શોધખોળ કરો

હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી

Hong Kong Fire ; હોંગકોંગમાં એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં સાત ઈમારતો સંપૂર્ણપણે ભસ્મીભૂત થઇ ગઇ છે, જે દરેક 32 માળની છે. 280 થી વધુ લોકો હજુ પણ ગૂમ હોવાના અહેવાલ છે.

Hong Kong Fire ; હોંગકોંગમાં 26 નવેમ્બરે એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગ હજુ પણ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી. આ બહુમાળી રહેણાંક સંકુલમાં આગને કાબૂમાં લેવા માટે ગુરુવારે (28 નવેમ્બર 2025) બીજા દિવસે પણ બચાવ ટીમોએ ભારે જહેમત ઉઠાવી પડી હતી. અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 83 થઈ ગયો છે, જ્યારે 280થી વધુ લોકો ગૂમ છે. અધિકારીઓએ તેને છેલ્લા 70 વર્ષમાં શહેરની સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે.

ઇમારતોના ઉપરના માળે આગ સળગી રહી હતી

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અધિકારીએ કહ્યું કે લગભગ 76 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 43ની હાલત ગંભીર છે. મૃતકોમાં એક ફાયરમેન પણ સામેલ છે. ઘણા લોકો હજુ પણ ઈમારતોમાં ફસાયેલા છે. સાતમાંથી ચાર બ્લોકમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવામાં આવી છે, જ્યારે બાકીની 31 માળની ઇમારતોના ઉપરના માળે સાંજે આગ સતત ભડકે બળતી રહી હતી. મોટા પાયે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને ઇમારતોમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

આગથી પ્રભાવિત લોકો માટે રાહત પેકેજ

આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સરકારે આ મામલે ફોજદારી તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીએ કહ્યું કે સાત ઈમારતો, જેમાં પ્રત્યેક 32 માળની છે, સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હોંગકોંગ સરકારે અસરગ્રસ્ત લોકો માટે 300 મિલિયન હોંગકોંગ ડોલરની રાહતની જાહેરાત કરી છે. સેંકડો વિસ્થાપિત રહેવાસીઓને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

4,600 લોકોના ઘરો નાશ પામ્યા હતા

તાઈ પો જિલ્લામાં 1983માં બનેલ વાંગ ફુક કોર્ટ સંકુલમાં 1,984 ફ્લેટ ધરાવતી આઠ બહુમાળી ઇમારતો છે. 2021ની વસ્તી ગણતરી મુજબ, આ ઇમારતોમાં લગભગ 4,600 લોકો રહે છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, હોંગકોંગ પોલીસે 27 નવેમ્બરે જણાવ્યું હતું કે આગના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ વ્યક્તિઓ બાંધકામ કંપનીના અધિકારીઓ છે જેમણે ઇમારતોના રિનોવેશન દરમિયાન કેટલીક વસ્તુઓ ઇન્સ્ટોલ કરવાની જવાબદારી સંભાળી હતી.

આગ અચાનક કેવી રીતે ફેલાઈ?

પોલીસનું કહેવું છે કે, મેન્ટેનન્સના કામ દરમિયાન ઉપયોગમાં લેવાતા જ્વલનશીલ પાલખ અને ફોમ મટિરિયલના કારણે આગ આટલી ઝડપથી ફેલાઈ શકે છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, હોંગકોંગના પોલીસ અધિક્ષક ઇલીન ચુંગે જણાવ્યું હતું કે, "અમારી પાસે એવું માનવા માટેનું કારણ છે કે જવાબદાર કંપનીની ઘોર બેદરકારી હતી, જેના કારણે આ અકસ્માત થયો અને આગ અનિયંત્રિત રીતે ફેલાઈ, પરિણામે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget