શોધખોળ કરો

Baba Bageshwar: ગાંધીનગરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહશે, જાણો કોને કર્યુ આયોજન ?

ગાંધીનગરમાં આગામી 28મી મેએ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે, આ દરબારમાં બાબા બાગેશ્વર મહારાજ ઝૂંડાલ ખાતે શ્રદ્ધાળુઓને સંબોધશે

Baba Bageshwar: દેશભરમાં હિન્દુત્વ અને ધર્મના નામે જાણીતા થયેલા છતરપુરના બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ પગ જમાવી રહ્યાં છે. આગામી સમયમાં ગુજરાતમાં ઠેર ઠેર બાબા બાગેશ્વર પોતાનો દિવ્ય દરબાર ભરવાના છે, રાજકોટ, અમદાવાદ, વડોદરા બાદ હવે ગાંધીનગરમાં પણ દિવ્ય દરબાર ભરાશે. પરંતુ આ ગાંધીનગરના દિવ્ય દરબારને લઇને અપડેટ સામે આવ્યુ છે. ખાસ વાત છે કે, ગાંધીનગરમાં દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરી જોવા મળશે, અને આ માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યુ છે.  

ગાંધીનગરમાં આગામી 28મી મેએ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે, આ દરબારમાં બાબા બાગેશ્વર મહારાજ ઝૂંડાલ ખાતે શ્રદ્ધાળુઓને સંબોધશે, ઝૂંડાલ ખાતેના આ દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિત રહેશે, આમાં ગુજરાતભરના સાધુ સંતો ઝૂંડાલ ખાતેના બાબા બાગેશ્વરના દરબારમાં હાજર રહેશે. ગુરુવંદના મંચ સમર્પિત પરિષદ અને ગુરુવંદના મંચ રાજ્ય પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. બાગેશ્વરના દરબાર અંગે આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. 

 

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, આ તારીખથી પાસ વિતરણ થશે

Dhirendra Krishna Shastri: સુરત અને રાજકોટ ઉપરાંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં પણ દિવ્ય દરબાર ભરશે. ચાણક્યપુરીમાં ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. 29 અને 30 મે ના રોજ ચાણક્યપુરીમાં દરબાર ભરાશે. જ્યાં દરબાર ભરાવાનો છે તે સ્થળે આયોજકો પહોંચ્યા છે. બાબા બાઘેશ્વરના દરબાર માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વિવાદો વધતા બાબાના દરબારને લઈ સુરક્ષમાં વધારો કરવામાં આવ્યો છે. દિવ્ય દરબારમાં પ્રવેશ માટે લોકોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં લોકદરબારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ડોમથી લઈને સ્ટેજ સુધીના કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યા છે. પાસ સિસ્ટમથી મુલાકાતીઓ ડોમમાં મેળવી શકશે પ્રવેશ. ચાણક્યપુરી ગ્રાઉન્ડની સવા લાખની છે મર્યાદા છે. જોકે મુલાકાતીઓ માટે પાસનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. અમદાવાદમાં યોજાવનાર બાબાનો દિવ્ય દરબારમાં પાસ વિતરણ 27 અને 28 મે એ સવારે 9 વાગ્યાથી શરૂ કરાશે. પાસ માટે મોબાઇલ નંબર, અને એડ્રેસ જ આપવાનું રહેશે. જ્યારે Vvip માટે અલગથી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસ બાબા અમદાવાદના ચાણક્યપુરીના બંગલામાં રોકાશે. બાબાના દરબારમાં વધુ ભીડ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 1000 થી વધુ સ્વયં સેવકો રહેશે પોલીસ સાથે સેવામાં હાજર રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 ખાનગી બાઉન્સર રહેશે. સાંજે 5 કલાકે દિવ્ય દરબાર ભરાશે જે અમર્યાદિત સમય સુધી ચાલશે. હથિયારધારી સિક્યોરિટી પણ રાખવામાં આવશે. મહિલા સિક્યોરિટી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફાળવેલ 22 રૂમના બંગલાથી 100 મીટર અંતરે દરબારનું આયોજન કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget