનારા ટોપ 5 વિકેટકીપર કોણ? જાણો એક ક્લિકે
ODI Records: વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેનારા ટોપ 5 વિકેટકીપર કોણ? જાણો એક ક્લિકે
Shiv Puja: લગ્નમાં ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે?
Shiv Puja: લગ્નમાં ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે?
મેરેજ કાઉન્સેલર બન્યો ધોની! લગ્ન પહેલા વરરાજાને આપી ખાસ ટિપ્સ; વાયરલ વીડિયોએ મચાવી દીધો હંગામો
મેરેજ કાઉન્સેલર બન્યો ધોની! લગ્ન પહેલા વરરાજાને આપી ખાસ ટિપ્સ; વાયરલ વીડિયોએ મચાવી દીધો હંગામો
Embed widget